કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ આજે કેજરીવાલ સરકારનું શક્તિપ્રદર્શન, રામલીલા મેદાન પર 1 લાખ લોકો ઉમટશે

image : Facebook


દિલ્હી સરકારમાં ટ્રાન્સફર નિમણૂકોને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) આજે એક મોટી રેલી કરવા જઈ રહી છે. આપ આ રેલી દ્વારા શક્તિપ્રદર્શન કરશે.  દિલ્હીમાં આઠ વર્ષથી સત્તારૂઢ AAPની આ પહેલી મેગા રેલી હશે. આપ તેને સફળ બનાવવા માટે સંપૂર્ણ  બધી તાકાત લગાવી દીધી છે. 

તમામ તૈયારીઓ પૂર્ણ 

આ મેગા રેલીમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર વિરુદ્ધ હુંકાર ભરશે.  રેલીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સ્ટેજને પણ સજાવવામાં આવ્યું છે. દિલ્હી ટ્રાફિક પોલીસે મેગા રેલીને લઈને એડવાઈઝરી પણ જારી કરી છે.

એક લાખ લોકોના પહોંચવાની અપેક્ષા 

આમ આદમી પાર્ટીએ આ રેલીમાં એક લાખ લોકોના ભાગ લેવાની આશા વ્યક્ત કરી છે. AAPના નેતાઓ મેગા રેલીની તૈયારીઓની સતત સમીક્ષા કરી રહ્યા છે. મહા રેલીના સ્થળ રામલીલા મેદાનમાં તૈયારીઓની વાત કરીએ તો ભવ્ય પંડાલ ગોઠવવામાં આવ્યો છે.

ખુરશીઓ, કુલર અને પંખા લગાવ્યા

આ સાથે લોકોના બેસવા માટે હજારો ખુરશીઓ લગાવવામાં આવી છે. મેદાનમાં એન્ટ્રી ગેટ સુધી ખુરશીઓ લગાવવાની યોજના છે. ગરમીથી બચવા માટે મોટા કુલર અને પંખા લગાવવામાં આવ્યા છે. આ સાથે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જ્યારે શૌચાલય અને પ્રાથમિક સારવાર આપવા માટે બાજુ-બાજુમાં પંડાલ ઉભા કરવામાં આવ્યા છે.

આપ પાર્ટીની મોટી હસ્તીઓ રહેશે હાજર 

રામલીલા મેદાનમાં જે સ્ટેજ પરથી અરવિંદ કેજરીવાલ જનમેદનીને સંબોધશે તે સ્ટેજને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. અહીં બે ડઝનથી વધુ ખુરશીઓ લગાવવામાં આવી છે. ગરમીથી છુટકારો મેળવવા માટે મોટા કુલર લગાવવામાં આવ્યા છે. મંચ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, આતિશી અને સંજય સિંહ સહિત પક્ષના અન્ય ટોચના નેતાઓ હાજર રહેશે. AAPએ કહ્યું છે કે રેલીમાં એક લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.

વટહુકમથી જનજીવન પ્રભાવિત થયું છે

AAP અનુસાર, પાર્ટીએ લોકોને વટહુકમ અને તેમના રોજિંદા જીવન પર તેની અસર વિશે જાગૃત કરવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરી છે. AAPએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો અમલદારો તેમની વાત નહીં સાંભળે તો ચૂંટાયેલી સરકાર કેવી રીતે કામ કરશે. દિલ્હીના લોકો ચિંતિત છે કે કેન્દ્ર શા માટે તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કેન્દ્રએ 19 મેના રોજ વટહુકમ લાવ્યો હતો

નોંધનીય છે કે કેન્દ્ર દ્વારા 19 મેના રોજ બહાર પાડવામાં આવેલા વટહુકમમાં નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટીની સ્થાપના માટે જોગવાઈ કરવામાં આવી હતી, જેણે તેના અધિકારક્ષેત્ર હેઠળ સેવાઓ સંબંધિત બાબતો પર એક્ઝિક્યુટિવ નિયંત્રણ લીધું છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો