Posts

Showing posts from 2022

નવા વર્ષની શરૂઆતમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Image
નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા માપી હતી.  તેમના જણાવ્યું અનુસાર ભૂકંપની તીવ્રતા 3.8 હતી. આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિ કે નુકશાન થયુ નથી. Earthquake of Magnitude:3.8, Occurred on 01-01-2023, 01:19:42 IST, Lat: 28.71 & Long: 76.62, Depth: 5 Km ,Location: 12km NNW of Jhajjar, Haryana for more information Download the BhooKamp App https://t.co/QVSUrTSmuX pic.twitter.com/SAgjRl6hNo — National Center for Seismology (@NCS_Earthquake) December 31, 2022 આ પહેલા પણ હિમાચલના મંડી જિલ્લામાં ગઈ કાલે સવારે 6.00 કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર મંડી અરિંદમ ચૌધરીએ કહ્યું કે કોઈ નુકસાનની કોઈ માહિતી નથી. સાથે જાનહાનીની પણ કોઇ માહિતી મળી નથી. ભૂકંપ શા માટે થાય છે? વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આ

વર્ષ 2023ને ગુજરાતીઓએ ઉષ્માભેર આવકાર્યું, દેશ સહિત સમગ્ર વિશ્વમાં ઉજવણી

Image
અમદાવાદ, 1 જાન્યુઆરી 2023  આખું વિશ્વ  નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતના મેગા સીટી જેવા કે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ગોઆ અને ગુજરાતમાં પણ તેની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. એકબાજુ લોકો નવા વર્ષના સ્વાગત માટે ફેમીલી સાથે હોલી-ડે પર જતા હોય છે ત્યારે અમુક લોકો તેની ઉજવણી ઘર આંગણે જ કરતા હોય છે. વર્ષના પહેલા દિવસની શરૂઆત જ રવિવારથી થતી હોય ત્યારે તેની ઉજવણી વધારે ધામધૂમ પૂર્વક થઈ છે.  ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં લોકોએ ઉત્સાહભેર નવા વર્ષને વધાવ્યું હતું. તો નવા વર્ષની ઉજવણી માટે આ વખતે પોલીસે પણ સખત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અ ગુજરાતમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓમાં ડ્રગ્સના ઉપયોગ પર ખાસ નજર રખાઈ હતી. આ સાથે મહિલાઓની સુરક્ષાને લઈને પણ ખાસ આયોજન કરાયું હતું. યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટેની વ્યવસ્થા કરી હતી . શી-ટીમની વ્યવસ્થા પોલીસ દ્વારા થઈ હતી. આ સાથે દારૂબંધી માટેની કડક અમલવારી પણ કરી હતી.  વાહન વ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં શનિવાર રાતના 8 થી રવિવાર સવારના 3 વાગ્યા સુધી સિંધુ ભવન રોડ પર 'નો પાર્કિગ ઝોન' એલર્ટ કરાયું હતું અને

SJVN Recruitment 2023 for Field Engineer and Others @sjvnindia.com, Remuneration Rs. 60000/-

SJVN has invited online application for the 80 Field Engineer and Other Posts on its official website. Check  SJVN Recruitment 2023 application process, age limit, qualification and other details here.

આતંકવાદ ક્યારેય ભારતને દબાણથી સમજુતી પર મજબૂર કરી શકશે નહીં: જયશંકર

Image
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર ભારત-ચીન સંબંધો અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતુ. સાયપ્રસના લાર્નાકામાં ભારતીય ડાયસ્પોરા સાથેની તેમની વાતચીત દરમિયાન જયશંકરે કહ્યું કે, અમારી સરહદો પર પડકાર છે જે કોરોના દરમિયાન વધી ગયો છે. ચીન સાથેના સંબંધો સામાન્ય નથી કારણ કે  LACને એકપક્ષીય રીતે બદલવાના કોઈપણ પ્રયાસ સાથે અમે સહમત નથી. તેમણે કહ્યું કે, ભારતને લઇ ઘણી અપેક્ષાઓ છે કારણ કે અમને એક એવા નજરીયાથી જોવામાં આવે છે જે સમસ્યાનું નિરાકરણ કરી શકે છે. અમને એક મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશ તરીકે જોવામાં આવે છે અને અમને એક સ્વતંત્ર દેશ તરીકે પણ જોવામાં આવે છે. આતંકવાદના મુદ્દા પર જયશંકરે કહ્યું કે, મુખ્ય મુદ્દાઓ પર કોઈ સમાધાન નથી કારણ કે કોઈ દેશ આતંકવાદથી એટલા પીડિત નથી જેટલો અમારો દેશ છે. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે, અમે ક્યારેય આતંકવાદને સામાન્ય અને તર્કસંગત બનાવીશું નહીં. પાકિસ્તાનને આપી સલાહ પાકિસ્તાન પર પરોક્ષ કટાક્ષ કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, આતંકવાદનો ઉપયોગ ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે એક સાધન તરીકે કરી શકાય નહીં. જયશંકરે સાયપ્રસમાં ભારતીય પ્રવાસીઓ સાથેની વાતચીત દ

ECIL Apprentice DV Schedule 2022 Out @ ecil.co.in: Check List of Shortlisted Candidates

ECIL has released the document verification schedule for the post of Apprentice on its official website-https://ift.tt/Sv9BxGN PDF here.

ચીનની ગંભીર હાલતથી WHO પણ ચિંતિત, રિયલ ટાઇમ ડેટાની કરી માંગ

Image
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ચીનમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઈને ચિંતિત છે.  WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચીનની બગડી રહેલી હેલ્થકેર સિસ્ટમને મદદ આપવામાં આવશે. તેની સાથે જ ચીનની સરકારને કોરોનાવાયરસને ટ્રેક કરવા અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને રસી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તાજેતરમાં, WHOના ડાયરેક્ટર-જનરલએ  ચીની અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ફરીથી ચીનમાં કોરોના રોગચાળાની સ્થિતિ પર રીઅલ-ટાઇમ ડેટાની માંગ કરી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડબ્લ્યુએચઓએ ચીન પાસે જેનેટિક સીક્વેન્સિંગ, હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલમાં દાખલ થયેલા અને મૃત્યુ થયેલા વ્યક્તિ, અને ખાસ કરીને નબળા અને સંવેદનશીલ લોકો સહિત રોગની અસર અંગે ચર્ચા કરી હતી. આ માહિતી WHO વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.  60 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણ અંગેનો ડેટા પણ માંગવામાં આવેલો છે. વધુમાં, WHOએ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને ગંભીર બીમારી અને મૃત્યુથી બચાવવા માટે રસીકરણ અને બૂસ્ટરના મહત્વનો પુનરોચ્ચાર કર્યો. My team met with #China representatives virtually to discuss the current s

નાની બચત યોજનાઓના વ્યાજમાં 1.30 ટકા સુધીનો વધારો

Image
- નવા વ્યાજદર પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે : 2023 માટે સરકારની પ્રજાને ભેટ - કિસાન વિકાસ પત્રના વ્યાજદર 7 થી વધારી 7.20 ટકા કરાયા : સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજદર 7.6 ટકાથી વધી 8 ટકા થયા - સરકારી બોન્ડના રોકાણ પર થતી આવકમાં વધારો થતાં નિર્ધારિત ફોર્મ્યુલા હેઠળ વ્યાજદર વધારવા પડયા - રિઝર્વ બેન્કે છ માસમાં વ્યાજદરમાં 2.25 ટકાનો વધારો કરતાં પોસ્ટ ઓફિસના વ્યાજદર વધારાયા - નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર અપાતું વ્યાજ 6.80 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યું અમદાવાદ : ભારત સરકારે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૩ના ત્રણ માસના સમયગાળા માટે પોસ્ટ ઓફિસની મુદતી થાપણ માટેના વ્યાજદરમાં ૧.૧ ટકા (૧૧૦ પૈસા)નો તથા માસિક આવક યોજના-મન્થલી ઇન્કમ સ્કીમના વ્યાજદરમાં ૪૦ પૈસા અને કિસાન વિકાસ પત્રના વ્યાજદરમાં ૨૦ પૈસાનો વધારો કર્યો છે. આમ પોઈન્ટ ચાર ટકાથી માંડીને એક પોઈન્ટ એક ટકાનો વધારો કરવાની આજે જાહેરાત કરી છે. જોકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદર પૂર્વવત ૭.૧ ટકાની સપાટીએ જાળવી રાખવામાં આવ્યા છે. આ જ રીતે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં આવતા વ્યાજના દર અગાઉની માફક ૭.૬ ટકા જ જાળવી રાખવામાં આવ્યા છે. સવા દસ વ

હીરાબા અનંત સફર પર, ભાવુક PM મોદીએ માતાને કાંધ આપી

Image
અમદાવાદ, 30 ડિસેમ્બર 2022, શુક્રવાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું નિધન થયું છે. હીરાબાની અંતિમ યાત્રા નાનાભાઈ પંકજ મોદીના ઘરેથી શરૂ થઈ હતી. આ દરમિયાન ભાવુક પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. દરમિયાન PM મોદીના માતા હીરા બાએ આજે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હીરા બાને મંગળવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમની માતા હીરા બાને મંગળવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ સિવાય તેમને કફની પણ તકલીફ હતી. તેમને તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ તેમની માતાનું એમઆરઆઈ અને સીટી સ્કેન કર્યું હતું. ગઈકાલે હોસ્પિટલ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ આજે વહેલી સવારે તેનું નિધન થયુ હતું. પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા પીએમ મોદી અમદાવાદ પહોંચી ગયા છે. હીરા બાના પાર્થિવ દેહને તેમના નાના ભાઈ પંકજ મોદીના ઘરે લાવવામાં આવ્યો છે. વડાપ્રધા

RPSC SI Interview Date 2022 Out @rpsc.rajasthan.gov.in: Check Sub Inspector & Platoon Commander Schedule Here

Rajasthan Public Service Commission (RPSC) has released interview date for the Sub Inspector Comb. Comp. Exam 2021 on its official website-rpsc.rajasthan.gov.in. Download PDF here.

MRPL Recruitment 2023 For Assistant Engineer and Other Posts, Check Important Dates And How To Apply

MRPL has invited online application for the 78 Assistant Engineer Posts on its official website. Check  MRPL Recruitment 2023 application process, age limit, qualification and other details here.

PM મોદીની માતા હિરાબાનું અવસાન

Image
અમદાવાદ,તા.30 ડિસેમ્બર-2022, શુક્રવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું અમદાવાદની હોસ્પિટલમાં આજે સવારે અવસાન થયું છે. વડાપ્રધાનએ ટ્વિટ સંદેશામાં જણાવ્યું છે કે, હિરાબા 100 વર્ષના હતા અને મુલ્યો માટે સમર્પિત તેમજ નિસ્વાર્થ કર્મયોગી હતા. પોતાની માતાના 100માં જન્મ દિવસની મુલાકાતને યાદ કરીને વડાપ્રધાનએ જણાવ્યું છે કે, તેઓ હંમેશા પવિત્રતા સાથે જીવન જીવવા અને પૂર્ણ બૌદ્ધિક ક્ષમતાથી કામ કરવા હંમેશા પ્રોત્સાહન આપતા હતા.

ઈલેક્ટોરલ ટ્રસ્ટ : ભાજપ રૂ. 352 કરોડ સાથે ટોચે, કોંગ્રેસને 18 કરોડ

રશિયાએ યુક્રેન પર 120થી વધુ મિસાઇલ છોડી : અનેક ઇમારતોનો કચ્ચરઘાણ

Image
- યુક્રેનના ઊર્જા એકમો પર 69 મિસાઇલ છોડવામાં આવી - રશિયાની સવાસોથી વધુ મિસાઇલમાં યુક્રેને 54 મિસાઇલને તોડી પાડી : બેના મોત થયા અને અનેકને ઇજા પહોંચી કીવ : ૨૦૨૨નો અંત આવી રહ્યો છે અને નવા વર્ષ ૨૦૨૩નો પ્રારંભ થવાનો છે ત્યારે રશિયાએ રીતસરના જાણે આતશબાજી કરતા હોય તે રીતે યુક્રેન પર ૧૨૦થી વધુ મિસાઇલોનો પ્રચંડ હુમલો કર્યો હતો. આ હુમલાના લીધે સમગ્ર યુક્રેન હતપ્રભ થઈ ગયું હતું. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ હુમલાનું મુખ્ય લક્ષ્યાંક યુક્રેનનું એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું. રશિયાની ૬૯ મિસાઇલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરને ટાર્ગેટ બનાવીને છોડાઈ હતી. યુક્રેને તેમાથી ૫૪ મિસાઇલને તોડી પાડી હતી.  રશિયાના આટલા પ્રચંડ પ્રહારમાં બેના મોત થયા છે. રશિયાના આ પ્રકારના પ્રચંડ હુમલાના લીધે યુક્રેનના કેટલાય શહેરો ખંડર સમાન બની ગયા છે.  રશિયાએ મિસાઇલ હુમલો કરતા પહેલા રાત્રે વિસ્ફોટક ડ્રોન રવાના કર્યા હતા. રશિયાએ છોડેલા આ મિસાઇલ હવામાંથી અને દરિયામાંથી સવારે છોડવામાં આવ્યા હતા, એમ યુક્રેનિયન એરફોર્સે જણાવ્યું હતું.  રશિયાએ તાજેતરમાં યુક્રેનના ઊર્જા અને જળસ્ત્રોતોને નિશાન બનાવીને વધુને વધુ પ્રમાણમાં હુમલા કર

VIDEO: આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના રોડ શોમાં નાસભાગ મચતા 8 ના મોત

Image
અમરાવતી, તા.28 ડિસેમ્બર-2022, બુધવાર આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના નેતા ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગ મચી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની આશંકા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે. ચંદ્રબાબુ નાયડુની જનસભા નેલ્લોર જિલ્લાના કુંદુકુરમાં યોજવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ ઘટના દરમિયાન લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આમાંથી કેટલાક લોકોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર જનસભા દરમિયાન કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ હતી, ત્યારબાદ નાસભાગ મચી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ આ ઘટના અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રમેશ નાયડુ નામના યુઝર દ્વારા આ ઘટનાના વીડિયો શેર કરાયા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, આ રોડ-શોમાં ઘણા લોકોની ચહલ-પહલ જોવા મળી રહી છે. તો હોસ્પિટલમાં પણ ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. This is heartbreaking! My deepest condolences to

સિરપ પીવાથી 18 બાળકોના મોત... વધુ એક દેશે ભારતીય દવા કંપની પર લગાવ્યો આરોપ

Image
નવી દિલ્હી, તા.28 ડિસેમ્બર-2022, બુધવાર ગામ્બિયામાં 66 બાળકોના મોતની ઘટના બાદ હવે ઉઝબેકિસ્તાને પણ તેના દેશમાં બાળકોના મૃત્યુ થવા પાછળ ભારતીય દવા કંપનીને જવાબદાર ઠેરવી છે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે, એક ભારતીય દવા કંપની દ્વારા બનાવાયેલી દવાઓ ખાવાથી દેશમાં 18 બાળકોના મોત નિપજ્યા છે. નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે, ઉઝબેકિસ્તાનમાં વર્ષ 2012માં Marion Biotech pvt Ltdનું રજીસ્ટેશન થયું હતું. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના સૂત્રોએ કહ્યું કે, આ કંપની દ્વારા ઉત્પાદિત 'ડૉક-1 મૈક્સ' સિરપ હાલમાં ભારતીય બજારમાં વેચવામાં આવી રહી નથી. ભારતમાં બનાવાયેલી સિરપ પીવાથી ગામ્બિયામાં 66 બાળકના મોત થયા હતા ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબરમાં ગામ્બિયાએ આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં બનાવાયેલી સિરપથી તેના દેશમાં 66 બાળકો બાળકોના મૃત્યુ નિપજ્યા છે. જોકે ભારતીય કફ સિરપના કારણે બાળકોન મૃત્યુ નિપજ્યા હોવાની વાતની હજુ સુધુ પુષ્ટી થઈ નથી. આ ઘટનાને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારે તપાસ માટે એક કમિટીની રચના કરી હતી. સ્ટેન્ડિંગ નેશનલ કમિટી ઓન મેડિસિનના વાઈસ ચેરમેન ડૉ.વાઈ.કે.ગુપ

Odisha Police Recruitment 2023: Application Process To Begin For 4790 Constable Posts, Check Details

Odisha Police Recruitment 2023: Odisha Government will recruit 4790 Constable Posts in the state.  You can check details on the official website-odishapolice.gov.in.

[Official] SSC CPO Result 2022: Download CPO Tier 1 SI Result PDF, Cut Off

SSC CPO Result 2022: Get here direct link to download CPO Tier 1 SI Result PDF for Male and Female, category-wise Cut Off marks and tier 2 exam date.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, સેનાનો જડબાતોડ જવાબ

Image
શ્રીનગર, 28 ડિસેમ્બર 2022, બુધવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક ઈરાદા સાથે ગોળીબારની ઘટનાને અંજામ આપવાની હિંમત કરી છે. જમ્મુના સિધ્રા વિસ્તારમાં આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે. આ હુંમલાનો ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ જમ્મુના સિધ્રા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે અને માનવામાં આવી રહ્યું છે કે બેથી ત્રણ આતંકીઓ હોઈ શકે છે. શોપિયાં અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા આ અગાઉ 20 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કાશ્મીર ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે અને તેઓ નાગરિકોની હત્યામાં સામેલ હતા. આતંકવાદીઓમાંથી એકની ઓળખ લતીફ લોન તરીકે થઈ છે, જે કથિત રીતે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. અન્ય આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે કથિત રીતે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. મુંઝ માર્ગ પર એન્કાઉન્ટર શરૂ થયું હતું એક પોલીસ અધિકારીએ જણાવ્યુ

CGPSC Civil Judge Prelims Schedule 2023 Out at psc.cg.gov.in: Check Admit Card Download Date

Chhattisgarh PSC has released the short notice regarding the exam date/admit card update for the Civil Judge Prelims Exam-2022 on its official website-psc.cg.gov.in. Download PDF.

બરફના વાવાઝોડાથી અમેરિકામાં કુલ 60, જાપાનમાં 17થી વધુના મોત

Image
- અમેરિકામાં અનેક એરપોર્ટ પર 50 ઇંચ બરફના ઢગલા - સમગ્ર અમેરિકામાં 15 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરાઇ, રેસ્ક્યૂ ઓપરેશનમાં વિલંબને કારણે મૃત્યુઆંક 100ને પાર જઇ શકે છે - જાપાનમાં છત પરથી બરફ ઉતારવા જતા નીચે પડી જવાથી અનેકના મોત, સામાન્ય કરતા ત્રણગણો વધુ બરફ પડયો ન્યૂયોર્ક : સમગ્ર અમેરિકામાં બરફના તોફાને ભારે હાહાકાર મચાવ્યો છે. અનેક લોકો માર્યા ગયા છે, માત્ર ન્યૂયોર્કમાં જ ૨૭ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે સમગ્ર અમેરિકામાં કુલ ૬૦ લોકોનો ભોગ લેવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે અનેક મકાનોમાં વિજળી ન હોવાથી લાખો લોકો છેલ્લા ઘણા દિવસથી ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે. બિઝનેસ ઠપ થઇ ગયો છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલી આવી રહી છે. જેને પગલે મૃત્યુઆંક ૧૦૦ને પાર જવાની શક્યતાઓ છે.  અમેરિકાના મોટા ભાગના હાઇવે પર બરફના ઢગલા જામી ગયા છે. જેને પગલે ટ્રાન્સપોર્ટ વ્યવહાર પણ ઠપ થઇ ગયો છે. સમગ્ર ન્યૂયોર્કમાં એક ફૂટ જેટલા બરફની ચાદર પથરાઇ ગઇ છે. વૈજ્ઞાાનિકોએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેંજને કારણે બરફનું આ તોફાન આવ્યું હોઇ શકે છે.   આ જાણકારી કોલોરાડો યુનિવર્સિટીના નેશનલ સ્નો ડેટા સેન્ટ

ભારતના કૌભાંડીઓની અમેરિકનો સાથે રૂ. 80,000 કરોડની છેતરપિંડી

CBSE Date Sheet 2023: Class 10, Class 12 Date Sheet, Time Tables & Admit Card Soon @www.cbse.nic.in

CBSE Date Sheet 2023 Board Exam:  Date sheet of CBSE classes 10th and 12th board examination 2022-23 session is expected to be live soon on CBSE's website. CBSE Practical exam dates are already OUT. Candidates will be able to check the date sheet directly from this article. Also get the direct link to download CBSE Board date sheet from here.

કોરોના સામે તૈયાર રહેવા દેશભરમાં જુઓ આજે શું થઈ રહ્યું છે, આરોગ્યમંત્રી પણ એક્શનમાં

Image
દેશમાં આજે યોજાનારી મોક ડ્રીલ ચીનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. કોવિડને ધ્યાનમાં રાખીને, દેશના તમામ જિલ્લાઓમાં આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. દરમિયાન, ઘણા રાજ્યોએ કોવિડને નિયંત્રણમાં રાખવા માટે તેમના પોતાના પગલાંની જાહેરાત કરી છે. આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોવિડ મોકડ્રીલની સમીક્ષા કરવા સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેની સાથે જ  દેશભરની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોક ડ્રીલ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, વડાપ્રધાન દ્વારા પણ તમામ નાગરિકને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. હોસ્પીટલમાં આરોગ્ય સ્ટાફની હાજરી અંગે તપાસ અને જાણકારી માટે આરોગ્ય પ્રધાનએ ત્યાં મુલાકાત લીધી હતી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, જે રીતે વિશ્વમાં કોરોના વધી રહ્યો છે તે રીતે દેશમાં કોરોના ન વધે તે માટે મોકડ્રીલ કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ આદેશ આપ્યો છે. આ મોકડ્રીલ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવી રહી છે, જેથી જો દેશમાં કોરના વધે તો તેની સામે લડી શકાય. આજે મેં

BRO GREF Recruitment 2023 Notification Soon @bro.gov.in: Check Details Here

BRO GREF Recruitment 2023 Notification: Board Roads Organization will soon publish the notification for Various Posts. Candidates can check the details Here.

ચીને કોરોનાના 3 વર્ષ બાદ સૌથી મોટો નિર્ણય લીધો, 8 જાન્યુઆરી બાદ વિશ્વની ચિંતા વધશે

Image
ચીનએ નવા વર્ષમાં એકનો નિર્ણય કરવાની જાહેરાત કરી છે. જાન્યુઆરીની  8 તારીખથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે "કોવોરન્ટાઇન" સમાપ્ત કરશે. ગઈકાલે સુત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ચીન માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાઈ કારણ કે હવે તે તેની આંતરરાષ્ટ્રીય સરહદો ફરીથી શરુ કરશે. લગભગ  ત્રણ વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસી સુવિધાથી અલગ રહ્યા બાદ આ સ્થિતિમાંથી બહાર આવશે અને ફરીથી સામાન્ય રીતે પ્રવાસીને કોવોરન્ટાઇનને લઇ છૂટછાટ આપશે. ચીન સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય હેઠળ હવે મુસાફરોને ચીનની મુસાફરી કરવા માટે 48 કલાક જૂના કોવિડ રિપોર્ટની જરૂર પડશે. આ નિર્ણય તેમણે એવા સમયે કર્યો  છે જ્યારે દેશ ઓમિક્રોનના પ્રકોપથી ઝઝૂમી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં,  જિનપિંગના વહીવટીતંત્રે "ઝીરો કોવિડ" નીતિમાં સરકાર વિરોધી અંદોલનના પગલે થોડી છૂટછાટ આપી હતી. હવે, નેશનલ હેલ્થ કમિશને ગઈકાલે  કહ્યું કે, ચીન 8 જાન્યુઆરી, 2023 થી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે "ક્વોરેન્ટાઇન" ની જરૂરિયાત રહેશે નહિ.

દેશમાં કોરોનાના કેસમાં આટલા ટકાનો વધારો, શું ચોથી લહેરના સંકેત?

Image
ફરી એકવાર વધતા કોરોના કેસ વચ્ચે દેશભરમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. દેશના બધા એરપોર્ટ પર વધારેમાં વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે અને સતત  ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.  બે મહિના પછી  ફરી એકવખત, અઠવાડિયાના કોરોના કેસોમાં થોડા પ્રમાણમાં વધારો થયેલો દેખાઈ રહ્યો છે. જોકે, વૈશ્વિક સ્તર પર જોવા જઈ તો સરખામણીએ ભારતમાં હાલની પરિસ્થિતિ ખૂબ સારી છે. આ પૂરા થયેલા અઠવાડિયામાં દેશના કેસોમાં થોડો વધારો થયો છે. કેસ વધવાનું કારણ એ છે કે દેશમાં ટેસ્ટિંગના પ્રમાણને પણ વધારવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે 1103 કેસ હતા, તેની સામે આ અઠવાડિયે 1219 કેસ નોંધાયા હતા.  એટલે કે ગયા અઠવાડિયાની સાપેક્ષ 11 ટકાનો વધારો થયો છે. આ રાજ્યોમાં કોરોના કેસમાં થયો વધારો મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ તેમજ તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં સંક્રમણમાં થોડો વધારો જોવા મળ્યો છે. જોકે હજી સુધી એ વાતની જાણ નથી થઇ કે આ નવી  કોરોનાની લહેરના સંકેત છે કે પછી ટેસ્ટિંગના પ્રમાણને વધારવાથી આંકડામાં વધારો દેખાઈ રહ્યો છે. ગુજરાતની સ્થિતિ કેવી છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 નવા કેસ સામે આવ્યા છે.

Punjab University Recruitment 2023 For 53 Faculty Posts: Check Pay Scale, Eligibility And How To Apply

PUCHD has invited online application for the 53 Faculty Posts on its official website. Check  PUCHD Recruitment 2023 application process, age limit, qualification and other details here.

SLC DU Recruitment 2022-23 For 106 Assistant Professor Posts: Check Eligibility And How To Apply

SLC DU has invited online application for the 106 Assistant Professor Posts on its official website. Check  SLC DU Recruitment 2022 application process, age limit, qualification and other details here.

મહારાષ્ટ્રમાં ગઠબંધન પર સંકટના વાદળ, જાણો શું છે શિંદે-ફડણવીસ વચ્ચે મતભેદનું કારણ

Image
Image: Twitter મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના સીમા વિવાદ પર  અથડામણ હજુ સુધી પૂરી થઈ નથી. તેને લઇ રાજ્યની અંદર રાજનૈતિક ગણિતમાં ભાગલા પડવાના અહેવાલો મળી રહ્યા છે. તાજેતરમાં કર્ણાટકના વિસ્તારને લઈને મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તાવ લાવવા સંબંધિત છે. મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર વડણવીસ પ્રસ્તાવને લઈને એકમત નથી. આ પ્રસ્તાવ પર બંને નેતાઓના મત અલગ-અલગ છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, સરકારના બે ટોચના નેતાઓ વચ્ચેની ટકરાવથી ગઠબંધન પર સંકટ આવી શકે છે. શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તેમની પાર્ટી કર્ણાટક સાથેના સરહદ વિવાદ અંગે આજે વિધાનસભામાં ઠરાવ લાવી શકે છે. જોકે, રાજ્યમાં ભાજપની નેતાગીરી તરફથી આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. એવું જાણવા મળી રહ્યું છે કે, ભાજપ કર્ણાટકમાં તેની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ આ મુદ્દો ઉશ્કેરવા માંગતી નથી. અને એ પણ એવા સમયે જ્યારે કર્ણાટકમાં પણ આવતા વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, શિંદેના મંત્રીની જાહે

આજે વીર બાળ દિવસ : PM મોદીની ઉપસ્થિતિમાં દિલ્હીમાં યોજાશે ઐતિહાસિક કાર્યક્રમ

Image
Image - PMO Twitter નવી દિલ્હી, તા.26 ડિસેમ્બર-2022, સોમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં વીર બાલ દિવસના અવસર પર ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ વર્ષે 9 જાન્યુઆરીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને સાહિબજાદા બાબા ફતેહ સિંહે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ અવસરે વડાપ્રધાન લગભગ ત્રણસો બાળકો દ્વારા રજૂ કરાયેલા શબદ-કીર્તનમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી લગભગ 3,000 બાળકોની માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરશે.

Graduate Jobs 2022-23: Apply Online For 65 Accountant Post at ossc.gov.in, Check Application Process

OSSC has invited online application for the 65 Accountant Post on its official website. Check  OSSC Recruitment 2022 application process, age limit, qualification and other details here.

ડ્રેગન સરહદે શાંતિ, આર્થિક સંબંધો સુધારવા તૈયાર

Image
- પૂર્વીય લદ્દાખ - અરૂણાચલમાં છાશવારે છમકલા કરનાર ચીનની શાન ઠેકાણે આવી - ભારત સાથેના સંબંધોને મજબૂત અને સ્થિર બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ : ચીનના વિદેશ મંત્રી વાંગ યી - તવાંગમાં ચીનની ઘુસણખોરીની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થતા ડ્રેગન નરમ પડયું, ભારત સાથે વિકાસમાં સહભાગી થવાનું રટણ - ભારત અને ચીન સૈન્ય એકબીજાના સંપર્કમાં : ચીનના વિદેશ મંત્રી બેજિંગ : ભારત અને ચીન વચ્ચે સરહદનો વિવાદ વધી રહ્યો છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ તૈનાતી ચીન સરહદે કરી છે. તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોની ઘુસણખોરી બાદ આ તૈનાતી વધારાઇ છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ભારત અને ચીન સરહદનો વિવાદ શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ચીને પણ કહ્યું છે કે તે સરહદે કોઇ પણ પ્રકારનો વિવાદ નથી ઇચ્છતું અને ભારત સાથે શાંતિપૂર્વક સંબંધોને આગળ વધારવા માગે છે.  હાલમાં જ તવાંગમાં ચીની સૈનિકો ઘુસી આવ્યા હતા, જેને ભારતીય સૈનિકોએ માર મારીને ભગાદી દીધા હતા. સાથે જ ચીની સૈન્યના ઇરાદાઓને પણ નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય જવાનોની ફટકાર બાદ ચીને પોતાના સુર બદલ્યા છે. હવે ચીન ભારત સાથે શાંતિ

HPCL HRRL Recruitment 2022 for 142 Vacancies: Apply @hrrl.in

HPCL HRRL Recruitment 2022:  HPCL Rajasthan Refinery Ltd. is hiring candidates for 142 vacancies. Candidates can check the application link here.

શ્રેયસ-અશ્વિને બાંગ્લાદેશનું સપનું તોડ્યું, ભારતે મીરપુર ટેસ્ટની સાથે સીરિઝ પણ જીતી

Image
Image : ICC Twitter મીરપુર, 25 ડિસેમ્બર 2022, રવિવાર ભારતે બાંગ્લાદેશ સામેની મીરપુર ટેસ્ટ પણ જીતી લીધી છે. મેચના ચોથા દિવસની શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે ભારત આ મેચ હારી શકે છે, પરંતુ શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિનની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાનું ગૌરવ બચાવી લીધું અને ભારતે મેચ જીતી લીધી. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ 2-0થી જીતી લીધી છે. ભારત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજે બાંગ્લાદેશ સામેની બીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સીરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. ટેસ્ટ શ્રેણી જીતવાની સાથે ભારત વનડે શ્રેણીમાં મળેલી હારનો બદલો લઈ લીધો હતો. ભારતને બાંગ્લાદેશે વનડે શ્રેણીમાં 2-1થી હાર આપી હતી. ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ ટેસ્ટ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. જો ભારત આ ટેસ્ટ હારી હોત તો ટીમ ત્રીજા સ્થાને પહોંચી હોત. આ જીતથી ભારત માટે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે રમવાનો માર્ગ મોકળો કરી થઈ ગયો છે. ભારતને જીતવા માટે માત્ર 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો બાંગ્લાદેશનો બીજો દાવ 231 રનમાં સમેટાઈ ગયો હતો અને ટીમ ઈન્ડિયાને

PM મોદી 'મન કી બાત' દ્વારા આજે દેશને કરશે સંબોધન, આ વર્ષનો છેલ્લો એપિસોડ

Image
Image: Twitter આજે, 25મી ડિસેમ્બરના અવસરે, પીએમ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ ગયા અઠવાડિયે દેશવાસીઓને તેમના વિચારો મોકલવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે 2022ની છેલ્લી મન કી બાત આ મહિનાની 25મીએ યોજાશે. હું આ પ્રોગ્રામ પર તમારા વિચારો સાંભળવા માટે આતુર છું. તેમણે ટ્વીટમાં દેશવાસીઓને આગળ કહ્યું કે હું તમને નમો એપ, MyGov પર લખવા અને આ નંબર 1800-11-7800 પર તમારો સંદેશ રેકોર્ડ કરવા વિનંતી કરું છું. અહીં તે મુદ્દાઓ પર સૂચનો માંગવામાં આવ્યા છે જેના પર તમે પીએમ મોદીને મન કી બાત કાર્યક્રમમાં વાત કરવા માંગો છો. જો કે, હવે આ ટ્રોલ-ફ્રી નંબરો પર મેસેજ રેકોર્ડ કરી શકાશે નહીં કારણ કે આજે પીએમ મોદી અત્યાર સુધી મળેલા સૂચનો પર દેશવાસીઓને સંબોધિત કરશે. મન કી બાત કાર્યક્રમ આજે 25 ડિસેમ્બર 2022ના રોજ સવારે 11 વાગ્યે પ્રકાશિત થશે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝનાયર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. આ બાબતને લઇ કરી શકે છે વાત અહેવાલો મુજબ આજે આ કાર્યક્રમ દ્વા

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર PM મોદીએ 'સદૈવ અટલ' પર આપી શ્રદ્ધાંજલિ

Image
Image: Twitter આજે ભારતના પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીની 98મી જન્મજયંતિ છે. તે અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તેમની સમાધિ પર પહોંચ્યા હતા. અહીં પીએમએ ભાજપનો પાયો નાખનાર અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વીડિયો શેર કરતા પીએમએ લખ્યું, "અટલજીને તેમની જન્મજયંતિ પર લાખો સલામ. ભારત માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમનું નેતૃત્વ અને વિઝન લાખો લોકોને પ્રેરણા આપે છે." આ શેર વીડિયોમાં પીએમ મોદીએ પોતાના અવાજમાં અટલજીને શ્રદ્ધાંજલિ આપી છે. Delhi | President Droupadi Murmu, Vice-President Jagdeep Dhankhar and Prime Minister Narendra Modi pay floral tribute at ‘Sadaiv Atal’ on former PM Atal Bihari Vajpayee's birth anniversary. pic.twitter.com/sIpjzeUmNL — ANI (@ANI) December 25, 2022 આ વીડિયોમાં જોવો શું કહ્યું?? આ વીડિયોમાં પીએમ મોદી કહે છે, "અટલજી સાચા દેશભક્ત હતા. તેમની કિશો

ઉ.ભારત ઠંડીમાં ઠુંઠવાયું, આબુ માઈનસ પાંચ ડિગ્રીએ થીજ્યું

Image
- લદ્દાખના લેહ-કારગિલમાં તાપમાન માઈનસ ૧૩ ડિગ્રી સુધી ગગડયું - દેશના 11 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ : માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડતાં બરફની ચાદર, મિશ્ર તાપમાનના કારણે સહેલાણીઓ ઉમટી પડયા નવી દિલ્હી : દેશમાં અંતે ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે લોકોને શિયાળાની ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. પારો ગગડતાં ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું હતું જ્યારે ગુજરાતની સરહદે માઉન્ટ આબુ  પણ માઈનસ પાંચ ડિગ્રી તાપમાનમાં થીજી ગયું હતું. કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી, જેને પગલે કુપવારા-ભદેરવાહમાં સિઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ હતી. વધુમાં દેશના ૧૧ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આગામી બે દિવસ પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દેશમાં સામાન્ય સમયમાં ડિસેમ્બરમાં શિયાળો મધ્યમાં પહોંચી ગયો હોય છે. પરંતુ આ વર્ષે લોકોને છેક હવે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દેશના લોકપ્રિય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં શનિવારે તાપમાન ગગડીને માઈનસ એક ડિગ્રી પહોંચ્યું હતું જ્યારે આબુની સૌથી ઊંચી ચોટી ગુરુશિખર પર પારો માઈનસ ચાર ડિગ્

દેશમાં લોકડાઉનની જરૂર નથી, માસ્ક સહિતની તકેદારી અનિવાર્ય : નિષ્ણાતો

Image
- એરપોર્ટ પર અન્ય દેશોની બધી જ ફ્લાઈટ્સના બે ટકા પ્રવાસીના ટેસ્ટિંગ - ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયાના બધા જ પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ફરજિયાત : સ્વાસ્થ્ય મંત્રાલય - દેશમાં કોરોનાના 201 નવા કેસ, એક્ટિવ કેસ વધીને 3,397 થયા, કુલ મૃત્યુઆંક 5.30 લાખ : બે દિવસમાં કોરોનાના કેસ વધ્યા  - રાજ્યોને નિયમિત મોકડ્રીલ કરવા પણ સૂચન નવી દિલ્હી : કોરોના વાઈરસે ફરી એક વખત આખી દુનિયામાં ભારે હોબાળો મચાવ્યો છે. ચીન, જાપાન સહિત દક્ષિણ એશિયાના દેશોમાં કોરોના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, ભારતે બીએફ.૭ વેરિઅન્ટથી ડરવાની, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાની કે લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી, પરંતુ લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોના પાલન સહિતની તકેદારી રાખવી જોઈએ તેમ નિષ્ણાતોએ કહ્યું હતું. ચીનમાં કોરોના વાઈરસે ભારે વિનાશ વેર્યો છે ત્યારે ભારતમાં પણ લોકડાઉન અંગે લોકોમાં ચિંતા થવા લાગી છે. જોકે, નિષ્ણાતોન

આ ગુરૂકુલના 75 વર્ષ એવા સમયે પૂર્ણ થયા જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ મનાવે છેઃ મોદી

Image
Image: Fcaebook આજ રોજ રાજકોટ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનનો અમૃત મહોત્સવ શરૂવાત કરવામાં આવી હતી. આ  મહોત્સવની શરૂઆત વડાપ્રધાન મોદીએ વર્ચ્યુલ સંબોધનથી કરી હતી. આજથી શરુ થયેલ આ મહોત્સવ 26 તારીખ સુધી યોજાશે. રાજકોટ ખાતે આવેલા આ  ગુરુકુલના 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ  હાજરી આપી હતી.  સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના આ અમૃત મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુલ સંબોધન કર્યું હતું, જેમાં મોદીએ સંબોધનની શરૂઆત "જય સ્વામીનારાયણ" કહી કરી હતી. તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાજકોટ ગુરુકુલના 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે શુભેચ્છા  પાઠવી હતી. તેમજ તેમના સંબોધનમાં તેમણે મહાન સંતોને યાદ કર્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયે સંસ્કૃતિ અને ધર્મને જાળવી રાખવા મહત્વનું કામ કર્યું છે. તે સાથે તેમણે કહ્યું કે, આ સંસ્થાનું આગામી ભવિષ્ય યશસ્વી હશે.  દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત દેવપ્રસાદ દાસજી સ્વામી, ધર્મવલ્લભ સ્વામી આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. મોદીએ કહ્યું કે, આ સંસ્થા

સિક્કિમ દુર્ધટનામાં શહિદ થયેલા 16 જવાનોને આજે પશ્ચિમ બંગાળ ખાતે અપાશે શ્રદ્ધાંજલિ

Image
Image: Twitter (West Bengal Pradesh Mahila Congress) ઉત્તર સિક્કિમમાં ગઈ કાલે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 16 જવાનો શહિદ થયા હતા. સિક્કિમના ઝેમામાં સેનાની બસ જઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રક ઉંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 3 ઓફિસરો અને 13 જવાનો શહિદ થયા હતા. તેને લઇ આજે પશ્ચિમ બંગાળમાં બાગડોગરા એરપોર્ટ ખાતે અકસ્માતમાં જીવ ગુમાવનારા ભારતીય સેનાના જવાનોનો શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે બપોરે 12.30 થી 2 વાગ્યાની વચ્ચે શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે. The wreath-laying ceremony of Indian Army soldiers who lost their lives in a road accident in Sikkim earlier today will be held at Bagdogra Airport Technical area, West Bengal tentatively between 12.30 pm to 2 pm tomorrow. pic.twitter.com/fOVOIlQ0rF — ANI (@ANI) December 23, 2022 કેવી રીતે થઇ હતી આ મોટી દુર્ઘટના ગઈ કાલે સવારે સેનાના ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચટનથી થંગુ તરફ જઈ રહ્યા હતો. ગેમા જવાના રસ્તે વળાંક પર એક વાહનના ચાલકે અચાનક વાહન પર કાબુ ગુમાવી દીધો હતો અને વાહન નીચે ખી

JKSET Result 2022 Released @jammuuniversity.ac.in: Download PDF Here

JKSET Result 2022 has been announced by the Jammu and Kashmir University at jammuuniversity.ac.in. Check Steps to Download and Links Here.

9 વર્ષનો હતો ત્યારે IPL જોઈ જોઈને ક્રિકેટ રમતા શીખ્યો, આજે લીગનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

Image
Image : IPL and Sam curran Twitter કોચી, 24 ડિસેમ્બર 2022, શનિવાર IPL 2023 માટે ગઈકાલે કોચીમાં મીની ઓક્શન થયુ હતુ. આ ઓક્શનમાં IPL લીગના ઇતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ બની ગયો હતો. ઓકશનમાં ઈંગ્લેન્ડના યુવા ખેલાડીને એટલી મોટી રકમ મળી જે આજ સુધી વિશ્વના કોઈ પણ પ્રખ્યાત ક્રિકેટરને મળી નથી. ઈંગ્લેન્ડના 24 વર્ષીય ઓલરાઉન્ડર સેમ કરનને પંજાબ કિંગ્સએ 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLની પ્રથમ સિઝન સમયે સેમ કરન 9 વર્ષનો જ હતો IPLની પ્રથમ સિઝન જ્યારે 2008માં શરુ થઈ ત્યારે સેમ કરનની ઉમર 10 વર્ષ કરતા પણ નાની હતી. ક્રિકેટર બનવાનું સપનું જોનાર સેમ કરને ટીવી પર IPLની પહેલી સિઝન જોઈ હતી. તે સમયે કોને ખબર હતી કે એકદિવસ આ બાળક 2023માં IPL લીગનો સૌથી મોંઘો ખેલાડી બની જશે. IPL દરમિયાન આપેલા એક ઈન્ટરવ્યુમાં સેમ કરને કહ્યું હતું કે IPLની શરૂઆત થઈ ત્યારે મારી ઉમર માત્ર 9 વર્ષની જ હતી. તેણે કહ્યુ હતું કે તે તેના પિતા સાથે તેના ઘરની પાછળના યાર્ડમાં ક્રિકેટ રમતો હતો. પોતાના કેપ્ટનને પાછળ રાખી દીધો IPLના ઓક્શનમાં સેમ કરનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી અને આ ઓલરાઉન્ડરને તેના કરતા 9 ગણી વધુ કિંમત મળી હતી

"હું નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું": રાહુલ ગાંધી

Image
Image: Twitter  કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે દિલ્હીમાં પ્રવેશી છે, રાહુલ ગાંધી પોતે આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાના પગપાળા દિલ્હી પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું, તમે પણ તમારા પ્રેમની નાની દુકાન ખોલો. પસંદ કરેલા લોકો નફરત ફેલાવી રહ્યા છે. અહિ યાત્રામાં ગરીબો, ખેડૂતો બધા હાથ પકડીને ચાલે છે. અમે કુલ 3000 કિલોમીટરથી વધુનું અંતર કાપી લીધુ છે. આ યાત્રામાં અહીં કોઈનો ધર્મ કે જાતિ પૂછવામાં આવી નથી." नफ़रत के बाज़ार में मोहब्बत की दुकान खोल रहा हूं।❤️ pic.twitter.com/iOh2e3lPaS — Rahul Gandhi (@RahulGandhi) December 19, 2022 રાહુલ ગાંધી લાલ કિલ્લા પરથી ભાષણ આપશે કોંગ્રેસની ભારત જોડો યાત્રા હરિયાણાના ફરીદાબાદમાં NHPC મેટ્રો સ્ટેશનથી શરૂ થઈ. ભારત જોડો યાત્રા સાંજે 4:30 વાગ્યે લાલ કિલ્લા પર પહોંચી રહી છે, જ્યાં રાહુલ ગાંધી ભાષણ આપશે. રાહુલ ગાંધીની આ મુલાકાતમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને વાહનો ભાગ લે તેવી શક્યતા છે. ભારત જોડો યાત્રામાં ભીડને જોતા ટ્રાફિક પોલીસે પણ લોકો માટે એડવાઈઝરી જારી

અમેરિકામાં કોલ્ડ એટેક : કલાકોમાં તાપમાન સરેરાશ 35 ડિગ્રી ઘટી -40

Image
- સદીનું સૌથી ભયંકર 'બોમ્બ તોફાન' : 10 લાખ ઘરોમાં અંધારપટ, મંગળ ગ્રહ કરતાં પણ વધુ કાતિલ ઠંડી - બે દિવસમાં 4,500 જેટલી ફ્લાઈટ્સ રદ, 8,450 ફ્લાઈટ મોડી પડી : 1.62 કરોડથી વધુ પ્રવાસીઓ રઝળી પડયા - ન્યૂયોર્કના બફેલોમાં પાંચ ફૂટ બરફ પડયો : હાડ થીજાવતી ઠંડીમાં પવન પ્રતિ કલાક 113 કિ.મી.ની ઝડપે ફુંકાયો - ટ્રેન-બસ સેવા પણ ઠપ થઈ, હજારો લોકોના ક્રિસમસના પ્રવાસ આયોજનો રઝળ્યા વોશિંગ્ટન : ખ્રિસ્તીઓના સૌથી મોટા તહેવાર ક્રિસમસ પહેલાં અમેરિકાના અનેક વિસ્તારોમાં ભયાનક બરફીલા 'બોમ્બ તોફાને' ભારે વિનાશ વેર્યો છે. અચાનક ગગડી ગયેલા તાપમાન અને શિયાળુ હવામાન સિસ્ટમે અમેરિકામાં જાણે બધું જ થીજાવી દીધું છે. આ કોલ્ડ એટેકથી અનેક શહેરોમાં તાપમાન સરેરાશ ૩૫ ડિગ્રી ઘટીને માઈનસ ૪૦ ડિગ્રી થયું છે. ટેક્સાસ, ઓક્લાહોમા, મિસૌરી, ટેનેસી, મિસિસિપ્પી અને લુઈસિઆનામાં વાવાઝોડાના કારણે વીજળી ખોરવાઈ જતાં અંદાજે ૧૦ લાખથી વધુ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. બે દિવસમાં હજારો ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે.  હાડ થીજાવી દેતી ઠંડીમાં મધ્ય અમેરિકામાં તાપમાન મંગળ ગ્રહ કરતાં પણ વધુ ઠંડુ થઈ ગયું છે અને સ્થિતિ હજુ વધુ કથળવાની આશંકા

શતાબ્દી મહોત્સવમાં મુલાકાતીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી

MPSC Final Answer Key 2022 Out for Forest Services at mpsc.gov.in: Download PDF Here

MPSC Forest Service Final Answer Key 2022: Maharashtra PSC has released the final answer key for the Maharashtra Gazetted Technical Services Main Examination 2021 on its official website-http://www.mpsc.gov.in/.  Download PDF here

પીએમ મોદીના કારણે દુનિયામાં પરમાણુ યુદ્ધ ટળ્યું : સીઆઈએ વડા

Image
- પીએમ મોદીએ 'યુદ્ધનો યુગ નથી'ની સલાહ આપી હતી - રશિયા પાસે ખતરનાક પરમાણુ હથિયારો છે : જિનપિંગે પરમાણુ યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી વોશિંગ્ટન : અમેરિકન જાસૂસી એજન્સી સીઆઈએના વડા વિલિયમ જે. બર્ન્સે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે દુનિયામાં પરમાણુ યુદ્ધનું જોખમ ટળી ગયું છે. બર્ન્સનું આ નિવેદન દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતનું કદ સતત વધી રહ્યું છે. ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલ જી-૨૦ ઘોષણાપત્રના સપ્તાહો પછી સીઆઈએના પ્રમુખ વિલિયમ બર્ન્સે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને આપેલી સલાહ 'યુદ્ધનો યુગ નથી'ની ગુંજ સંભળાઈ રહી છે. યુક્રેન-રશિયા વચ્ચે ચાલતા યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગની ક્રેમલિનની ધમકી પર પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓની રશિયા પર ગંભીર અસર થઈ છે અને તેમની સલાહે પરમાણુ હુમલાની ચિંતાઓ દૂર કરી દીધી છે. અમેરિકન પબ્લિક બ્રોડકાસ્ટર પીબીએસને આપેલી એક મુલાકાતમાં બર્ન્સે કહ્યું કે, આ હકીકત છે. મોદી-જિનપિંગની સલાહે કામ કર્યું છે. મને લાગે છે

RRB Allahabad Group D Result 2022: Direct Link @rrbald.gov.in, Cut Off & Merit List

RRB Group D Result 2022: You can get here all the details including RRB Allahabad Group D Result 2022, Direct Link and Cut Off, official website direct link to check CBT 1 Railway Group D result date,  sarkari result along with zone-wise cut off and merit list.

RRB Ajmer Group D Result 2022: Direct Link @rrbajmer.gov.in,Cut Off & Merit List

RRB Group D Result 2022: You can get here all the details including RRB Ajmer Group D Result 2022, Direct Link and Cut Off, official website direct link to check CBT 1 Railway Group D result date,  sarkari result along with zone-wise cut off and merit list.

BISAG-N Recruitment 2022-23: Apply Online For 250 Software Professionals at bisag-n.gov.in, Check Eligibility

BISAG-N has invited online application for the 250 Software Developer Post on its official website. Check  BISAG-N Recruitment 2022 application process, age limit, qualification and other details here.

CBSE Class 10 Social Science Important Questions and Answers for 2022-23 : ALL Chapters

CBSE Class 10 Social Science Important Questions and Answers: In this article we will cover the chapter wise important questions and answers of each and every chapter in CBSE class 10 Social Science syllabus. These important questions will help students prepare for CBSE class 10 Science board exam 2022-23. 

SSC CHSL 2023 Exam Preparation Strategy: Check Important Tips to Score High Marks

SSC CHSL 2023 Exam Preparation Strategy: SSC CHSL Exam 2023 is scheduled to be held in the month of Feb-March 2023. Check the SSC CHSL Tier 1 preparation tips to clear the exam.

OSSC DV Admit Card 2022 To Release Today For Senior Cameraman/Photographer Post : Check DV Schedule Here

Odisha SSC has released  admit card/document verification update for Senior Cameraman post on its official website-ossc.gov.in. Download PDF here.

ચીન સહિત દુનિયાના તમામ દેશોમાં કોરોના ફરી ત્રાટક્યો, એક અઠવાડિયામાં 36 લાખ કેસ, 10 હજારના મોત

Image
- ચીનમા શ્વાસ સબંધી બિમારીઓને કારણે થતાં મોત પણ કોરોનામાં ગણી લેવાશે   - ચીન ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં પણ કોરોનાના કેસોમાં ઝડપી વધારો  - ચીનમાં આગામી મહિનાઓમાં પંદરથી વીસ લાખ લોકોના મોતનો વરતારો લંડન : ચીન સહિત દુનિયાના તમામ દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ બીએફ.૭નો પગપેસારો વધી જવાને પગલે છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કુલ ૩૬ લાખ કેસો અને દસ હજારથી વધારે લોકોના મોત નોંધાયા છે. ચીન ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. ચીનની કોરોનાની ચિંતાજનક હાલતને ધ્યાનમાં લઇ વિશ્વ બેન્કે પણ ચીનનો વિકાસ દરનો  અંદાજ ઘટાડી  ૨.૭ ટકા કરી નાંખ્યો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પણ ઓક્ટોબર ૨૦૨૨માં જ ચીનના વિકાસ દરનો અંદાજ ઘટાડી ૩.૨ ટકા કર્યો હતો.  છેલ્લા એક સપ્તાહમાં દુનિયાભરમાં કોરોનાના ૩૬,૩૨,૧૦૯ નવા કેસો નોંધાયા છે જેંમાંથી માત્ર જાપાનમાં જ ૧૦,૫૫,૫૭૮ કેસો નોંધાયા છે. આ જ રીતે દક્ષિણ કોરિયામાં ૪,૬૦,૭૬૬ ફ્રાન્સમાં ૩,૮૪,૧૮૪ બ્રાઝિલમાં ૨,૮૪,૨૦૦ યુએસમાં ૨,૭૨,૦૭૫, જર્મનીમાં ૨,૨૩, ૨૨૭ હોંગકોંગમાં ૧,૦૮, ૫૭૭ અને તાઇવાનમાં ૧,૦૭, ૩૮૧ કેસો નોંધાયા છે. જાપાનમાં કોર

વિશ્વમાં કોરોનાના કેસો વધતા ભારત સરકાર એલર્ટ : માસ્ક પહેરવાની સલાહ

FCI AG 3 Admit Card 2022 (Out): Download Category 3 Call Letter @recruitmentfci.in

FCI AG 3 Admit Card 2022: Food Corporation of India uploaded the FCI Exam Admit Card on its official website i.e. recruitmentfci.in. Candidates can check the details here,

મનસુખ માંડવિયાએ ભારત જોડો યાત્રાને લઈ રાહુલ ગાંધીને લખ્યો પત્ર...

Image
Image : Twitter અમદાવાદ, 21 ડિસેમ્બર 2022, બુધવાર વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને કોંગ્રેસની ભારત જોડો યાત્રા રદ કરવાની માંગ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો દેશના હિતમાં ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવી જોઈએ. આ ઉપરાંત રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે હું ઈચ્છું છું કે તમે સ્વસ્થ અને સુરક્ષિત રહો. તેમણે અપીલ કરી હતી કે રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે. માત્ર રસીકરણ કરાયેલા લોકો જ યાત્રામાં ભાગ લે તે સુનિશ્ચિત કરવું જોઈએ. પ્રવાસમાં જોડાતા પહેલા અને પછી મુસાફરોને અલગ રાખવા જોઈએ. માંડવિયાએ આગળ લખતા કહ્યુ કે જો કોરોના પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નથી તો જાહેર આરોગ્ય કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશને કોરોના રોગચાળાથી બચાવવા માટે દેશ હિતમાં ભારત જોડો યાત્રા