અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા


Ahmedabad News : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ AMC દ્વારા ટ્રાફિક પોલીસ સાથે દબાણો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરના નરોડા વિસ્તારમાં GEB રોડ પર આવેલા વેજીટેબલ માર્કેટ પાસે દબાણો દૂર કરવાની કામગીરી સમયે પોલીસ અને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગના કર્મચારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વેજીટેબલ માર્કેટની બહાર ઉભા રહીને ધંધો કરતા લારીવાળાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા હુમલો કરનારા લોકોનો સામાન ભરી લેવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનામાં 1 પોલીસકર્મીને ઈજા થતાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો