ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલી વધી, CBIએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
Unnao Rape Case: ઉન્નાવ રેપ કેસમાં દોષિત કુલદીપ સિંહ સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ CBIએ મોટો નિર્ણય લીધો છે. હવે CBIએ દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. આ SLP દિલ્હી હાઈકોર્ટના આરોપી કુલદીપ સિંહ સેંગરની સજાને સ્થગિત કરવાના અને તેને જામીન આપવાના આદેશને પડકારે છે.
શું હતો દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય?
દિલ્હી હાઈકોર્ટે 23 ડિસેમ્બરે નીચલી કોર્ટ દ્વારા સેંગરને આપવામાં આવેલી આજીવન કેદની સજા પર રોક લગાવી હતી અને શરતી જામીન મંજૂર કર્યા હતા કોર્ટે 15 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર આ રાહત આપી હતી. અપીલનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેની સજા સ્થગિત કરી, જે ચોક્કસ શરતોને આધીન હતી.
Comments
Post a Comment