ડોભાલ બાદ હવે જયશંકર જશે મોસ્કો, કોણ છે સર્ગેઈ શોઈગુ? જેમની ભારત-રશિયા સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા

India-Russia Relations : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા સાથે વાંધો પડ્યો હોવાથી તેની સાથે ક્રૂડ ઓઈલ ખરીદનાર ભારત પર ટેરિફ બોંબ ઝિંકી વેપાર બંધ કરવા દબાણ કરી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયાની યાત્રા પર પહોંચી ગયા છે. ડોભાલની રશિયા મુલાકાતા બાદ રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રાની યોજના ઘડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પુતિન આ વર્ષના અંતે ભારતની મુલાકાત લે તેવી સંભાવના છે. બીજીતરફ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર ઓગસ્ટમાં રશિયાની યાત્રા પર જવાના છે.
Comments
Post a Comment