ભાજપ તરફી ક્ષત્રિયોમાં નારાજગી વધી, રૂપાલાના વિરોધમાં ધડાધડ 7 હોદ્દેદારોએ રાજીનામાં ધર્યા


Lok Sabha Elections 2024 | નર્મદા જિલ્લામાં પણ પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે નર્મદા જિલ્લા રાજપૂત સમાજના ભાજપના 7 હોદ્દેદારો અને તેમના સમર્થનમાં એક બ્રાહ્મણ હોદ્દેદાર જિલ્લા કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા આપી દીધા હતાં.

પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા હવે આંદોલન પાર્ટ-૨નો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત ગામે ગામ ભાજપનો સમાજના લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં રાજપૂત સમાજના ભાજપના ૭ અને એક બ્રાહ્મણ હોદ્દેદારે કમલમ નર્મદા કાર્યાલય ખાતે પહોંચી જઈ જિલ્લા ભાજપ પ્રમુખને સામૂહિક રાજીનામા આપ્યા હતા. 

આ સમયે જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં રાજપૂત સમાજ ' અમારી સાથે જ રહેશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો