ગોદરેજનું વિભાજન, લિસ્ટેડ કંપની આદિ-નાદિરને જ્યારે અનલિસ્ટેડ જમશેદ-સ્મિતાને મળશે

Image : Internet

Godrej Family Split: ગોદરેજ પરિવાર સત્તાવાર રીતે વિભાજિત થઈ ગયો છે. દેશમાં 127 વર્ષ પહેલાં બિઝનેસનો પાયો નાખનાર ઉદ્યોગસાહસિક પરિવારના વારસદાર આદિ ગોદરેજ અને તેમના ભાઈને વિભાજન કરાર હેઠળ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ મળશે. તેના પિતરાઈ ભાઈઓ અને બહેનોના શેર અનલિસ્ટેડ કંપનીઓમાં આવશે.

વિભાજ પર હસ્તાક્ષર કર્યા બાદ નિવેદન જાહેર કર્યું

127 વર્ષ જૂનો ગોદરેજ પરિવાર હવે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. વિભાજન માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના અધિકારો મળ્યા છે. તેની પાંચ કંપનીઓ લિસ્ટેડ છે. જ્યારે આદિ ગોદરેજના પિતરાઈ ભાઈ-બહેન જમશેદ અને સ્મિતાને અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બૉયસની માલિકીનો હક મળશે. આ બંનેને ગોદરેજ એન્ડ બોયસ સાથે સંકળાયેલી કંપનીઓ સાથે મુંબઈમાં જમીન અને મહત્વની મિલકતનો મોટો પ્લોટ મળશે. નોંધનીય છે કે ગોદરેજ ગ્રુપનો બિઝનેસ સાબુ અને હોમ એપ્લાયન્સીસથી લઈને રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલો છે.

પરિવારની બે શાખાઓ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું

ગોદરેજ સમૂહ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જૂથને સ્થાપક પરિવારની બે શાખાઓ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં એક હિસ્સો 82 વર્ષના આદિ ગોદરેજ અને તેમના 73 વર્ષના ભાઈ નાદિરના ભાગે મળશે. જ્યારે બીજો હિસ્સો તેમના પિતરાઈ ભાઈ-બહેન 75 વર્ષીય જમશેદ ગોદરેજ અને 74 વર્ષીય સ્મિતા ગોદરેજ કૃષ્ણાને મળશે. ગોદરેજ પરિવારે વિભાજન પ્રક્રિયાને ગોદરેજ કંપનીઓમાં શેરધારકોના માલિકી હકોના પુનર્ગઠન તરીકે જણાવ્યું છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે બંને જૂથો ગોદરેજ બ્રાન્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. વિભાજન હોવા છતાં, બંને પક્ષો તેમના સમાન વારસાને વધારવા અને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો