Posts

Showing posts from April, 2024

ગોદરેજનું વિભાજન, લિસ્ટેડ કંપની આદિ-નાદિરને જ્યારે અનલિસ્ટેડ જમશેદ-સ્મિતાને મળશે

Image
Image : Internet Godrej Family Split:  ગોદરેજ પરિવાર સત્તાવાર રીતે વિભાજિત થઈ ગયો છે. દેશમાં 127 વર્ષ પહેલાં બિઝનેસનો પાયો નાખનાર ઉદ્યોગસાહસિક પરિવારના વારસદાર આદિ ગોદરેજ અને તેમના ભાઈને વિભાજન કરાર હેઠળ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ મળશે. તેના પિતરાઈ ભાઈઓ અને બહેનોના શેર અનલિસ્ટેડ કંપનીઓમાં આવશે. વિભાજ પર હસ્તાક્ષર કર્યા બાદ નિવેદન જાહેર કર્યું 127 વર્ષ જૂનો ગોદરેજ પરિવાર હવે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. વિભાજન માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના અધિકારો મળ્યા છે. તેની પાંચ કંપનીઓ લિસ્ટેડ છે. જ્યારે આદિ ગોદરેજના પિતરાઈ ભાઈ-બહેન જમશેદ અને સ્મિતાને અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બૉયસની માલિકીનો હક મળશે. આ બંનેને ગોદરેજ એન્ડ બોયસ સાથે સંકળાયેલી કંપનીઓ સાથે મુંબઈમાં જમીન અને મહત્વની મિલકતનો મોટો પ્લોટ મળશે. નોંધનીય છે કે ગોદરેજ ગ્રુપનો બિઝનેસ સાબુ અને હોમ એપ્લાયન્સીસથી લઈને રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલો છે. પરિવારની બે શાખાઓ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું ગોદરેજ સમૂહ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જૂથને સ

ભારતમાં કોવિશિલ્ડના 205 કરોડ ડોઝ અપાયા : આડઅસરના જોખમથી ખળભળાટ

Image
- કોવિશિલ્ડથી આડઅસરો થતી હોવાનો એસ્ટ્રાજેનેકાની યુકે કોર્ટમાં કબૂલાત - રસીની આડઅસરો એક મહિનામાં જ દેખાય છે, તેથી ભારતમાં બે વર્ષ પહેલાં રસી લીધી હોય તેવા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી : નિષ્ણાતો લંડન/નવી દિલ્હી : કોરોના મહામારીથી દુનિયાભરમાં લાખો લોકોનાં મોત થયા હતા. આ બીમારીથી બચવા માટે સમગ્ર વિશ્વની સરકારોએ ઉતાવળે લોકો માટે રસીની વ્યવસ્થા કરી હતી.  કોરોનાની રસી બનાવનારી અનેક કંપનીઓમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાનો સમાવેશ થાય છે. આ કંપનીએ હવે કબૂલ્યું છે કે તેની રસીના કારણે કેટલાક લોકો આડ અસરના ભાગરૂપે હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોકનું જોખમ રહે છે. ભારતમાં કોરોના રસીના અંદાજે ૨૨૧ કરોડ ડોઝ અપાયા છે, જેમાં ૨૦૫ કરોડ ડોઝ કોવિશિલ્ડના હતા. ત્યારે કંપનીની આ કબૂલાત પછી ભારતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. દેશમાં કરોડો લોકોએ એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ રસી લગાવી હતી. કંપનીનું કહેવું છે કે તેની રસીના કારણે લોહી ગંઠાઈ જવાની આશંકા રહેલી છે. ભારતમાં કોવિશિલ્ડનું ઉત્પાદન અદાર પૂનાવાલાની સીરમ ઈન્સ્ટિટયૂટે કર્યું હતું. માત્ર દેશ જ નહીં દુનિયામાં પણ કોરોના મહામારી ખૂબ જ ઝડપે ફેલાઈ રહી હતી ત્યારે સીરમ ઈન્સ્ટિટયૂ

સાતમું પગારપંચ : કેન્દ્રીય કર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય, મોંઘવારી ભથ્થા સાથે વધુ બે લાભ આપવાની જાહેરાત

Image
7th Pay Commission:  કેન્દ્ર સરકાર આ વર્ષની શરુઆતમાં એટલે કે 2024થી તેમના કર્મચારીઓ અને પેન્શનનો લાભ આપવા માટે ડીએમાં 50 ટકાનો વધારાની જાહેરાત બાદ હવે બાળકોનું શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડી જેવા કેટલાક ભથ્થાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમા મોંઘવારી ભથ્થામાં 50 ટકાનો વધારો થશે ત્યારે જ બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં પણ 25 ટકાનો વધારો કરવામાં આવશે.  કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ ભથ્થાં વધારાના સમાચારો વચ્ચે કેટલાક લોકો હજુ પણ મૂંઝવણમાં છે, અને તેમની મૂંઝવણ દૂર કરવા માટે કર્મચારી અને તાલીમ મંત્રાલયના કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગે એક સ્પષ્ટતા કરી છે.  કેટલું હશે ભથ્થું ? કર્મચારી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે 12 માર્ચ, 2024 ના રોજ કહ્યું હતું કે, આ વર્ષે પહેલી જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50 ટકાનો વધારો લાગું કરી દેવામાં આવશે. તેથી અલગ-અલગ વિસ્તારોમાંથી ચિલ્ડ્રન્સ એજ્યુકેશનલ એલાઉન્સ (CEA)અને છાત્રાલયની સબસિડી વધારવા માટે સંજ્ઞાન લેવામાં આવ્યું છે. બાળકનું શિક્ષણ ભથ્થું દર મહિને રુપિયા 2,812.5 (ફિક્સ ) અને હોસ્ટેલ

કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, ગુરુગ્રામથી રાજ બબ્બરને આપી ટિકિટ

Image
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ચાર ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં અભિનેતા રાજ બબ્બરને હરિયાણાની ગુરુગ્રામ લોકસભા બેઠકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશની કાંગરા બેઠકથી આનંદ શર્માને ટિકિટ આપી છે. હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠકથી સતપાલ રાયજાદાને મેદાને ઉતાર્યા છે અને મુંબઈ નોર્થ બેઠકથી ભૂષણ પાટીલના નામની જાહેરાત કરવામાં આવી છે. Congress releases another list of candidates for the upcoming #LokSabhaElections2024 Raj Babbar to contest from Gurgaon (Haryana) Anand Sharma from Kangra (Himachal Pradesh) pic.twitter.com/yLHH2kWgk5 — ANI (@ANI) April 30, 2024 અનુરાગ ઠાકુર સામે સતપાલ રાયજાદા ચૂંટણી લડશે હિમાચલ પ્રદેશની કાંગરા લોકસભા બેઠકથી આનંદ શર્માને ભાજપના ઉમેદવાર ડો.રાજીવ ભારદ્વાજ સામે ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. આનંદ શર્માને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. જ્યારે હિમાચલ પ્રદેશની હમીરપુર બેકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સામે સતપાલ રાયજાદાને મેદાનમાં ઉતાર્ય

કચ્છની કેસર કેરી 'કેસર' ખરીદવા જેવી મોંઘી પડશે, ઉત્પાદનમાં ઘટાડો, કેમિકલ વાપરનારા ખેડૂતો ખુશ!

Image
ગાંધીધામ : સમગ્ર ગુજરાતમાં સૌથી સારી કેસર કેરીનો સ્વાદ કચ્છની કેસરનું હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિષમ હવામાનના કારણે કચ્છની કેસર કેરી ગરીબો માટે કેસર ખરીદવા બરાબર થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કેમાં કે કચ્છમાં હાલની સ્થિતિએ ૪૦ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કચ્છની સૌથી મોટી માર્કેટ એવી અંજારમાં અત્યારથી જ દૈનિક ૨૦૦-૩૦૦ દાગીના (પેટી) કેસર કેરીની આવક થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.  આ અંગે અંજાર માર્કેટના સૌથી મોટા વેપારીઓ પૈકીનાં એક રાજેશ વિઠ્ઠલદાસ પલણના જણાવ્યા મુજબ વિષમ વાતાવરણના કારણે માત્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કેરીનો પાક ૩૫થી ૪૦ ટકા રહ્યો છે. પરિણામે કેસર કેરી ખૂબ મોંઘા ભાવે વેચાઈ રહી છે. હાલમાં કંચ્છમાં જુનાગઢ-ગીર તરફથી દૈનિક ૭૦૦થી ૮૦૦ પેટી કેરીની આવી રહી છે. જેનો ભાવ પણ ખૂબ ઊંચો છે. દરમિયાન અંજારની માર્કેટમાં કચ્છની કેસર કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે. જેમાં દરરોજ ૨૦૦-૩૦૦ દાગીના (પેટી)ની આવક થઈ રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે ૧૫ જૂનથી કચ્છની કેસર કેરીની સિઝન શરૂ થઈ જશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.  તો બીજી ત

કર્ણાટકમાં ભાજપના સાથી પક્ષના નેતા રેવન્નાનું કારસ્તાન, 2,976 અશ્લીલ વીડિયોથી રાજકીય ભૂકંપ

Image
Karnataka Sex Scandal : કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલમાં રોજેરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ જેડીએસની સાથે ભાજપ પર પણ આક્રમક પ્રહાર કરી રહી છે, ત્યારે ભાજપ નેતા દેવરાજ ગૌડાનો ભાજપ પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રને લખેલો એક પત્ર વાયરલ થયો છે. પૂર્વ PMના પરિવારના અનેક નેતાઓ સામે આરોપ આ પત્રમાં દેવરાજ ગૌડાએ પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાના પરિવારના અનેક નેતાઓ સામે ગંભીર આરોપ મૂકતા લખ્યું છે કે, ‘મારી પાસે એક પેન ડ્રાઈવ છે, જેમાં મહિલાઓના યૌનશોષણના 2,976 વીડિયો છે. આ પૈકી અનેક મહિલાઓને બ્લેકમેલ કરાઈ રહી છે.’ નોંધનીય છે કે, આ ઘટનાના અહેવાલો પછી 28 એપ્રિલે જ પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને જર્મની ભાગી ગયા હતા. તેઓ એચ.ડી. દેવગૌડાના પ્રપૌત્ર છે. 2976 અશ્લીલ વીડિયો થકી મહિલાઓનું બ્લેકમેલિંગ  કર્ણાટક ભાજપના નેતા દેવરાજ ગૌડાએ આઠમી ડિસેમ્બર 2024ના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ બી. વાય. વિજયેન્દ્રને પત્ર લખીને આ વાતનો ખુલાસો કર્યો હતો. આ પત્રમાં તેમણે દાવો કર્યો છે કે, ‘મારી પાસે પ્રજ્વલ રેવન્ના સહિતના જેડીએસ નેતાઓ સંકળાયેલા હોય એવા લગભગ 3000 મહિલ

ભાજપ તરફી ક્ષત્રિયોમાં નારાજગી વધી, રૂપાલાના વિરોધમાં ધડાધડ 7 હોદ્દેદારોએ રાજીનામાં ધર્યા

Image
Lok Sabha Elections 2024 | નર્મદા જિલ્લામાં પણ પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે નર્મદા જિલ્લા રાજપૂત સમાજના ભાજપના 7 હોદ્દેદારો અને તેમના સમર્થનમાં એક બ્રાહ્મણ હોદ્દેદાર જિલ્લા કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા આપી દીધા હતાં. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા હવે આંદોલન પાર્ટ-૨નો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત ગામે ગામ ભાજપનો સમાજના લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં રાજપૂત સમાજના ભાજપના ૭ અને એક બ્રાહ્મણ હોદ્દેદારે કમલમ નર્મદા કાર્યાલય ખાતે પહોંચી જઈ જિલ્લા ભાજપ પ્રમુખને સામૂહિક રાજીનામા આપ્યા હતા.  આ સમયે જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં રાજપૂત સમાજ ' અમારી સાથે જ રહેશે.

છત્તીસગઢમાં બે વાહનો વચ્ચે જોરદાર ટક્કર, ફેમિલી ફંક્શનથી પાછા આવતા 10નાં ઘટનાસ્થળે મોત

Image
Chhattisgarh Accident news | છત્તીસગઢના બેમતારામાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક માર્ગ અકસ્માતમાં 10 લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે લગભગ 2 ડઝન લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ લોકો ફેમિલી ફંક્શનમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે.  કેવી રીતે થયો અકસ્માત  આ અકસ્માત બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠિયા પેટ્રોલ પંપ પાસે થયો હતો. દરેક વ્યક્તિ એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરૈયા ગામથી પાથરા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વાહનને પીકઅપ સાથે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તરત જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ  રાહત અને બચાવ કામગીરી શરૂ કરીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ બે ડઝન લોકો ઘાયલ છે, જેમાંથી કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બેમેટારા કલેક્ટર રણવીર શર્મા, એસપી રામકૃષ્ણ સાહુ અને તમામ વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા.

ગુજરાત-રાજસ્થાનમાંથી 230 કરોડનું ડ્રગ્સ જપ્ત

Image
- ગુજરાત એટીએસ-નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનું સંયુક્ત ઓપરેશન : ચાર ફેક્ટરી ઝડપાઈ - ગાંધીનગરના પીપળજ, અમરેલી તેમજ રાજસ્થાનના શિરોહી, જોધપુર સ્થિત ફેક્ટરીઓમાં દરોડા: બે મુખ્ય સુત્રધાર સહિત કુલ ૧૩ આરોપીઓની ધરપકડ અમદાવાદ : ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા શુક્રવારે રાતના સમયે અમરેલી, ગાંધીનગર જિલ્લાના પીપળજ તેમજ રાજસ્થાનના સિરોહી અને જોધપુરમાં એમ ડી ડ્રગ્સ બનાવવાની ચાર ફેક્ટરી   એક જ સમયે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. લિક્વીડ અને ક્રિસ્ટલ  ફોર્મમાં રહેલા એમડી ડ્રગ્સનો રૂપિયા ૨૩૦ કરોડનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા બે મુખ્ય આરોપીઓ સહિત પોલીસે ૧૩ લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં એમ ડી ડ્રગ્સ બનાવવા માટેનું રૉ મટિરિયલ વાપીમાં આવેલી એક ફેક્ટરીમાંથી સપ્લાય કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડ આંતર રાજ્ય હોવાને કારણે હાલ તપાસ એનસીબીની ટીમે ગુજરાત એટીએસને સાથે રાખીને શરૂ કરી છે.  ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીને આશરે બે મહિના પહેલા ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના થલતેજમાં રહેતો મનોહરલાલ એનાની અને  કુલદીપસિંગ રાજપુત (રહે. ગ્રીન સીટી

'રાહુલ-પ્રિયંકાની ઉમેદવારી અંગે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે નિર્ણય લે', CECની બેઠકમાં રખાયો પ્રસ્તાવ

Image
Lok Sabha Elections 2024 : રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક મળી હતી. જેમાં અમેઠી અને રાયબરેલીથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવવાની અપીલ કરાઈ. CECના સભ્યો, ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ અને ધારાસભ્ય દળના નેતાએ પણ ઉમેદવાર બનાવવાની અપીલ કરાઈ. જોકે, આના પર અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર છોડવામાં આવ્યો છે. CECની બેઠકમાં કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ, પ્રતાપસિંહ બાજવા અને અમરિંદર સિંહ રાજા વડિંગ સહિત અનેક દિગ્ગજ સામેલ થયા હતા. મળતી માહિતી અનુસાર, કોંગ્રેસની રાજ્ય ચૂંટણી સમિતિએ રાહુલ ગાંધીને અમેઠી અને પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ કર્યો છે. સમિતિએ આ પ્રસ્તાવ ચૂંટણી સમિતિને મોકલી દીધો હતો. ત્યારબાદ ચૂંટણી સમિતિએ અંતિમ નિર્ણય ગાંધી પરિવાર પર છોડી દીધો છે. આ બંને ચર્ચિત બેઠકો પર આજે કોંગ્રેસ ઉમેદવારોના નામનું એલાન કરી શકે છે.

ભારતને ઘેરવા ચીનની નવી ચાલ, સિયાચેન નજીક ચીને રસ્તો બનાવ્યો, સેટેલાઈટ તસવીરોએ પોલ ખોલી

Image
India China News | પૂર્વીય લદ્દાખમાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી ભારત સાથે ઘર્ષણમાં ઉતરેલા ચીનના કાવતરાંનો વધુ એક વખત પર્દાફાશ થઈ ગયો છે. ભારતને ઘેરવા માટે ચીને દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સીયાચેન નજીક ગેરકાયદે રીતે કબજો કરેલા કાશ્મીરમાં બાંધકામ શરૂ કરી દીધું છે. ચીન સીયાચેન ગ્લેશિયર નજીક કોંક્રિટનો રસ્તો બનાવી રહ્યું છે, જેનો ખુલાસો સેટેલાઈટ તસવીરોમાં થયો છે. સીયાચેન નજીક શક્સગામ ઘાટીમાં ચીન કોંક્રિટનો રસ્તો બનાવી રહ્યું છે. શક્સગામ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)નો ભાગ હતું, પરંતુ ૧૯૬૨માં પાકિસ્તાને આ વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. ચીન જે રસ્તો બનાવી રહ્યું છે તે તેને ઝિજિયાંગ પ્રાંતના હાઈવે નંબર જી-૨૧૯થી નીકળે છે અને અંદર પર્વતોમાં જઈને ખતમ થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ આ રસ્તો જ્યાં પૂરો થાય છે તે જગ્યા સીયાચેન ગ્લેશિયરમાં ઈન્દિરા કોલથી ૫૦ કિ.મી. દૂર છે. આ એ વિસ્તાર છે જ્યાં ભારતીય સૈન્ય પેટ્રોલિંગ કરે છે. માર્ચ મહિનામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં બે વખત પ્રવાસ કર્યો હતો. યુરોપીયન અવકાશ એજન્સી દ્વારા લેવાયેલી સેટેલાઈટ તસવીરો પરથી જાણવા મળે છે કે ચીન આ વિસ્તારમાં કો

‘કેજરીવાલને માત્ર સત્તાનો મોહ’ હાઈકોર્ટે બે લાખથી વધુ વિદ્યાર્થીઓના પુસ્તકો મામલે દિલ્હી સરકારને ઝાટકી

Image
Delhi High Court Strongly Reprimands Kejriwal Government  બે લાખથી વધુ વિદ્યાર્થીઓને પુસ્તકો આપવામાં નિષ્ફળ રહેતા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારનો ઉધડો લીધો છે. હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વવાળી દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીના નેતૃત્વ હેઠળની MCDની ઝાટકણી કાઢી કહ્યું કે, ‘દિલ્હી સરકારને માત્ર સત્તાનો ઉપયોગ કરવામાં રસ ધરાવે છે અને ધરપકડ છતાં રાજીનામું ન આપી અરવિંદ કેજરીવાલ વ્યક્તિગત હિતોને રાષ્ટ્રીય હિતોથી ઉપર રાખે છે.’ એમસીડી સ્કૂલ મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ બાર એન્ડ બેંચ વેબસાઈટના અહેવાલો મુજબ, દિલ્હી કોર્ટમાં દાખલ કરાયેલી એક PILમાં એમસીડીની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન મળી હોવાનો અને તેઓ ટિન શેડમાં ભણી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે, ત્યારે આ મામલે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ મનમીત પ્રીતમ સિંહની બેંચે સુનાવણી હાથ ધરી આ ટિપ્પણી કરી છે. એમસીડી કમિશનરે કોર્ટમાં શું કહ્યું? ઉલ્લેખનીય છે કે, અગાઉની સુનાવણીમાં કોર્ટની કાર્યવાહીમાં સામેલ થયેલા એમસીડી કમિશનરે કહ્યું હતું કે, નોટબુક, સ્ટેશનરી આઈટમ, ડ્રેસ અને સ્કૂલ બેગનું વિતરણ ન

VIDEO: ચૂંટણી પહેલા સંદેશખાલીમાં CBI-NSGની મોટી કાર્યવાહી, મમતા સરકારે તપાસ સુપ્રીમ કોર્ટમાં પડકારી

Image
CBI Raid in Sandeshkhali : લોકસભાની ચૂંટણી ટાણે પશ્ચિમ બંગાળ (West Bengal)ના સંદેશખાલી ફરી ચર્ચામાં આવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ આજે તપાસ કરવા માટે ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં એક ટીએમસી નેતાના સંબંધીના ઘરેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારુગોળો મળી આવ્યો છે. ત્યારબાદ એનએસજીની બૉમ્બ સ્ક્વોટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજીતરફ મમતા બેનરજી સરકારે (Mamata Banerjee Government) સીબીઆઈની કાર્યવાહી વિરુદ્ધ સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. મમતા સરકારે હાઈકોર્ટે સીબીઆઈને દરોડા પાડવાની મંજૂરી આપી હોવાના આદેશને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.આર.ગવાઈની ખંડપીઠે રાજ્ય સરકારની અરજી પર 29 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. સંદેશખાલીમાં પહેલી જૂને લોકસભા ચૂંટણી બશીરહાજ લોકસભા બેઠકમાં સામેલ સંદેશખાલીમાં પહેલી જૂને લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) યોજાવાની છે. ભાજપે આ બેઠક પર સંદેશખાલીની પીડિતા રેખા પાત્રને ઉમેદવાર બનાવ્યા છે. રેખા સંદેશખાલી કાંડના માસ્ટરમાઈન્ડ અને સસ્પેન્ડ કરાયેલા તૃણમૂલ નેતા શાહજહાં શેખ અને તેના ગુંડાઓથી ત્રસ્ત થયેલી પીડિતા છે. હાલ ત્રણેય આરોપીઓ શાહજહાં શેખ

ડોક્ટર્સે ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને અમેરિકી મહિલાનો જીવ બચાવ્યો

Image
- મેડિકલ સાયન્સ ક્ષેત્રે અભૂતપૂર્વક પ્રગતિ   - ન્યુજર્સીની મહિલાનું હાર્ટ અને કિડની છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયાં હતાં, હાર્ટ પમ્પિંગ ડિવાઈઝ લગાવ્યાં બાદ સર્જરી  ન્યુયોર્ક : હાર્ટ ફેલ્યોરનો સામનો કરી રહેલા દર્દીઓ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પાત્ર હોય છે. જ્યારે, કિડની ફેલ્યોરવાળા દર્દીઓ જો નસીબ હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પાત્ર થતાં હોય છે. પરંતુ, કિડની અને હાર્ટ એમ બંને ફેલ્યોરનો સામનો કરી રહેલા દર્દીઓ માટે આશા ધૂંધળી હોય છે કારણકે, બંને અંગો યોગ્ય સમયે પ્રાપ્ત કરવા મુશ્કેલ હોય છે. અમેરિકાથી સામે આવેલા મામલામાં બંને ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલી એક મહિલાને ડૂક્કરની કિડની અને હાર્ટ ડિવાઈઝ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ પહેલા અમેરિકાના એક પુરુષના શરીરમાં ડૂક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.  એક રિપોર્ટ મુજબ, અમેરિકાના ન્યુજર્સીની રહેવાસી ૫૪ વર્ષીય લિઝા પિસાનોનું હાર્ટ અને કિડની છેલ્લા સ્ટેજમાં પહોંચી ગઈ હતી. એનવાયયુ લેન્ગોન હેલ્થના ડોક્ટર્સે તેની સમસ્યાનું સમાધાન બે સ્ટેજમાં કરવાનું નક્કી કર્યું હતું. પહેલા લિઝાના હાર્ટમાં પમ્પિંગ ડિવાઈઝ લગાવવામાં આવ્યું હતું. આ પ્ર

દિલ્હીમાં 26 એપ્રિલે યોજાનારી મેયરની ચૂંટણી ટળી, હાલ ‘આપ’ના નેતા જ રાજધાનીના મેયર

Image
Delhi Mayor Election : રાજધાની દિલ્હીમાં આવતીકાલે 26 એપ્રિલે યોજાનારી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાલ ટળી ગઈ છે. ઉપરાજ્યપાલ સચિવાલયના સત્રોના જણાવ્યા મુજબ કાલે યોજાનાર મેયરની ચૂંટણી ટાળી દેવાઈ છે. વાસ્તવમાં પ્રિસાઇડિંગ ઓફિસર (Presiding Officer)ની નિમણૂક મામલે પેચ ફસાતા દિલ્હી નગર નિગમ (MCD)ના મેયરની ચૂંટણી રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીની ભલામણ જરૂરી સૂત્રોના જણાવ્યા મુજબ મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવા મુખ્યમંત્રી ભલામણ મોકલતા હોય છે, પરંતુ તેઓ હાલ જેલમાં બંધ છે. આવી સ્થિતિમાં ઉપરાજ્યપાલની કચેરીને પ્રિસાઇડિંગ ઓફિસરના નામનો પ્રસ્તાવ મળ્યો નથી. એવું કહેવાય છે કે, આ પરિસ્થિતિઓના કારણે ચૂંટણી ટાળવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. જ્યાં સુધી મેયરની ચૂંટણી નહીં યોજાય, ત્યાં સુધી વર્તમાન મેયર શૈલી ઓબેરૉય (Shelly Oberoi) જ કામકાજ સંભાળશે. ‘સરકારને પ્રિસાઇડિંગ ઓફિસરના નામની ફાઈલ મળી નથી’ દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે (Saurabh Bhardwaj) આ મુદ્દે કહ્યું હતું કે, દિલ્હીમાં આવતીકાલે મેયરની ચૂંટણી યોજાવાની છે, પરંતુ દિલ્હીની સરકારને હજુ સુધી પ્રિસાઇડિંગ ઓફિસરના નામન

બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત હીટવેવની આગાહી વચ્ચે શુક્રવારે મતદાન

Image
- 26 એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર ચૂંટણી - કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર, તેજસ્વી સૂર્યા,  હેમા માલિની, અરૂણ ગોવિલ, રાહુલ ગાંધી, શશી થરુર, એચ ડી કુમારસ્વામીનું ભાવિ નક્કી થશે - શુક્રવારે જે 89 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે તે પૈકી 2019માં એનડીએએ 56 અને યુપીએએ 24 બેઠકો જીતી હતી નવી દિલ્હી : ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૮૯ બેઠકો પર ૨૬ એપ્રિલે મતદાન થવાનું હોવાથી આજે સાંજે આ બેઠકો પર પ્રચાર સમાપ્ત થઇ ગયો હતો. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ગયા શુક્રવારે ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૬૫.૫ ટકા મતદાન થયું હતું. ૨૬ એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં કેરળની તમામ ૨૦ બેઠકો, કર્ણાટકની ૨૮માંથી ૧૪ બેઠકો, રાજસ્થાનની ૧૩ બેઠકો, મહારાષ્ટ્રની ૮ બેઠકો, ઉત્તર  પ્રદેશની ૮ બેઠકો, મધ્ય પ્રદેશની ૭ બેઠકો, આસામની ૫ બેઠકો, બિહારની ૫ બેઠકો, છત્તીસગઢની ૩ બેઠકો, પશ્ચિમ બંગાળની ૩ બેઠકો, મણિપુરની એક, ત્રિપુરાની એક તથા જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે. ૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં જે અગ્રણી નેતાઓનું

‘...તો અમે ઈઝરાયલનું નામોનિશાન મિટાવી દઈશું’, પાકિસ્તાનમાં ઈરાનના રાષ્ટ્રપતિની નેતન્યાહૂને ચેતવણી

Image
Ebrahim Raisi Visit to Pakistan : ઈઝરાયેલ સાથે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસ પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે ઈઝરાયેલને જાહેરમાં ચેતવણી આપતા કહ્યું કે, ‘ઈરાનની ધરતી પર કોઈપણ પ્રકારનો હુમલો કરાશે તો વર્તમાન સમયે ખતરનાક સ્થિતિ સર્જાશે. ઈરાને 13 એપ્રિલે ઈઝરાયેલ પર જવાબી હુમલો કરી સીરિયામાં ઈરાની દુતાવાસ પર થયેલા હુમલાનો બદલો લીધો છે. ઈઝરાયેલે દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર કરેલો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ હતો.’ ‘...તો અમે ઈઝરાયલનું નામોનિશાન મિટાવી દઈશું’ ઈરાની સમાચાર એજન્સી IRNAના જણાવ્યા મુજબ, રઈસે ઈઝરાયેલને ચેતવણી આપતા કહ્યું કે, ‘તે દમાસ્ક જેવી ભુલ ફરી ન કરે. જો ઈઝરાયેલ ઈરાન (Iran-Israel War) પર હુમલો કરશે તો અમે ઈઝરાયેલનું નામોનિશાન મિટાવી દઈશું.’ ઉલ્લેખનિય છે કે, સીરિયા (Syria)માં પહેલી એપ્રિલે ઈરાનના કોન્સુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈરાનના બે જનરલ સહિત કુલ 13 લોકોના મોત થયા હતા. રઈસે અમેરિકા-પશ્ચિમ દેશો પર સાધ્યુ નિશાન ઈઝરાયેલ અને પેલેસ્ટાઈ (Palestine)માં ચાલી રહેલા યુદ્ધ અંગે રઈસે કહ્યું કે, ‘ઈરાન અને પા

Phone Tapping Case : ‘ફડણવીસે ધરપકડના ડરથી શિવસેનાના ભાગલા પડાવ્યા’ સંજય રાઉતનો મોટો દાવો

Image
Phone Tapping Case : ‘ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે શિવસેના’ પાર્ટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર નિશાન સાધી મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ફડણવીસે કથિત ફોન ટેપિંગ કેસમાં ધરપકડ થવાના ડરથી શિવસેનાના ભાગલા પડાવ્યા છે. નવી સરકાર ભાજપના નેતાઓની તપાસ કરાશે તેમણે કહ્યું કે, ‘કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળની સરકાર લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) હારી જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, નવી સરકાર BJPના નેતાઓ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) વિરુદ્ધના અગાઉના બંધ કરાયેલા કેસોની તપાસ કરશે. રાજ્યમાં વર્ષ 2019થી 2022 સુધી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકાર સત્તામાં હતી. ત્યારે ભાજપ નેતાઓ પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ, આશીષ શેલાર, ગિરીશ મહાજન વિરુદ્ધ જુદા જુદા કેસોમાં તપાસ ચાલી રહી હતી.’ ‘ફડણવીસે ધરપકડના ડરના કારણે...’ તેમણે કહ્યું કે, ‘જો તમે અમારા નેતાઓની ધરપકડ કરો છો, તો શું અમે તમારી પાર્ટીના નેતાઓને જવા દઈશું. દેવેન્દ્ર ફડણવીસ પર વિરોધીઓનો ફોન ટેપ

PM મોદીના ‘સંપત્તિ’વાળા નિવેદન પર ભડકી કોંગ્રેસ, ફરિયાદ કરતા ચૂંટણી પંચે આપ્યો આ જવાબ

Image
Lok Sabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાજસ્થાન (Rajasthan)ના બાંસવાડામાં યોજાયેલી ચૂંટણી રેલીમાં ‘સંપત્તિ વહેંચણી’ મુદ્દે ટિપ્પણી કરતા કોંગ્રેસે (Congress) ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસની પ્રતિનિધિમંડળે સોમવારે ચૂંટણી પંચ સમક્ષ ગયું હતું અને વડાપ્રધાન પર હેટ સ્પીચનો આક્ષેપ કર્યો હતો. એવું કહેવાય છે કે, કોંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી પંચ વિચાર કરી રહી છે.  કોંગ્રેસે PM મોદી પર હેટ સ્પીચનો આક્ષેપ કર્યો સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે ફરિયાદમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ હેટ સ્પીચનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાને 21 એપ્રિલે ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસની સરકાર આવશે તો સંપત્તિ લઈ લેશે અને તેને વધુ બાળકો પેદા કરનારાઓ અને ઘૂસણખોરી કરનારાઓમાં વહેંચી દેશે.’ કોંગ્રેસે આ ટિપ્પણી મુદ્દે જ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. ‘વડાપ્રધાને કરેલી ટિપ્પણી દુર્ભાવનાપૂર્ણ-વિભાજનકારી’ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ‘વડાપ્રધાને કરેલી ટિપ્પણી દુર્ભાવનાપૂર્ણ અને વિભાજનકારી હતી. તેમણે ટિપ્પણી કરી એક વિશેષ ધાર્મિક સમાજને નિશાન બનાવ્યો છે. તેમણે આવી ટિપ્પણી કરી

સૌરાષ્ટ્ર-કચ્છનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું, આઠ બેઠકો માટે છ મહિલા સહિત 92 ઉમેદવારો મેદાનમાં

Image
Lok Sabha Elections 2024: સોમવારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો માટે હવે 92 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં માત્ર ભાવનગર બેઠક પર ભાજપ વિરૂધ્ધ આમ આદમી પાર્ટીનો જંગ થશે જ્યારે બાકીની તમામ 7 બેઠકો ઉપર  ભાજપ-કોગ્રેસ વચ્ચે સીધો જંગ થશે. આમ, પ્રથમવાર ઈન્ડિયા ગઠબંધન ચૂંટણી લડી રહી છે અને વર્ષો બાદ ફરી સૌરાષ્ટ્રાં દ્વિપાંખિયો ચૂંટણી જંગ નિશ્ચિત બન્યો છે. ગત ચૂંટણીમાં 130 સામે આ વર્ષે 38 ઓછા એટલેકે 92 ઉમેદવારો ચૂંટણી લડશે. છેલ્લી સ્થિતિ મૂજબ કોંગ્રેસના 7, ભાજપના 8, આમ આદમી પાર્ટીના 1, બસપાના 8 સહિત કૂલ 46 ઉમેદવારો રાજકીય પક્ષના તથા 46 અપક્ષ ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. કૂલ 92 ઉમેદવારોમાં માત્ર 6 મહિલા ઉમેદવારો છે.  આઠ બેઠકો ઉપર કૂલ 149  ઉમેદવારોએ નિયત સમયમાં ઉમેદવારીપત્રક રજૂ કર્યા હતા જેમાં 111 ફોર્મ માન્ય રહ્યા હતા અને 27 ફોર્મ રદ થયા હતા. જ્યાં ઉમેદવારીપત્રકમાં ક્ષતિઓ સામે ફરિયાદ થઈ હતી તે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું અને અમરેલીમાં જેનીબેન ઠુમ્મરનું ફોર્મ  પણ માન્ય રહ્યું હતું.  સોમવારે રાજકોટમાં ઉમેદવારી પત્રક મા

લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં યોજાશે ‘અનંત-રાધિકાનાં લગ્ન’, નીતા અંબાણીએ શરૂ કરી તૈયારી

Image
Anant Ambani And Radhika Merchant Wedding : તાજેતરમાં જ ગુજરાતના જામનગરમાં એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટનો ભવ્યાતિભવ્ય પ્રિ-વેન્ડિંગ સમારોહ યોજાયો હતો, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, બોલિવૂડ-હોલિવૂડ સ્ટાર્સ, ખેલજગતથી લઈને મોટા રાજકારણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંબાણી પરિવારનો આ કાર્યક્રમ માત્ર દેશમાં જ નહીં વિશ્વભરમાં પણ છવાયો હતો. અનંત અને રાધિકા 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાવાના છે અને હવે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવાી છે, ત્યારે હવે અનંત-રાધિકાના લગ્ન અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. નીતા અંબાણીએ અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓ શરૂ કરી મીડિયા અહેવાલોમાં જણાવ્યા મુજબ અનંત અને રાધિકાના લગ્ન લંડન (London) સ્થિત અંબાણી પરિવારના સ્ટોક પાર્ક એસ્ટેટ (Stoke Park Estate)માં યોજાશે. એવું કહેવાય છે કે, જે રીતે ગુજરાતના જામનગરમાં પ્રિ-વેન્ડિંગની ધમાકેદાર ઉજવણી કરાઈ હતી, તેવી જ રીતે લંડનમાં લગ્ન સમારંભ યોજાશે. બંનેના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે અને નીતા અંબાણી (Nita Ambani) તમામ એક-એક બાબત પર નજર રાખી રહ્યા છે.  300 એકરમાં ફેલાયેલું છ

કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી, બિહારના પાંચ અને પંજાબના બે ઉમેદવારોને ટિકિટ આપી

Image
Lok Sabha Elections 2024 : કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરાઈ છે. જેમાં બિહારના પાંચ અને પંજાબના બે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. પંજાબમાં કોંગ્રેસે હોશિયારપુર બેઠકથી યામિની ગોમર અને ફરીકોટ બેઠકથી અમરજીત કૌર સાહોકેને ટિકિટ આપી છે. ગઈકાલે (21 એપ્રિલ) 11 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત કોંગ્રેસે 21 એપ્રિલે આંધ્ર પ્રદેશ અને ઝારખંડ માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં નવ બેઠક અને ઝારખંડમાં બે બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ સાથે કોંગ્રેસે ઝારખંડની ગોડ્ડા લોકસભા બેઠક પરથી ઉમેદવાર બદલ્યા છે. પાર્ટીએ દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને પોતાના ઉમેદવાર જાહેર કર્યા. Congress releases list of Lok Sabha Candidates for Andhra Pradesh and Jharkhand. Congress declares Pradeep Yadav as its candidate for Jharkhand's Godda in place of Deepika Singh Pandey pic.twitter.com/vo5VhDhOGV — ANI (@ANI) April 21, 2024

ક્ષત્રિય આંદોલનની આગ અન્ય રાજ્યો સુધી ફેલાશે, ભાજપના વિરોધમાં 24મીથી ગુજરાતમાં ધર્મ રથયાત્રા

Image
Lok Sabha Elections 2024 | પરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય આંદોલન પાર્ટ-રનો શરૂ થઈ ચૂક્યુ છે. અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય કોર કમિટીની એક બેઠક મળી હતી જેમાં માલધારી સહિત અન્ય સમાજના પ્રતિનિધીઓએ હાજરી આપી ક્ષત્રિયોની લડાઈને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત તા.24મીથી આખાય ગુજરાતમાં ક્ષત્રિયોની ધર્મ રથયાત્રાનો પ્રારંભ થશે જેમાં મતદારોને ભાજપને મત નહી આપવા અપીલ કરવામાં આવશે. રુપાલાએ ટિપ્પણીને પગલે શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની આગ હવે અન્ય રાજ્યોમાં ફેલાઈ શકે છે. ક્ષત્રિય આંદોલનન પડઘા અન્ય રાજ્યોમાં પડી શકે છે. તેનું કારણ એ છે કે ક્ષત્રિય નેતાઓએ હવે અન્ય રાજ્યોના નેતાઓનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ કોઈપણ ભોગે રુપાલાની ટિકિટ રદ કરવાના મતમાં નથી ત્યારે ક્ષત્રિયોએ પણ પીછેહટના મૂડમાં નથી. ગઈકાલે અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય કોર કમિટીની બેઠકમાં માલધારી, મોરેસલામ ગરાસિયા, રાજસ્થાન રાજપૂત સમાજ, કાઠી દરબાર ઉપરાંત અન્ય સંસ્થાઓના આગેવાનોએ હાજરી આપી હતી. એટલુ જ નહીં, ક્ષત્રિયોની લડાઈમાં પૂરેપુરો સહકાર આપવાનું વચન આપ્યું હતું. અમદાવાદમાં રાજપૂતભવન ખા

ભારતવિરોધી મુઇજ્જુનું વર્ચસ્વ વધ્યું, માલદિવમાં રાષ્ટ્રપતિ બાદ સંસદની ચૂંટણી જીત્યાં, વિપક્ષની કારમી હાર

Image
Maldives News | માલદિવ્સની સંસદ મઝલિસ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારત વિરોધી અને ચીન સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના પક્ષ પીપલ્સ નેશનલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળી ગઇ છે. જ્યારે ભારત સમર્થક વિપક્ષ એમડીએફની હાર થઇ છે. મુઇઝ્ઝુના સત્તાધારી પક્ષે 93માંથી 90 બેઠકો પર ચૂંટણી લડી હતી. અને બહુમતનો આંકડો પણ પાર કરીને 60થી વધુ બેઠકો પર જીત પ્રાપ્ત કરી લીધી છે.   જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી અને ભારત સમર્થક માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) માત્ર ૧૨ જેટલી બેઠકો પર જ આગળ ચાલી રહી છે. આઠ બેઠકો પર અપક્ષ આગળ છે. ગયા વર્ષે મુઇઝ્ઝુ મોહમ્મદ સોલિહને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. સંસદમાં અત્યાર સુધી સોલિહના પક્ષને બહુમત હતી. જેને કારણે મુઇઝ્ઝુ માટે નવા બિલોને પસાર કરવા મુશ્કેલભર્યું સાબિત થઇ રહ્યું હતું. એવામાં ભારત વિરોધી મોટા નિર્ણયો લેવા કે બિલો પસાર કરવા માટે સંસદમાં બહુમત મેળવવી મુઇઝ્ઝુ માટે જરૂરી હતું.  માલદિવ્સની સંસદમાં કુલ 93 બેઠકો છે, 6 રાજકીય પક્ષો આ ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં ૩૬૮ ઉમેદવારો મેદાનમાં હતા. વસતી વધતા ગત સંસદની ચૂંટણી સમયે હતી તેના કરતા આ વખતે છ બેઠકો વધારવામાં આવી છે. લગભગ

પહેલીવાર અમેરિકાએ ઈઝરાયલ સામે કરી કાર્યવાહી, સૈન્ય યુનિટ પર પ્રતિબંધ મૂકતાં નેતન્યાહૂ અકળાયા

Image
Israel vs Hamas War Updates | ઈઝરાયેલે ઉત્તર અને દક્ષિણ ગાઝાને ખેદાન-મેદાન કરી નાંખ્યા પછી હવે વેસ્ટ બેન્ક પર હુમલા શરૂ કર્યા છે. આઈડીએફે વેસ્ટ બેન્કમાં તુલકર્મના નૂર શમ્સમાં હુમલો કરી મકાનોને કાટમાળમાં ફેરવી દીધા છે. વધુમાં આઈડીએફે દક્ષિણ ગાઝાના રફાહ શહેરમાં હુમલો કરતા ૧૮ બાળકો સહિત ૨૨ લોકોનો ભોગ લીધો હતો તેમજ શનિવારે વેસ્ટ-બેન્કમાં કત્લેઆમ મચાવી હતી. ઈઝરાયેલના સૈન્યના આ કૃત્યના વિરોધમાં અમેરિકાએ પહેલી વખત આઈડીએફના એક યુનિટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેથી ઈઝરાયેલને મોટો આંચકો લાગ્યો છે. ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ કહ્યું હતું કે તેમને આવા પ્રતિબંધની અપેક્ષા નહોતી. ઈઝરાયેલે દક્ષિણ ગાઝામાં આવેલા રફાહ શહેરમાં હુમલો કરતા ૧૮ બાળકો સહિત ૨૨ લોકોનાં મોત નીપજ્યાં છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ઈઝરાયેલના સૈન્યે ગાઝા પટ્ટીની સાથે હવે વેસ્ટ બેન્કમાં હુમલા કરતા ૧૪ નાગરિકોને મારી નાંખ્યા છે. વધુમાં તેના આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. એટલું જ નહીં અનેક નાગરિકોની ધરપકડ કરીને તેમની સાથે લઈ ગયા છે. અન્ય એક હુમલામાં ઈઝરાયેલના સૈન્યે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરની છાતીમાં એવા સમયે ગોળી મારી જ્યાર

‘જે લોકો મેદાન છોડીને ભાગ્યા હતા, તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા’, PM મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

Image
Lok Sabha Elections 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (21મી એપ્રિલ) રાજસ્થાનના જાલોરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'જેઓ ચૂંટણી લડી શકતા નથી, ચૂંટણી જીતી શકતા નથી તેઓ મેદાન છોડીને ભાગ્યા હતા. આ વખતે તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા છે. કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ છે.' નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પણ રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયેલા સાંસદોમાં સામેલ છે. अस्थिरता की प्रतीक कांग्रेस ने परिवारवाद और भ्रष्टाचार का दीमक फैलाकर देश को खोखला कर दिया। इसलिए आज देश का युवा बेहद गुस्से में है और कांग्रेस का मुंह तक नहीं देखना चाहता। pic.twitter.com/wmCstMJWUP — Narendra Modi (@narendramodi) April 21, 2024 દેશ કોંગ્રેસને તેમના પાપોની સજા આપે છે: પીએમ મોદી કોંગ્રેસ પર પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'દેશ કોંગ્રેસને તેમના પાપોની સજા આપી રહ્યો છે અને જે પાર્ટી એક સમયે 400 સીટો જીતી હતી તે આ લોકસભા ચૂંટણીમાં 300 બેઠક પર ચૂંટણી લડવા અસમર્થ છે. પહે

'બાળકોના રમકડાં જેવા શસ્ત્રો વડે હુમલો કરાયો..' ઈઝરાયલે બદલો લેવા કરેલા હુમલાની ઈરાને ઠેકડી ઉડાડી

Image
તહેરાન,21 એપ્રિલ,૨૦૨૪,રવીવાર ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે દુશ્મની વધતી જાય છે. સીરિયામાં ઇરાનના વાણીજય દુતાવાસ પર ૧ એપ્રિલના રોજ ઇઝરાયેલે હુમલો કરતા વિસ્ફોટ પરિસ્થિતિ ઉભી થઇ છે. ઇરાને ૧૩ એપ્રિલના રોજ ઇઝરાયેલ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરીને બદલો લીધો હતો. ઇઝરાયેલ પણ ઇરાનના વળતો હુમલો કરતા હુમલા અને પ્રતિ હુમલાનો સિલસિલો શરુ થયો છે. ઇરાનના વિદેશમંત્રી હોસેન અમીરાબ્દુલ્લાહિયન કહયું હતું કે જો ઇઝરાયેલ જવાબી કાર્યવાહી કરીને ઇરાનના હિતોની વિરુધ પગલા ભર્યા તો તહેરાનની હવે પછીની પ્રતિક્રિયા મેકિસમમ લેવલ પરની હશે. ઇઝરાયેલના દુસાહસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. વિદેશમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ઇરાન પર તાજેતરમાં થયેલા હુમલાની તપાસ કરી રહયા છીએ જો કે હજુ તેનો ઇઝરાયેલ સાથેનો સંબંધ સાબીત થયો નથી. ઇરાનના વિદેશમંત્રીએ ચોખવટ કરી હતી કે ડ્રોને ઇરાનની અંદરથી જ ઉડાણભરી હતી અને તે ફેંકવામાં આવે તે પહેલા ૧૦૦ મીટર જેટલી ઉડાણભરી હતી. આ શસ્ત્રો તો રમકડા જેવા હતા જેનાથી અમારા બાળકો રમે છે. ઇરાને ઇઝરાયેલ તરફથી ડ્રોન હુમલા સામે વાયુસેના, હવાઇઅડ્ડા અને પરમાણુ સ્થળના રક્ષણ માટે એર ડિફેન્સ સિસ્ટમ એકિટવ કરી છે. ઇર

કર્ણાટકમાં કોંગ્રેસના કોર્પોરેટરની પુત્રીની લવજેહાદમાં હત્યાથી ચકચાર

Image
- નેહાએ લગ્નની પ્રપોઝલ ફગાવતા ફયાઝે કોલેજ કેમ્પસમાં જ ચાકુના સાત ઘા માર્યા - આ લવ જેહાદ નથી તો શું છે? તેને ધમકીઓ અપાતી હતી, માત્ર રાજ્ય જ નહીં આખા દેશમાં લવજેહાદ ચાલે છે : પિતા નિરંજન - લેવજેહાદનો મુદ્દો ઉઠાવતા હિન્દુ સંગઠનોના રાજ્યભરમાં ઉગ્ર દેખાવો - કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રીએ લવજેહાદનો દાવો ફગાવ્યો, કહ્યું - અંગત કારણોસર નેહાની હત્યા કરાઈ હુબલી : કર્ણાટકમાં કોંગ્રેસના રાજમાં હુબલમીમાં કોંગ્રેસના જ કોર્પોરેટર નિરંજન હિરેમથની પુત્રી નેહાની ગુરુવારે બીવીબી કોલેજના કેમ્પસની અંદર ધોળા દિવસે હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. એમસીએ ડ્રોપઆઉટ ફયાઝ નામના યુવકે બીવીબી કોલેજમાં એમસીએનો અભ્યાસ કરતી નેહાને ગુરુવારે ધોળા દિવસે ચાકુના સાત ઘા મારી મારી નાંખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. નેહાની હત્યાના પગલે હિન્દુ સંગઠનોએ રાજ્યમાં ફરી એક વખત લવજેહાદનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લવજેહાદ નહીં પરંતુ અંગત કારણોસર નેહાની હત્યા કરાઈ હોવાનો દાવો કર્યો હતો. ત્યાર પછી નેહાના પિતા અને કોંગ્રેસ કોર્પોરેટર નિરંજન હિરેમથે લવજેહાદમાં જ તેની પુત્રીની હત્યા કરાઈ હોવાનો દા

ઉત્તર પ્રદેશમાં મુરાદાબાદના ભાજપ ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન, આ બેઠક પર 19 એપ્રિલે જ થયું હતું મતદાન

Image
Kunwar Sarvesh Singh Passes Away : ભાજપના મુરાદાબાદ લોકસભા સીટના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન થયું છે. તેમણે 71 વર્ષની વયે આજે સાંજે 6:30 વાગ્યે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભાજપે કેન્સર પીડિત કુંવર સર્વેશને ટિકિટ આપી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ આ બેઠક પર શુક્રવારે 19 એપ્રિલે મતદાન થયું હતું.  ભાજપે કુંવર સર્વેશ સિંહ ચોથી વખત ટિકિટ આપી હતી BJPએ સર્વેશ સિંહને મુરાદાબાદ (Moradabad) લોકસભા સીટ પરથી ચોથી વખત ઉમેદવાર બનાવ્યા હતા. 2009માં તેઓ પૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીન સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા, ત્યારબાદ 2014માં તેમણે સપાના ઉમેદવાર ડૉ.એસ.ટી. હસનને હરાવ્યા હતા. આ પછી તેમણે 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.  કુંવર સર્વેશ કુમાર લાઉડસ્પીકર વિવાદથી ચર્ચામાં આવ્યા વ્યવસાયે વેપારી કુંવર સર્વેશ કુમાર ઉત્તર પ્રદેશના શક્તિશાળી નેતાઓમાંના એક મનાતા હતા. 2014માં સર્વેશ સિંહ મુરાદાબાદથી સાંસદ બન્યા હતા. સાંસદ બનતા પહેલા તેઓ ઠાકુરદ્વારા વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય ચૂંટાયા હતા. સર્વેશ કુમાર 2014માં કાંઠ વિધાનસભા ક્ષેત્રમાં

દોઢ કલાકનું અંતર હવે ફક્ત 7 મિનિટમાં કપાશે, આવી રહી છે એર ટેક્સી, જાણો કેટલો ખર્ચ થશે

Image
નવી દિલ્હી : ભારતમાં ૨૦૨૬ સુધીમાં પહેલી ઈલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ થઈ શકે છે. ભારતીય એરલાઈન્સ ઈન્ડિગોની કંપની ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝ અને અમેરિકાની આર્ચર એવિએશને દેશભરમાં એર ટેક્સી સર્વિસ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. દિલ્હીથી કારમાં મુસાફરી કરીને ગુરુગ્રામ પહોંચતા સામાન્ય રીતે ૯૦ મિનિટનો સમય લાગે છે ત્યારે, આ એર ટેક્સી ફક્ત ૭ મિનિટમાં પહોંચાડવાનો દાવો કરી રહી છે. બંને કંપનીઓએ ભારતમાં ફૂલ-ઈલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ કરવા માટે ૨૦૨૩માં સમજૂતી કરાર કર્યા હતાં.    અમેરિકાની આર્ચર એવિએશન, ઈન્ટરગ્લોબ એન્ટપ્રાઈઝને ૨૦૦ 'ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ' એરક્રાફ્ટ પૂરા પાડશે.દિલ્હીના કનોટ પ્લેસથી હરિયાણાના ગુરુગ્રામ પહોંચાડવા માટે કંપની રૂપિયા ૨,૦૦૦ થી ૩,૦૦૦નું ભાડું વસૂલી શકે છે. જ્યારે, કારમાં ૯૦ મિનિટની યાત્રાનો ખર્ચ રૂપિયા ૧,૫૦૦ આવે છે. દિલ્હી સિવાય એર ટેક્સી મુંબઈ અને બેંગલુરુમાં પણ સેવા આપશે.  આ એરક્રાફ્ટ પાયલોટની સાથે ચાર પેસેન્જરને લઈ જઈ શકવાની ક્ષમતા ધરાવે છે. કહેવાતું એરક્રાફ્ટ હેલિકોપ્ટરની જેમ જ કામ કરે છે. પરંતુ, હેલિકોપ્ટર કરતાં અવાજ ઓછો કરે છે. તેમાં, મુસાફરો

ગુજરાત સહિત 23 રાજ્યોના 150 જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ

Image
- દુષ્કાળ જેવી સ્થિતિ વાળા જિલ્લાઓમાં આ વર્ષે 279 ટકાનો વધારો - રેકોર્ડબ્રેક ગરમીની શક્યતા, આઠ રાજ્યોમાં પાંચ દિવસ સુધી હીટવેવ, બંગાળમાં 22મીથી સ્કૂલોમાં રજા નવી દિલ્હી : આ ઉનાળામાં તાપમાનનો પારો તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. અનેક રાજ્યોમાં હીટવેવ શરૂ થઇ ગઇ છે, દેશના મોટાભાગના વિસ્તારો હાલ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે ૧૪થી ૧૦ એપ્રીલ વચ્ચે આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ દેશના ૧૨૫ જિલ્લાઓ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે આ આંકડો માત્ર ૩૩ હતો, એટલે કે દુષ્કાળનો સામનો કરી રહેલા જિલ્લાઓમાં આ ઉનાળામાં અગાઉના ઉનાળાની સરખામણીએ ૨૭૯ ટકાનો વધારો જોવા મળ્યો છે.  આશરે ૨૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ૧૨૫ જિલ્લા સુધી દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ આ આંકડા જોવા મળી રહ્યા  છે જેથી આગામી દિવસોમાં કફોડી સ્થિતિનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. જે રાજ્યોના જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે તેમાં ગુજરાત, આંધ્ર, અરુણાચલ, હરિયાણા, હિમાચલ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, તામિલનાડુના વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે. એટલે ક

102 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ, જાણો પ્રથમ તબક્કામાં રાજકીય જાહેરાતો પર કયા પક્ષે કેટલો ખર્ચ કર્યો?

Image
Lok Sabha Elections 2024 : દેશના 21 રાજ્યોમાં 102 બેઠકો પર આજે લોકસભા ચૂંટણીનું પ્રણમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. વિવિધ રાજકીય પક્ષોએ પ્રથમ તબક્કાની ચૂંટણી દરમિયાન પોતાના ચૂંટણી એજન્ડા, યોજનાઓ, મેનીફેસ્ટો અને ઉપલબ્ધિઓના પ્રચાર માટે 36.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. મોટાભાગના પક્ષોએ પોતાના પ્રચાર-પ્રસાર માટે મુખ્યત્વે ગૂગલ અને મેટાનો સહારો લીધો છે. તેના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે, કોંગ્રેસે નબળી શરૂઆત કરી, પરંતુ બાદમાં જાહેરાત ખર્ચ મામલે તે ભાજપથી પણ પાછળ રહી નથી. ભાજપે ગૂગલ જાહેરાત પર 14.7 કરોડ રૂપિયા ખર્ચ કર્યો BJPએ ગૂગલ જાહેરાત પર 14.7 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, જ્યારે કોંગ્રેસે ગૂગલ પ્લેટફોર્મ પર 15 માર્ચથી 13 એપ્રિલ દરમિયાન 12.3 કરોડ રૂપિયા પ્રચારમાં લગાવ્યા છે. કોંગ્રેસની સહયોગી પાર્ટી DMKએ ગૂગલ જાહેરાત પર 21.1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ભાજપે સૌથી વધુ ગૂગલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેમાં તેણે કુલ જાહેરાતનો 81 ટકા હિસ્સો ખર્ચ કરી નાખ્યો છે. જ્યારે કોંગ્રેસે કુલ જાહેરાત ખર્ચમાંથી 78 ટકા હિસ્સો ગૂગલ પર ખર્ચ કર્યો છે. મેટાની ‘પૉલિટિક્સ એડવર્ટાઈઝર્સ’ BJD-TDP છવાયા જ્યાર

છત્તીસગઢમાં સ્પેશિયલ ઓપરેશનઃ એક વર્ષમાં 80 નક્સલ ઠાર, 125ની ધરપકડ અને 150નું આત્મસમર્પણ

Image
Special Operation in Chhattisgarh: છત્તીસગઢમાં નક્સલવાદનો ખાતમો કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં વર્ષે 2024માં અત્યાર સુધીમાં 80 નક્સલીઓ માર્યા ગયા છે અને 125થી વધુની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 150 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. બે દિવસ પહેલા જ સુરક્ષાદળો સાથેની અથડામણમાં 29 નક્સલીઓ ઠાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર, 2004-14ની સરખામણીમાં 2014-23માં દેશમાં ઉગ્રવાદને લગતી હિંસામાં 52 ટકાનો ઘટાડો થયો છે.  નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન છત્તીસગઢમાં નવી સરકારની રચના સાથે જ નક્સલીઓ સામે સ્પેશિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2023માં નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ચલાવવાનો આદેશ આપ્યો હતો. એક વિશેષ સમિતિ પણ બનાવવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બીએસએફ, ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર જનરલ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 16મી એપ્રિલે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે

અમેરિકામાં વધુ એક ભારતીયનું મોત, ગેરકાયદે ઘૂસણખોરી મામલે પકડાતાં ડિપોર્ટ થવાના હતા

Image
Image : IANS Indian Died in US News | અમેરિકાથી ફરી એકવાર હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે ઘૂસણખોરી મામલે પકડાયેલા એક 57 વર્ષીય ભારતીયનું મોત નીપજતાં ખળભળાટ મચી ગયો છે. એટલાન્ટાની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.  મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી..  અત્યાર સુધીની માહિતી અનુસાર તેમને ફરી વતન ડિપોર્ટ કરવાની તૈયારી ચાલી રહી હતી. ફેડરલ ઓથોરિટીએ આ માહિતી આપી હતી. મૃતકની ઓળખ 57 વર્ષીય જસપાલ સિંહ તરીકે થઇ છે. જેના વિશે ન્યુયોર્કમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે માહિતી આપી હતી.  અમેરિકાના ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગે જણાવ્યું કે પીડિતના પરિજનોને જાણ કરી દેવામાં આવી છે.  મૃત્યુનું કારણ જાણવા રિપોર્ટ કરાયા  માહિતી અનુસાર જસપાલ સિંહનું મૃત્યુ 15 એપ્રિલના રોજ થયું હતું. જોકે તેમના મૃત્યુનું કારણ જાણવા માટે ઓટોપ્સી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. સિંહ એક ભારતીય નાગરિક હતા અને તેઓ 25 ઓક્ટોબર 1992માં અમેરિકા ગેરકાયદે રીતે આવ્યા હતા.  ફરી ઘૂસણખોરી કરતાં પકડાયા હતા  21 જાન્યુઆરી 1998ના રોજ ઈમિગ્રેશન જજે આદેશ આપ્યો

પીવાના પાણી માટે વલખા મારતા આરબ દેશોમાં એક જ દિવસમાં બે વર્ષનો વરસાદ વરસી ગયો

Image
- વાવાઝોડાં માટે ક્લાઉડ સીડિંગ સામે પણ આંગળી ચીંધાઇ - અરેબિયન દ્વીપકલ્પ પરની સિસ્ટમે યુએઇથી શરુ કરીને  ઓમાન, સાઉદી, અને બહેરીન સુધીના વિસ્તારને ધમરોળી નાખ્યા - લાર્જ સ્ટોર્મ સિસ્ટમના લીધે દુબઈ અને ઓમાનમાં ભારે વરસાદ ખાબક્યો દુબઈ,મસ્કત : મંગળવારે દુબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું.રણપ્રદેશમાં બે વર્ષમાં આવે તેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતા ચોમેર પાણી-પાણી હતુ. દુબઈ એરપોર્ટ અડધો કલાક બંધ રાખવુ પડયું હતું. સીએનએનના જણાવ્યા મુજબ અરેબિયન પેનિનસ્યુલા પર સર્જાયેલા લાર્જ સ્ટોર્મ સિસ્ટમ અરેબિયન પેનિનસ્યુલા પરથી ગલ્ફ ઓફ ઓમાન અને દક્ષિણ ઇરાન તરફ જતાં ભારે વર્ષા થઈ હતી.  તેના લીધે યુએઈ અને ઓમાનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડયો હતો અને મોટરો પણ ડૂબી ગઈ હતી. મોટા વાહનો સ્થગિત કરી દેવા પડયા હતા. દુબઈના મેટ્રો સ્ટેશનમાં પાણી ઘૂસી ગયા હતા.  વાસ્તવમાં સોમવારે મોડી રાતથી જ ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો અને મંગળવારે તે ઘણો વધી ગયો હતો. દિવસનાં અંતે તે ૧૪૨ મીમી (૫.૫૯ ઈંચ) જેટલો નોંધાયો હતો. વાસ્તવમાં દુબઈનો વાર્ષિક વરસાદ જ ૯૪.૭ મીમી. (૩.૩૭ ઈંચ) જેટલો છે. આના લીધે  દુબઈમાં માર્ગો જળબંબાકાર બન

100 સૌથી પ્રભાવશાળી લોકોની ટાઈમ મેગેઝિનની યાદી જાહેર, સાક્ષી મલિક, આલિયા સહિત 'મૂળ ગુજરાતી' પણ સામેલ

Image
100 Most Influential People :  જાણિતા 'ટાઈમ' મેગેઝિનની બુધવારે જાહેર દુનિયાના   100 સૌથી પ્રભાવશાળી લોકો ની યાદી જાહેર કરાઈ છે. જેમાં ઓલમ્પિક મેડલ વિજેતા ભારતીય પહેલવાન સાક્ષી મલિકને પણ ટાઈમ મેગેઝિને 2024ના 100 સૌથી પ્રભાવશાળી લોકો માં સામેલ કર્યા છે. આ સિવાય ભારતીયોમાં   વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા, બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, એક્ટર દેવ પટેલ, પ્રિયંવદા નટરાજન, ભારતીય મૂળના રેસ્ટોરાં માલિક અસ્મા ખાન સામેલ છે. આ યાદીમાં રશિયન વિપક્ષ નેતા એલેક્સ નવલનીની વિધવા યૂલિયા નવલનાયા પણ સામેલ છે. જિગર શાહ છે મૂળ ગુજરાતી ટાઈમના 2024ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ગુજરાતમાં જન્મેલા અને અમેરિકન ઉર્જા વિભાગના ડિરેક્ટર જિગર શાહ પણ આ યાદીમાં સામેલ છે. તેમનો જન્મ ગુજરાતના મોડાસામાં થયો હતો. તેઓ એક વર્ષના હતા ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે અમેરિકા ચાલ્યા ગયા હતા.  સાક્ષી મલિકે બૃજભૂષણ સામે આપી હતી લડત કુશ્તીમાં ભારતની એકમાત્ર મહિલા ઓલમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકને ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા પહેલવાનોના કથિત યૌન

યુએઇ સહિતના મધ્યપૂર્વના દેશોમાં આકાશથી આફત વરસી, ઓમાનમાં પૂરથી 18 લોકોનાં મોત

Image
Dubai rain News |  યુનાઇટેડ આરબ અમીરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા દેશના ટોચના આઇવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેના લીધે સમગ્ર દુબઈમાં કેટલાય લોકોએ રસ્તા પર વાહનો છોડી દીધા હતા. જ્યારે ઓમાનમાં ભારે વરસાદના લીધે આવેલા પૂરનો મૃત્યુઆંક ૧૮નો થયો છે.  દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ પાણી ભરાયા છે. પ્લેનોએ રીતસરનું પાણીમાં લેન્ડિંગ કરવું પડી રહ્યું છે. દુબઈ એરપોર્ટને વિશ્વનું અત્યંત વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે. દુબઈની ગલીઓ પાણીથી ભરાયેલી છે. દુબઈના આકાશમા વીજળીના ચમકારા જોવા મળે છે અને વિશ્વના સૌથી ઊંચા બિલ્ડિંગ બુર્જ ખલીફા પર વારંવાર વીજળી ત્રાટકતી હોય તેવું જોવા મળે છે. ભારે વરસાદના લીધે સમગ્ર યુએઇની બધી સ્કૂલો બંધ રાખવાનીફરજ પડી છે. સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીઓએ પણ રિમોટ વર્કિંગ કરવુ પડયુ છે. કેટલાય લોકોએ ઘરની બહાર બિનજરુરી નીકળવાનું ટાળ્યું છે. ગલીઓ, રસ્તાઓ અને હાઇવે પાણીથી ભરાયેલા છે. દુબઈમાં વરસાદની સંભાવના નહીવત હોવાથી અહીં પૂરના પાણી માટે કોઈ જ આયોજન કરાયું નથી. આ બધી બાબતો હવે શહેરી આયોજનમાં નડી રહી છે.

બેલેટ પેપરથી મતદાનમાં પણ અનેક ખામીઓ છે : સુપ્રીમ

Image
- ઈવીએમ સાથે ચેડાંના આક્ષેપો મુદ્દે સુપ્રીમે આકરાં સવાલો પૂછ્યા - માનવીય દખલ થાય ત્યારે સમસ્યાઓ પેદા થાય છે, અન્યથા મશીન તમને એકદમ સચોટ પરિણામ આપે - બેલેટ પેપરથી મતદાન થતું હતું ત્યારની પરિસ્થિતિ તમે ભૂલ્યા હશો, અમને નહીં : ન્યાયાધીશ ખન્ના - આપણે કોઈકના પર તો વિશ્વાસ કરવો પડશે, સિસ્ટમ તોડી પાડવાનું કામ ના કરો : દિપાંકર દત્તા - કોણે કહ્યું મતદારોને ઈવીએમ પર વિશ્વાસ નથી : સુપ્રીમ નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિપક્ષ સતત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) સાથે સરકરાના ચેડાં અંગે આક્ષેપો કરી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈવીએમ અને વીવીપેટના સંદર્ભમાં વિપક્ષને અનેક આકરાં સવાલ પૂછ્યા હતા અને બેલેટ પેપરના ઉપયોગ અંગે થતી ગેરરીતિઓની પણ યાદ અપાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માનવીય દખલ થાય ત્યારે સમસ્યાઓ પેદા થાય છે. અન્યથા મશીન તમને એકદમ સચોટ પરિણામ આપે છે. ઈવીએમથી મતદાન દરમિયાન દરેક મતદારને વેરિફિકેશન માટે વીવીપેટ સ્લિપ મળવી જોઈએ તેવી માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્