નારાયણ સાંઈ સામે દુષ્કર્મ કેસના ફરિયાદી પર હુમલો કરનારા આરોપીની ધરપકડ : ગુજરાત ATSની કાર્યવાહી

અમદાવાદ, તા.12 માર્ચ-2023, રવિવાર

નારાયણ સાંઈ તેમજ આસારામ સામે દુષ્કર્મ સહિતની ફરિયાદો ચાલી રહી છે. નારાયણ વિરુદ્ધ દુષ્કર્મના કેસ નોંધાવનાર ફરિયાદ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમે બાતમીની આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો છે. દરમિયાન અગાઉ સુરતમાં આવેલા આસારામના આશ્રમમાંથી વાસુ નામના વ્યક્તિને ઝડપી પડાયો હતો તો બીજી તરફ હત્યાનો પ્રયાસ કરનાર આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર સાહુનું પણ નામ સામે આવ્યું હતું અને તે 2014થી ફરાર હતો.

શૈલેન્દ્ર સાહુએ ફરિયાદી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો

ગુજરાત એટીએસની ટીમે માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશના સુસનેરમાં આવેલા આશ્રમમાં આરોપી શૈલેન્દ્ર સાહુ ગૌસેવાનું કામ કરી રહ્યો છે અને તે ત્યાં જ રહ્યો હતો. આરોપી શૈલેન્દ્ર સાહુ મધ્યપ્રદેશના સાજાપુર જિલ્લાના અકોદીયા પો.સ્ટે. વિસ્તારમાં ચારો લેવા આવવાનો હોવાની એટીએસને બાતમી મળી હતી, જેના આધારે ગુજરાત એટીએસે આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધો હતો. ગુજરાત એટીએસ ટીમે 48 કલાક સુધી અકોદીયા વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી શૈલેન્દ્રને પકડી પાડ્યો હતો. 

આરોપી શૈલેન્દ્રને સુરત પોલીસને સોંપવાની કાર્યવાહી

પકડાયેલા આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર સાહુ BSC-BA સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે. હાલ આરોપી શૈલૈન્દ્રને સુરતના ખટોદરા પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી તેમજ આસારામ અને નારાયણ સામે થયેલા આરોપો આશ્રમના કેટલાક સાધનો કને સહન થયા ન હતા, જેના કારણે અનેક સાક્ષીઓ તેમજ ફરિયાદઓ પર હુમલા થવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે તે સમયે સુરતના એક ફરિયાદીએ નારાણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ફરિયાદી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો. 

નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાવનાર પર હુમલો

પકડાયેલ આરોપી શૈલેન્દ્ર શાહુની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, તે મૂળ ભોપાલ મધ્યપ્રદેશનો વતની છે અને અગાઉ વર્ષ 2014માં અમદાવાદ ખાતેના આસારામના મોટેરા સ્ટેડીયમ ખાતેના આશ્રમમાં રહેતો હતો અને સભા હોય ત્યાં તંબુ લગાવવાનું કામ સંભાળતો હતો. ફેબ્રુઆરી-2014માં નારાયણ સાંઈની વિરૂધ્ધમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર મહિલાના પતિ ઉપર શૈલેન્દ્ર સાહુએ તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાનું પણ કબુલ્યું છે. જે અંગે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપી શૈલેનદ્ર સાહુનું નામ ખુલવા પામ્યું હતું, જેથી આરોપી શૈલેન્દ્ર શાહુએ પોતાના કુટુંબના સભ્યો સાથે સંપર્ક છોડી દીધો હતો અને પોતાનું ઘર છોડી નાસતો ફરતો હતો. હાલ આરોપી શૈલૈન્દ્રને સુરતના ખટોદરા પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો