Posts

Showing posts from August, 2023

INDIA ગઠબંધન સંયુક્ત રોડમેપ પર આગળ વધશે, કોઓર્ડિનેશન કમિટી પર સહમતિ, સીટ વહેંચણી અંગે થઈ ચર્ચા

Image
image : IANS મુંબઈમાં INDIA (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ની બેઠકના પ્રથમ દિવસે ડીનર પર અનૌપચારિક ચર્ચા દરમિયાન ઘટક પક્ષોના ટોચના નેતાઓ વચ્ચેની મુલાકાતે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે ગઠબંધન હવે સંયુક્ત રૂપે 2024ની લડાઈમાં ઝંપલાવવા માટે સંયુક્ત રોડમેપ પર જ આગળ વધશે. ડીનર દરમિયાન INDIAની વ્યૂહરચનાનું સંચાલન કરવા કોઓર્ડિનેશન સમિતિના સભ્યોની રૂપરેખા લગભગ નક્કી કરવામાં આવી હતી. ગઠબંધનના પ્રતીક પર સર્વસંમતિ સધાઈ શુક્રવારે INDIAમાં સામેલ 28 પક્ષોની ઔપચારિક બેઠકમાં કોઓર્ડિનેશન સમિતિની રચનાને મંજૂરી આપવાની તૈયારીઓ કરી લેવામાં આવી. ગઠબંધનના લોગો પર પણ સહમતિ સધાઈ છે અને શુક્રવારે રિલીઝ થવાની શક્યતા છે. વિપક્ષના દિગ્ગજોએ કેટલાક પક્ષોના INDIAમાં જોડાવાની વિનંતીથી લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે સરકારના અચાનક પગલા સુધીની પ્રતિ-વ્યૂહરચના પર પણ ચર્ચા કરી. પ્રથમ દિવસે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી ભારત ગઠબંધનની બેઠકના પ્રથમ દિવસે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી ન હતી, પરંતુ હોટેલ ગ્રાન્ડ હયાતમાં રાત્રિભોજનની બેઠક પછી આપવામાં આવેલા સંકેતો પરથી સ્પષ્ટ થાય છે કે શુક્રવારે સત

ADITYA-L1 લોન્ચિંગનું કાઉન્ટડાઉન આજે થશે શરૂ, સૂર્ય મિશન અંગે ISRO ચીફે આપી માહિતી

Image
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સૂર્ય મિશન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું કે, ઈસરોની ટીમે લોન્ચિંગનું રિહર્સલ પૂર્ણ કરી લીધું છે. રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે. શુક્રવારે આપણે પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ કરવાનું છે.  ક્યારે ઉડાન ભરશે?  સૂર્યનો અભ્યાસ કરવા માટે, 'આદિત્ય-એલ1' મિશન 2 સપ્ટેમ્બરે રાત્રે 11:50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન દ્વારા ISRO એક વેધશાળા મોકલી રહ્યું છે, જે સૂર્યનો અભ્યાસ કરશે. ભારતનું પ્રથમ સૂર્યમિશન  આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન હશે. આદિત્ય-L1 અવકાશયાન સૂર્યના કોરોનાના દૂરસ્થ અવલોકનો માટે અને L1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનો વાસ્તવિક અભ્યાસ કરવા માટે બનાવાયો છે. આ સ્થળ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આ મિશનને લેગ્રાંગિયન પોઈન્ટ-1 (L1) સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે. લેગ્રાંગિયન પોઈન્ટ-1 એ એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે.

AIASL Recruitment 2023 For Handyman & Utility Agent Posts: Check Vacancies, Exam Date, Eligibility

AIASL Handyman Recruitment 2023: Air India Air Transport Services Limited (AIASL) has invited applications for the 998 Handyman and Utility Agent posts on the official website. Download pdf, eligibility, selection process and others. 

SSC MTS 2023 Exam Analysis: Paper Review, Difficulty Level, Questions Asked

SSC MTS 2023 Exam Analysis:  The Staff Selection Commission has begun conducting the SSC MTS Tier 1 exam from 01 to 14 September 2023. Check the detailed SSC MTS analysis here to know the exam pattern, difficulty level and important topics. Get to know the subject-wise SSC MTS Exam Analysis here for all days and shifts here.

TISS Recruitment 2023 For 113 Field Investigator & Other Posts: Check Eligibility And How To Apply

TISS Recruitment 2023: Tata Institute of Social Sciences (TISS) has invited application for the 113 Field Investigator & other posts on its official website-https://tiss.edu/. You can check notification pdf, eligibility, age limit and others here. 

સરકાર 'એક દેશ, એક ચૂંટણી' બિલ રજૂ કરે તેવી અટકળો

Image
- કેન્દ્ર સરકારે અચાનક સંસદનું 'વિશેષ સત્ર' બોલાવ્યું, 18થી 22મી વચ્ચે 5 બેઠકો થશે - વિશેષ સત્રનો એજન્ડા અસ્પષ્ટ, પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ અથવા મહિલા અનામત બિલ પણ રજૂ કરાય તેવી સંભાવના - આગામી સત્ર સંસદની નવી ઈમારતમાં યોજાવાની શક્યતા, નવ વર્ષમાં પહેલી વખત પૂર્ણ સ્તરનું વિશેષ સત્ર યોજાશે નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરુવારે ૧૮થી ૨૨ સપ્ટેમ્બર વચ્ચે પાંચ દિવસ માટે સંસદના 'વિશેષ સત્ર'ની જાહેરાત કરી છે. આ સત્રમાં પાંચ બેઠક યોજાશે. મોદી સરકારે નવ વર્ષના શાસનમાં પહેલી વખત પૂર્ણ સ્તરનું 'વિશેષ સત્ર' બોલાવતા રાજકીય વર્તૂળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેમજ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે ત્યારે આ વિશેષ સત્રમાં સરકાર 'એક દેશ-એક ચૂંટણી' અથવા 'સમાન નાગરિક સંહિતા' બિલ રજૂ કરે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. સરકારે વિશેષ સત્રના આયોજન માટે કોઈ એજન્ડા જાહેર કર્યો ન હોવાથી આ અટકળોને બળ મળ્યું છે. વિશેષ સત્ર નવા સંસદ ભવનમાં યોજવામાં આવે તેવી પણ સંભાવનાઓ છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ માઈક્રોબ્લોગિંગ પ્લ

UPSC CDS 2 Admit Card 2023: Download Hall Ticket upsconline.nic.in

UPSC CDS 2 Admit Card 2023 is available on the official website of Union Public Service Commission. Check Direct Link to CDS Exam Call Letter, Important Instructions, Exam Date and Other Details.

IBPS Clerk Current Affairs 2023: Download Daily, Weekly and Monthly GA Capsule PDF and Quiz

 IBPS Clerk Current Affairs 2023: Candidates who are preparing for the IBPS Clerk exam 2023 can check the latest daily, weekly and monthly current affairs capsule PDF for the banking and financial awareness section of the main exam. Check one-liner and solve the quiz

આજથી 'INDIA'ની ત્રીજી બેઠક, 28 પક્ષો મુંબઈમાં એકજૂટ, સંયોજકનું નામ ફાઈનલ થવાની શક્યતા

Image
image : Twitter 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને પડકારવા માટે રચાયેલા વિપક્ષી ગઠબંધન 'INDIA'ની બે દિવસીય બેઠક આજથી મુંબઈમાં યોજાશે. તેમાં  INDIAના સંયોજકનું નામ નક્કી કરવા ઉપરાંત, સંકલન સમિતિની રચના થવાની અપેક્ષા છે.  આ સાથે બેઠકમાં સીટોની વહેંચણી મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.  પીએમ પદના ચહેરા માટે ચર્ચાનો દોર શરૂ આ બેઠક પહેલા વિપક્ષી ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે પીએમ પદ માટે દાવો કરવા માટે સ્પર્ધા ચાલી રહી હતી. કોંગ્રેસ બાદ JDU અને તૃણમૂલ, સપા, શિવસેના-UBT અને આમ આદમી પાર્ટી (AAP)એ પણ PM પદ માટે દાવો કર્યો છે. જોકે, મહાગઠબંધનના મુખ્ય નેતાઓએ આ મુદ્દાને હાલ પૂરતો ટાળવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ AAPએ સ્પષ્ટતા કરી છે કે અરવિંદ કેજરીવાલની આવી કોઈ આકાંક્ષા નથી. તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પીએમ પદ સાથે જોડાયેલા પ્રશ્નોને ફગાવી દેતા કહ્યું કે ગઠબંધન જ પીએમ પદનો ચહેરો છે. બેઠકમાં 28 પક્ષો ભાગ લેશે વિપક્ષી એકતાની બેઠકમાં 28 પક્ષો ભાગ લેશે. બેઠકમાં મહાગઠબંધનના નેતા, સંયોજક અને સંકલન સમિતિ ઉપરાંત 'એક બેઠક

અમેરિકા પર 'ઈડલ્યા' વાવાઝોડું ત્રાટકવાનુંં જોખમ, ભારે વરસાદ શરૂ, 193 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

Image
ફ્લોરિડાના રહેવાસીઓ માટે મુશ્કેલીઓ ઓસરવાનું નામ લઈ રહી લાગતી નથી. મેક્સિકોનો ગરમ પ્રવાહ ફ્લોરિડા ભણી વહેતા હરિકેન ઇડલ્યા વધુ મજબૂત બન્યું છે અને ભારે વરસાદની સાથે જીવલેણ વાવાઝોડું ફૂંકાવવાની સંભાવના વધી ગઈ છે. ફક્ત અમેરિકા જ નહી ઇડલ્યાના લીધે ક્યુબામાં પણ સોમવાર અને મંગળવારે ભારે વરસાદ વરી ચૂક્યો છે.  ક્યુબામાં પડેલા ભારે વરસાદના લીધે ત્યાં તમાકુ પગવતો પ્રાંત પિનાર ડેલ રિયો પાણીની અંદર હતો અને કેટલાય રહેવાસીઓ વીજળી વગરના હતા. ઇડલ્યા મંગળવારે બપોરે કેટેગરી-ટુ સિસ્ટમ તરીકે મજબૂત બન્યું હતું. તેના લીધે મંગળવાર સાંજથી પ્રતિ કિ.મી. ૧૬૫ની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો છે.  હરિકેન બુધવારે સવારે ત્રાટકવાનો અંદાજ છે. આ સમયે વાવાઝોડનું પ્રતિ કલાક ૧૯૩ કિ.મી.ની ઝડપે બિગ બેન્ડ રિજયન વિસ્તારમાં ત્રાટકી શકે છે. તેના પરિણામે હજી ગયા વર્ષે આવેલા હરિકેન ઇયાનનો સામનો કરીને મોટાપાયા પર નુકસાન વેઠનારા રાજ્યને વધુ મોટો ફટકો પડશે.  તોલહેસીમાં નેશનલ વેધર સર્વિસે ઇડલ્યાને અચાનક જ ફૂટી નીકળેલા વાવાઝોડા તરીકે ગણાવ્યું છે, કારણ કે બિગ બેનો પછી કોઈપણ મોટા હરિકેન અખાતમાંથી પસાર થયા નથી. બીજી બાજુએ આઇલેન્ડ સેડર કીના ક

Life is Possible on Moon? Check What Miracle Chandrayaan-3 Rover Found

Chandrayaan-3 Updates: Explore the latest Chandrayaan 3 updates and the amazing discoveries made by the ISRO mission Chandrayaan 3 rover.

UPPSC PCS (J) Result 2023 Out: PDF Download Direct Link at uppsc.up.nic.in, Check Cut Off

UPPSC PCS (J) Result 2023: Uttar Pradesh Public Service Commission (UPPSC) has declared the Judicial Service (Civil Judge Junior Division) on its official website-uppsc.up.nic.in. You can download the pdf and other update here. 

ભારત માટે જોખમ વધ્યું : ડ્રેગને અક્સાઇ ચીનમાં અન્ડરગ્રાઉન્ડ બંકરો બનાવ્યા

Image
- અરુણાચલ અમારું, નક્શાનું ભારત ખોટું અર્થઘટન ના કરે : ચીનની શેખી - રફાલને કારણે ભારતીય એરફોર્સની તાકાત વધતા પોતાની સુરક્ષા માટે ચીન આ બંકરો બનાવી રહ્યું હોવાનું નિષ્ણાતોનું તારણ - લદ્દાખથી માત્ર 60 કિમી દૂર ચીનના કબજાવાળી ઘાટીમાં 11 સુરંગો જોવા મળી, સેટેલાઇટ તસવીરોમાં ઘટસ્ફોટ બેઇજિંગ : ચીને ભારતના અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર દર્શાવતો નક્શો જાહેર કર્યો છે, એવામાં હવે એક રિપોર્ટમાં સેટેલાઇટ તસવીરો સાથે દાવો કરવામાં આવ્યો છે કે ચીને પચાવી પાડેલા અક્સાઇ ચીનમાં અન્ડરગ્રાઉન્ડ બંકરો બનાવ્યા છે. જેને કારણે ભારતની મુશ્કેલી વધી શકે છે. લદ્દાખના ડેપસાંગથી માત્ર ૬૦ કિમી દૂર અક્સાઇ ચીનમાં ડ્રેગન પોતાના જવાનો અને યુદ્ધના હથિયારો માટે અન્ડર ગ્રાઉન્ડ બંકરો બનાવી રહ્યું છે. જે સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેમાં આ ખુલાસો થયો છે. તસવીરોમાં ભારતની સરહદ પાસે બંકરોનું બાંધકામ થઇ રહ્યું છે તે અને ચીની સૈનિકો પણ જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ભૂ-ગુપ્ત નિષ્ણાતોએ સેટેલાઇટ એજન્સી મેક્સર દ્વારા લેવામાં આવેલી સેટેલાઇટની તસવીરોને જાહેર કરી છે. નિષ્ણાતોએ આ સેટેલાઇટ તસવીરોના આધારે અક્સાઇ ચીનની ઘાટીમાં આશરે

આદિત્ય-એલ 1 અવકાશયાન સંપૂર્ણ સજ્જ : બીજી સપ્ટેમ્બરના લોન્ચ પહેલાં રિહર્સલ-રોકેટ પરીક્ષણ પૂરા

Image
- સૂર્યની અકળ-ભયાનક ગતિવિધિની પૃથ્વી પર થતી અસરનો અભ્યાસ થશે  - કુલ સાત વૈજ્ઞાનિક ઉપકરણ સાથે આદિત્ય-એલ 1 પૃથ્વીથી 15 લાખ કિ.મી.ના અંતરે લાગ્રાન્ગ પોઇન્ટ-1 પર જશે બેંગલુરુ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નાં સૂત્રોએ આજે એવી માહિતી  આપી હતી કે સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેના આદિત્ય -એલ૧ અવકાશયાનને સફળતાપૂર્વક તરતું મૂકવા માટે લોન્ચ રિહર્સલ (અવકાશયાનને તરતું મૂકતાં પહેલાંનો  ટેકનિકલ પૂર્વઅભ્યાસ) તથા રોકેટના આંતરિક પરીક્ષણની બધી પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. આદિત્ય-એલ ૧ અવકાશયાન ૨૦૨૩ની ૨, સપ્ટેમ્બરે બપોરે ૧૧:૫૦ વાગે પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ-સી ૫૭ (પીએસએલવી-સી ૫૭) દ્વારા શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂરના અંતરે આવેલા લાગ્રાન્ગ પોઇન્ટ-૧ પર જવા તરતું મૂકાશે.  સૂર્યની ગતિવિધિનો ગહન અભ્યાસ કરવાનો ભારતનો આ પ્રથમ પ્રયાસ છે.વળી, આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સ્વદેશી પણ છે.  ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી  હતી કે આદિત્ય - એલ ૧ નો હેતુ સૂર્યના ત્રણ હિસ્સા- ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, કોરોના (સૂર્યની બાહ્ય કિનારી)નો સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે. આ દ્રષ્ટિએ તો આદિત્ય-એલ

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને ચુંટણી ક્યારે ? સુપ્રીમના કેન્દ્રને વેધક સવાલ

Image
સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચ કલમ 370 નાબૂદ કરવા અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજનને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે. 12મા દિવસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવશે અને ચૂંટણી ક્યારે થશે? કેન્દ્રએ જવાબમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો કાયમી નથી. 31 ઓગસ્ટના રોજ, સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જાના ભાવિ પર વિગતવાર નિવેદન આપશે. કેન્દ્રનો જવાબ સોલિસિટર જનરલ તુષાર મહેતાનું કહેવું છે કે જ્યારે સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્ય બનાવવામાં આવશે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે, ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે, જ્યારે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે 31 ઓગસ્ટના રોજ ઉચ્ચ સ્તરની બેઠક પછી નક્કર પગલાં લેવામાં આવી શકે છે.  જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે યોજાશે?  મહેતાની રજૂઆતની નોંધ લેતા ખંડપી

JKPSC CCE Exam Date 2023 Out: Download Combined Comp Prelims Schedule, Pattern and Others 

JKPSC CCE Exam Date 2023 Out: The Jammu & Kashmir Public Service Commission (JKPSC) has uploaded the prelims exam schedule for Combined Comp. Exam (CCE) on its official website hpsc.gov.in. Check schedule download link, exam pattern and others. 

એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 200નો ઘટાડો

Image
- સરકારની ગીફ્ટથી દેશમાં તહેવારની મોસમમાં બહેનોને રાહત મળશે: મોદી - ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લાભાર્થીઓ માટે ભાવમાં કુલ રૂ. 400નો ઘટાડો: કુલ 33 કરોડ એલપીજી ગ્રાહકોને લાભ નવી દિલ્હી : દેશમાં વધતી મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે રક્ષાબંધનથી તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં કેન્દ્ર સરકારે મંગળવારે રાંધણ ગેસના ભાવમાં રૂ. ૨૦૦નો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે દેશની બધી જ મહિલાઓને આ વિશેષ ભેટ આપી છે. આ સિવાય મોદી સરકારે ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને પણ રૂ. ૨૦૦ની વધારાની છૂટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાંધણ ગેસમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૨૦૦નો ઘટાડો કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, રક્ષાબંધનના તહેવાર પહેલાં આ ઘટાડો બહેનોને જીવનમાં વધુ રાહત આપશે. કેન્દ્ર સરકારે મંગળવારે રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૨૦૦નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયનો અમલ બુધવારે રક્ષાબંધનના દિવસથી જ થઈ જશે, જેને પગલે હવે નવી દિલ્હીમાં એલપીજીના ૧૪.૨ કિલોના સિલિન્ડરનો ભાવ રૂ. ૧,૧૦૩થી ઘટીને રૂ. ૯૦૩ થઈ જશે. વધુમાં ઉજ્જવલા લાભાર્

ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઓક્સિજન શોધી કાઢ્યો

Image
- હેલ્લો પૃથ્વીવાસીઓ, તમને,બહુ જલદી ખુશ ખબર મળશે : પ્રજ્ઞાન રોવર  - ચંદ્રની ધરતીમાં સલ્ફર, એલ્યુમિનિયમ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ટીટેનિયમ વગેરે ખનિજ તત્ત્વો છે બેંગલુરુ/મુંબઇ : હેલ્લો પૃથ્વીવાસીઓ, હું ચંદ્રયાન -૩ નું પ્રજ્ઞાન રોવર છું. હું આશા રાખું છું કે આપ સહુ કુશળ હશો. હું આપ સહુને એક ખુશખબર આપવા ઇચ્છું છું કે હું  ચંદ્રનાં રહસ્યોનો તાગ મેળવવા દરરોજ પ્રવાસ કરું છું.આગળ વધું છું.હું,મારા મિત્ર વિક્રમ લેન્ડર સાથે પણ સતત સંપર્કમાં છું. અમે બંને બહુ મજામાં છીએ. તમને,બહુ જલદી  એક ખુશ ખબર મળશે.  ઇન્ડિયન  સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) આજે મંગળવારે ચંદ્રયાન-૩ના પ્રજ્ઞાન રોવરના નવા અને અતિ મહત્વના સંશોધન દ્વારા ચંદ્રની ધરતીમાં વિવિધ પ્રકારનાં અને બહુ મૂલ્યવાન કહી શકાય તેવાં ખનિજ તત્ત્વોનો જાણે કે ભંડાર હોવાની માહિતી આપી છે. ખાસ કરીને  રોવરમાંના લેઝર-ઇન્ડયુસ બ્રેકડાઉન સ્પેક્ટ્રોમીટર (એલઆઇબીએસ) નામના વૈજ્ઞાનિક ઉપકરણે ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતીમાં સલ્ફર(એસ) નામનું તત્ત્વ હોવાનું નવું અને વિશિષ્ટ સંશોધન કર્યું છે. ઉપરાંત,અમારા  પ્રાથમિક પૃથ્થકરણ  દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ચં

IGU Result 2023 at igu.ac.in: Indira Gandhi University Meerpur Result for BA, BSC, Bcom and Other UG, PG Courses

The Indira Gandhi University results 2023 are available online through the student login portal on the university's official website: igu.ac.in. The examination authority releases the results for UG, PG, and other programmes online. Check semester-wise results here.

ISROની મોટી સફળતા : ચંદ્ર પર જીવનની આશા જીવંત બની.... પ્રજ્ઞાન રોવરે ઓક્સિજન શોધી કાઢ્યું... અન્ય 8 તત્વો પણ મળ્યા

Image
નવી દિલ્હી, તા.29 ઓગસ્ટ-2023, મંગળવાર ભારતના મૂન મિશન ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે કમાલ કરી બતાવ્યો છે... જે વિશ્વભરના વૈજ્ઞાનિકો ન કરી શક્યા તે ભારતે કરી બતાવ્યું છે... આજે ચંદ્રની સપાટી પર ISROને મહત્વનું સફળતા હાંસલ થઈ છે.... વિક્રમ લેન્ડરના મિત્ર પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર ઓક્સિજનની શોધ કરી દીધી છે... પ્રજ્ઞાન રોવરે જીવન માટે સૌથી જરૂરી ઓક્સિજનને ચંદ્ર પર શોધી કાઢ્યો છે... ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આજે જણાવ્યું કે, પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્ર પર ઓક્સિજન હોવાની પુષ્ટિ થઈ છે. પ્રજ્ઞાન રોવરમાં લગાવાયેલ ‘લેજર-ઈડ્યૂસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ’ (LIBS) ડિવાઈસ દ્વારા ઓક્સિજન શોધી કાઢવામાં આવ્યું છે. રોવરે ચંદ્રના સાઉથ પોલ પર લગભગ સલ્ફર હોવાની પણ પુષ્ટિ કરી છે. પ્રજ્ઞાન રોવરે ઓક્સિજન ઉપરાંત 8 મોટી શોધ કરી ઈસરો દ્વારા બહાર પડાયેલ નિવેદનમાં જણાવાયું છે કે, ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરમાં લગાવાયેલ એલઆઈબીએસ ડિવાઈઝ દ્વારા સાઉથ પોલ પર ચંદ્રની સપાટીની સંરક્ષનાની પ્રથમવાર તપાસ કરવામાં આવી... આ દરમિયાન સાઉથ પોલ પર સલ્ફર (S) હોવાની પુષ્ટી થઈ છે... ઈસરોએ કહ્યું કે, રોવરના સ્પેક્ટ્રોસ્કોપે અપેક્ષા મુજ

ઈન્ડોનેશિયાનો બાલી સમુદ્ર વિસ્તાર જોરદાર આંચકાથી હચમચી ગયો, રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા મપાઈ

Image
ઈન્ડોનેશિયાનો બાલી સમુદ્ર વિસ્તાર આજે વહેલી સવારે જોરદાર આંચકાથી હચમચી ગયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જો કે ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. A magnitude 7.0 earthquake struck the Bali Sea region of Indonesia today, reports Reuters quoting European-Mediterranean Seismological Centre (EMSC) — ANI (@ANI) August 28, 2023 ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિમી ઉત્તરમાં હતું યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરએ અહેવાલ આપ્યો છે કે ઇન્ડોનેશિયાના બાલી સમુદ્ર ક્ષેત્રમાં 7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. EMSCએ પણ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિમી ઉત્તરમાં અને પૃથ્વીની સપાટીથી 518 કિમી નીચે હતું. ગયા વર્ષે ભૂકંપમાં 300 લોકોના મોત થયા હતા ઇન્ડોનેશિયા ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં આવેલા ભૂકંપમાં 300 લોકોના મોત થયા હતા જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા. તે ભૂકંપની તીવ્રતા

ગુટખાના પ્રચાર બદલ બચ્ચન, શાહરુખ, અજય, સૈફ સહિતના કલાકારો સામે કાર્યવાહીની માગ

Image
- પદ્મશ્રી કલાકારો દ્વારા પ્રચાર મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટની નોટિસ  - નુકસાનકારક વસ્તુઓની જાહેરાતોથી મેળવેલા પૈસાની ડબલ રકમ વસુલવા માગ, કોર્ટની અવમાનનાનો પણ આરોપ લખનઉ : બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, સૈફ અલી ખાન સામે કાર્યવાહીની માગ કરતી અરજી ઉત્તર પ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં થઇ છે. જેમાં આ અભિનેતાઓ દ્વારા ગુટખા, તમ્બાકુનો પ્રચાર કરવાનો અને કોર્ટની અવમાનનાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અભિનેતાઓમાં કેટલાક પદ્મશ્રી વિજેતા પણ છે. પરીણામે હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આ મામલે જવાબ માગ્યો છે.   ઇલાહાબાદ હાઇકોર્ટે ગયા વર્ષે આ પ્રકારના તમ્બાકુ, ગુટખા, સિગારેટ વગેરેના પ્રચારને રોકવા માટે આદેશ આપ્યો હતો, જેનું પાલન ન કરીને કોર્ટની અવમાનના થઇ હોવાનો દાવો વકીલ દ્વારા દાખલ અરજીમાં કરવામાં આવ્યો છે. વકીલ મોતીલાલ યાદવે હાઇકોર્ટને જણાવ્યું હતું કે હાઇકોર્ટનો આદેશ હોવા છતા તેનું પાલન કરાવવામાં નથી આવી રહ્યું. માટે જે પણ અભિનેતાઓ દ્વારા આ પ્રકારની જાહેરાતો કરવામાં આવી રહી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એવા અભિનેતાઓની સામે કાર્યવાહીની માગણી કર

5 Best Movies for Students To Watch On Teacher's Day 2023

Teacher’s Day Movies For Students: The relationship between a student and teacher is one of the most deep-rooted in the world and is portrayed beautifully in many movies too. Check the list of the 5 best movies to watch on Teacher’s Day 2023.

CM શિવરાજ સરકારની મુશ્કેલી વધી, પોષણ આહારમાં 500 કરોડનાં કૌભાંડ મુદ્દે કોંગ્રેસની લોકાયુક્તમાં ફરિયાદ

Image
ભોપાલ, તા.28 ઓગસ્ટ-2023, સોમવાર મધ્યપ્રદેશમાં ઓડિટર જનરલ રિપોર્ટ દ્વારા પોષણ આહારમાં 500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં રાજ્યના 8 જિલ્લાઓમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ખાસ કહેવાતા મુખ્ય સચિવ ઈકબાલ સિંહ બૈસ અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના સીઈઓ લલિત મોહન બેલવાલનું નામ સામે આવ્યું છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ કોંગ્રેસે લોકોયુક્તમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદે શિવરાજ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તંખાએ મધ્યપ્રદેશ કોંગ્રેર કમિટીના કાર્યાલય પર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પારસ સકલેચા દ્વારા લોકાયુક્તમાં દાખલ કરાયેલી ફરિયાદના આધારે કહ્યું કે, વર્તમાનમાં રાજ્યના મુખ્ય સચિવ ઈકબાલ સિંહ 2014માં મુખ્યમંત્રીના સચિવ બન્યા અને 2017 બાદ તેમણે બેલવાલને તેમના સીઈઓ બનાવી તેમને રૂરલ ડેવલપમેન્ટના બીજા વિભાગ હેઠળ ટ્રાન્સર કરાયા... તેમણે કહ્યું કે, આ વ્યવસ્થા 2018થી ચાલતી આવી રહી છે... 2018માં બેલવાલ નિવૃત્ત થયા અને ડિસેમ્બરમાં સરકાર બદલાઈ ગઈ... 

Fun and Educational Activities on G20 for School Students

School Activities on G20: After the announcement of school holidays on the 8th, 9th, and 10th of September for all schools across Delhi NCR due to the G20 summit, different activities are being organized by schools for students. Here, you can find G20 holiday homework ideas and school activities ideas on G20. These school activities will teach students about the G20 summit and its importance. 

'જરૂર પડે તો મારા રૂમનો AC પણ બંધ કરી દો..' વધારે વીજબિલથી પાકિસ્તાનના કાર્યવાહક PM પણ કંટાળ્યા

Image
image : Twitter પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે વધેલા વીજળી બિલો પર લોકોના આક્રોશ વચ્ચે એક ઈમરજન્સી બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને વીજળીના બિલોમાં ઘટાડો કરવા માટે આગામી 48 કલાકમાં કોઈ મજબૂત પ્લાન તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો.  અનેક શહેરોમાં દેખાવો  માહિતી અનુસાર વધેલા વીજળી બિલ વિરુદ્ધ મુલતાન, લાહોર અને કરાચી સહિત પાકિસ્તાનના અનેક રાજ્યો અને શહેરોમાં દેખાવો કરાયા હતા. તેને ધ્યાનમાં રાખી વધારે પડતી વીજબિલની ફરિયાદોને દૂર કરવા માટે કાકર દ્વારા પીએમ કાર્યાલયે બોલાવેલી ઈમરજન્સી બેઠકમાં નિર્દેશ અપાયો હતો.  ઉતાવળે પગલું ન ભરવા આપી સલાહ  તેમણે બેઠકમાં કહ્યું કે અમે ઉતાવળમાં કોઈ પગલું નહીં ભરીએ જેનાથી દેશને નુકસાન થાય. અમે એવા પગલાં ભરીશું જેનાથી રાષ્ટ્રીય ભંડોર પર ભારણ ન વધે અને ગ્રાહકોને સુવિધા રહે. પીએમઓ વતી જારી એક નિવેદનમાં જણાવાયું કે સંબંધિત વિભાગો અને મંત્રાલયો એ અધિકારીઓની વિગતો સોંપે જેમને મફત વીજળીનો લાભ મળી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે હું દેશનું પ્રતિનિધિત્વ કરું છું. પીએમ હાઉસ અને પાક. સચિવાલયમાં વીજળીના વપરાશને ઘટાડવા માટે ઉપાયો કરવ

USના લુઈસવિલેમાં રેસ્ટોરાં સિક્યોરિટી અને ફૂટપાથ પર ઊભેલા લોકો વચ્ચે ગોળીબાર, 1નું મોત, 6 ઘવાયા

Image
image : Envato અમેરિકાના કેંટુકી રાજ્યના ડાઉનટાઉન લુઈસવિલે વિસ્તારમાં એક રેસ્ટોરામાં બેફામ ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલામાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો જ્યારે 6 અન્ય લોકો ઘવાયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.  એકની હાલત ગંભીર  સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે એક વ્યક્તિ મૃત હાલતમાં મળ્યો અને પાંચ અન્યને પણ ગોળી વાગી હતી. જેમાં એકની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે. અહેવાલ અનુસાર ગોળીબાર સાથે સંકળાયેલો છઠ્ઠો વ્યક્તિ ઘાયલ મળ્યો હતો. જેની પણ હાલત ગંભીર જણાવાઈ છે.  પોલીસે તપાસ હાથ ધરી ફર્સ્ટ ડિવીઝન કમાન્ડર મેજર શેનન લોડરે કહ્યું કે ગોળીબારી રવિવારે સવારે 3 વાગ્યે રેસ્ટોરાં સિક્યોરિટી ગાર્ડ અને ફૂટપાથ પર હાજર લોકો વચ્ચે થઈ હતી. આ ઘટના કેમ બની તેના વિશે હજુ કોઈ માહિતી મળી નથી. પોલીસે તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધી કોઈની ધરપકડ થઇ નથી. 

AFCAT Exam Analysis 2023: Difficulty Level, Good Attempts

AFCAT Exam Analysis 2023: Indian Air Force conducted the AFCAT 2 exam on August 25, 26. 27, 2023, read here the difficulty level, questions asked, answer key, and expected cut-off

VIDEO : મણિપુરમાં ફરી હિંસા, ઈમ્ફાલમાં 5 ઘરો સળગાવાયા, સુરક્ષા કર્મીઓના હથિયારોની લૂંટ

Image
ઈમ્ફાલ, તા.27 ઓગસ્ટ-2023, રવિવાર મણિપુરની રાજધાની ઈમ્ફારના ન્યૂ લામ્બુલેન વિસ્તારમાં આજે અજાણ્યા હુમલાખોરોએ 5 ઘરોને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આગ પર કાબુ મેળવી લીધો છે.  ભીડને ખદેડવા પોલીસે ટીચર ગેસના સેલ છોડ્યા ઘટના બન્યા બાદ રોષે ભરાયેલા લોકો તુરંત વિસ્તારમાં એકઠા થઈ ગયા હતા. તેઓએ અધિકારી પર આગ લગાવનારા 2 લોકોની ઓળખ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ હંગામો શરૂ કરી દીધા પોલીસે કાર્યવાહી કરવી પડી હતી, જેમાં સુરક્ષા દળોએ ભીડને ખદેડવા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. Houses of Kukis were burnt by Meiteis at Checkon area of Imphal, Manipur today... pic.twitter.com/XxfYY082vc — Letthenlal Haokip (@Lalboi17) August 27, 2023 હુમલાકોરોએ સુરક્ષા કર્મચારીઓના હથિયારો લૂંટ્યા અન્ય એક ઘટનામાં પોલીસને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષા કર્મચારીઓના હથિયારો લૂંટી લીધા છે. આજે રાજધાની ઈમ્ફાલના પશ્ચિમ જિલ્લાના સગ

ચંદ્રયાન-3ની સફળતા બાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા ISRO ચીફ એસ.સોમનાથ, કહ્યું ‘હું ધર્મગ્રંથ પણ વાંચુ છુ અને...’

Image
Image - ians તિરુવનંતપુરમ, તા.27 ઓગસ્ટ-2023, રવિવાર ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISROના ચીફ એસ.સોમનાથ આજે તિરુવનંતપુરમમાં પૂર્ણમિકવુ ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે પૂજા-અર્ચના કર્યા બાદ કહ્યું કે, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંને જુદી જુદી બાબતો છે અને બંનેને મિલાવવાની કોઈ જરૂર નથી. એસ.સોમનાથે કહ્યું કે, હું કે સંશોધનકર્તા છું... હું ચંદ્ર વિશે સંશોધન કરું છું... વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેનું સંશોધન કરવું, તે મારા જીવનની યાત્રાનો એક ભાગ છે... હું ઘણા મંદિરોમાં જાઉ છું... ઘણા ધર્મગ્રંથો વાંચુ છું અને બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વ વિશે સંશોધન કરવાના પ્રયત્નો કરું છું. #WATCH | On his visit to Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram, ISRO Chairman S Somanath says, "I am an explorer. I explore the Moon. I explore the inner space. So it's a part of the journey of my life to explore both science and spirituality. So I visit many… pic.twitter.com/QkZZAdDyX3 — ANI (@ANI) August 27, 2023 ઈસરોના વડાએ ચં

'ભારત દુનિયાને રસ્તો બતાવી રહ્યું છે, ચંદ્રયાન-3ની સફળતાનું કારણ વૈજ્ઞાનિકો, મન કી બાતમાં બોલ્યા PM મોદી

Image
બે દેશોના પ્રવાસ અને ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ વડાપ્રધાને આજે 'મન કી બાત'માં દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ ચંદ્રયાનની સફળતા પર દેશવાસીઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે આજે ભારત આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે અને આ બધું આપણા વૈજ્ઞાનિકોના કારણે શક્ય બન્યું છે. Sharing this month's #MannKiBaat . Do listen! https://t.co/aG27fahOrq — Narendra Modi (@narendramodi) August 27, 2023 ચંદ્રયાનની સફળતામાં મહિલાઓ અને દીકરીઓનું મહત્વનું યોગદાન પીએમએ કહ્યું કે ભારતના ચંદ્રયાનની સફળતાએ વિશ્વમાં ભારતનું નામ વધુ વધાર્યું છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન આપણને શીખવશે કે કેવી રીતે અશક્યને શક્ય બનાવી શકાય છે. આપણે મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓથી ડરવું જોઈએ નહીં અને રોકવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે ચંદ્રયાનની સફળતામાં દેશની મહિલાઓ અને દીકરીઓએ ઘણું યોગદાન આપ્યું છે. આ મિશનમાં સેંકડો મહિલાઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે યોગદાન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, "ભારતની દીકરીઓ હવે અમર્યાદ ગણાતા અવકાશને પણ પડકાર ફેંકી રહી છે. જ્યારે કોઈ દેશની દીકરીઓ આટલી મહત્વાકાંક્ષી બની જાય તો તે

યુક્રેનને મોટો આંચકો! ટ્રેનિંગ દરમિયાન કીવ નજીક હવામાં અથડાયા બે ફાઈટર જેટ, 3 સૈન્ય પાઈલટનાં મોત

Image
IANS યુક્રેનની રાજધાની કીવ નજીક બે એલ-39 ટ્રેઈની વિમાનો હવામાં ટકરાતાં ત્રણ યુક્રેની પાઈલટના મૃત્યુ પામ્યા. યુક્રેનની એરફોર્સે જણાવ્યું કે આ દુર્ઘટના શુક્રવારે ઝિતોમિર ક્ષેત્રમાં બની હતી જે રાજધાની કીવની પશ્ચિમે આવેલ છે. યુક્રેન પશ્ચિમથી મળનારા એફ-16 લડાકૂ વિમાનોને ઉડાડવા માટે તેના હવાઈ કર્મચારીઓને જલદીથી જલદી ટ્રેનિંગ આપવા માટે એક મોટી કવાયત યોજવાની તૈયારીમાં છે. એવામાં ત્રણ પાઈલટના મોત તેના માટે એક મોટો આંચકો સાબિત થઈ શકે છે.  પશ્ચિમી દેશો યુક્રેનને 61 એફ-16 વિમાન આપવાના છે  આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ત્રણ સૈન્ય પાઇલટોમાં યુક્રેની સેનાના અધિકારી એન્ડ્રી પિલશ્ચિકોવ સામેલ છે જેમણે સંપૂર્ણ લાગણી સાથે દેશની સેવા કરી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પશ્ચિમી દેશોથી મળનારા 61 એફ-16 લડાકૂ વિમાનોને ઉડાડવા માટે યુક્રેની સૈનિકોને ટ્રેનિંગ આપવા પર ભાર મૂકી રહ્યા છે.   યુક્રેનના સૈન્યએ કહ્યું - આ એક અપૂરણીય ક્ષતિ  યુક્રેનની વાયુસેનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે અમે પીડિતોના પરિવારો પ્રત્યે સ

ઈસરોએ 'મેક ઈન ઈન્ડિયા'ને ચંદ્ર પર પહોંચાડી દીધું : પીએમ મોદી

Image
- દેશમાં હવે પ્રત્યેક વર્ષે 23 ઑગસ્ટે રાષ્ટ્રિય અંતરિક્ષ દિન ઊજવાશે - ચંદ્ર પર ચંદ્રયાન-3 ઉતર્યું તે 'શિવશક્તિ' અને ચંદ્રયાન-2એ છાપ છોડી તે 'તિરંગા' પોઈન્ટ તરીકે ઓળખાશે : વડાપ્રધાન બેંગ્લુરુ : વડાપ્રધાન નેરન્દ્ર મોદી શનિવારે સવારે દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસેથી સીધા જ બેંગ્લુરુ પહોંચ્યા હતા. ઈસરો કમાન્ડ સેન્ટરમાં વૈજ્ઞાનિકોને સંબોધન કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે ઈસરોએ 'મેક-ઈન ઈન્ડિયા'ને ચંદ્ર પર પહોંચાડી દીધું. પીએમ મોદીએ ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર જ્યાં ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરે ઉતરાણ કર્યું તેને 'શિવશક્તિ' અને ચંદ્રયાન-૨એ જ્યાં પદચિહ્ન છોડયા હતા તેને 'તિરંગા' પોઈન્ટ નામ આપ્યું હતું. વધુમાં તેમણે હવેથી પ્રત્યેક વર્ષે ૨૩ ઑગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિન તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતાં તેમના જુસ્સાને સેલ્યુટ કરી હતી. વડાપ્રધાન મોદી ચંદ્રયાન-૩ની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવવા માટે ગ્રીસની રાજધાની એથેન્સથી સીધા જ બેંગ્લુરુ પહોંચ્યા હતા. તેમણે ચંદ્રયાન-૩ મિશન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક

NCERT Book for Class 11 Sanskrit 2023 - 2024 All Chapters, PDF Download

NCERT Books for Class 11 Geography - In this article, we have provided the curated list of chapterwise PDFs of Class 11 Geography books titled ‘Fundamentals of Physical Geography’, ‘Practical Work in Geography’ and ‘India Physical Environment’. The rationalised content is also attached for your reference. The chapterwise PDFs are available to be downloaded in both English and Hindi. 

Bihar Teacher Cut Off 2023: BPSC PRT, TGT, PGT Expected, Previous Year Cutoff, Qualifying Marks

Bihar Teacher Cut Off 2023 will be released by BPSC in a PDF format on the official website. Bihar Teacher cut off marks would be based on the difficulty level of the Question Paper. The cut off marks are the minimum qualifying marks required to clear the exam

IBPS Clerk Prelims Exam Analysis 2023: Difficulty Level, Good Attempts, Questions Asked

IBPS Clerk Prelims Exam Analysis 2023: The Institute of Banking Personnel Selection (IBPS) will conduct the IBPS Clerk 2023 exam on August 26, 27, and Sept 2, 2023, Read here the difficulty level, questions asked, answer key, and expected cut-off.

યુપીમાં 'ગુરુ'ના હોદ્દાને લજવતો મામલો, મહિલા શિક્ષકે મુસ્લિમ વિદ્યાર્થીને અન્ય બાળકોથી માર ખવડાવ્યો

Image
યુપીના મુઝફ્ફરનગરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કૂલનું સંચાલન કરતી મહિલા શિક્ષિકા એક મુસ્લિમ વિદ્યાર્થીને ક્લાસના અન્ય બાળકોથી માર ખવડાવી રહી છે. તે એક પછી એક અન્ય વિદ્યાર્થીઓને બોલાવી રહી છે અને તેની બાજુમાં ઊભેલી વિદ્યાર્થીને ગાલ પર થપ્પડ મારવા કહી રહી છે. માર ખાઈ રહેલો મુસ્લિમ વિદ્યાર્થી બાજુમાં ઊભો ઊભો જોર જોરથી રડતો દેખાય છે. પરંતુ તેનાથી એ મહિલા શિક્ષકને કોઈ ફેર પડતો નથી અને તેની સાથે જ તે મુસ્લિમો વિરુદ્ધ અને તેમના બાળકો વિરુદ્ધ ટિપ્પણીઓ કરતાં જરાય ખચકાઈ રહી નથી.  એક પુરુષ પણ બેસેલો જોવા મળી રહ્યો છે  વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા શિક્ષક પાસે એક પુરુષ બેઠો છે. બંને વાત કરી રહ્યા છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને લઈને રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તે જ સમયે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ મુસ્લિમ વિદ્યાર્થી સાથે આ પ્રકારની મારપીટનો વીડિયો ટ્વિટ કરીને ઘટનાની આકરી ટીકા કરી હતી.  ક્યાંનો છે મામલો?  ખરેખર તો આ વીડિયો મુઝફ્ફરનગરના મંસૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખુબ્બાપુર ગામનો છે. અહીં તૃપ્તા ત્યાગી નામની મ

Maths Formulas For Class 12: All Concepts and Chapters

Maths Formulas for Class 12: All students must know the mathematics formulas by heart to do well in exams. On that note, we bring you the following Class 12 maths formulas for all concepts and chapters.

જ્યોર્જિયાની ચૂંટણીમાં ફ્રોડ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ, 20 જ મિનિટમાં મુક્ત

Image
image : Facebook  પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુરુવારે  છેતરપિંડી અને દક્ષિણી રાજ્યમાં 2020 ની ચૂંટણીના પરિણામોને ઉથલાવી દેવાના ષડયંત્રના આરોપમાં જ્યોર્જિયા જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટની બહાર સૂત્રોચ્ચાર   અહેવાલ અનુસાર, તેના વિરોધમાં જેલની બહાર એકઠા થયેલા દેખાવકારોએ ડિસ્ટ્રિક્ટ એટર્ની ફેની વિલિસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જેમણે ટ્રમ્પ અને 18 અન્ય લોકો પર ચૂંટણીની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. આ વર્ષે ચોથી વખત ટ્રમ્પનું આત્મસમર્પણ જ્યોર્જિયામાં ટ્રમ્પનું આત્મસમર્પણ આ વર્ષે ચોથી વખત છે જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિએ તેમની સામેના ગુનાહિત આરોપો દાખલ કર્યા પછી પોતાને સ્થાનિક અથવા ફેડરલ સત્તાવાળાઓ  સામે સરેન્ડર કર્યું છે.  ટ્રમ્પે કહ્યું - મેં કંઈ જ નથી કર્યું  ફુલ્ટન કાઉન્ટી જેલમાં કેસ નોંધાવા અને ફોટો પડાયા બાદ એટલાન્ટાથી બહાર નીકળવાની તૈયારી કરી રહેલા ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે અહીં જે થયું છે તે ન્યાયની મજાક છે. અમે કંઇ ખોટું નથી કર્યું. મેં કંઈ જ ખોટું નથી કર્યું. એ લોકો જે કરી રહ્યા છે તે ચૂંટણીમાં હસ્તક્ષેપ છે. 20 મિનિટ બાદ જેલથી બહાર આવ

APSCSC Recruitment 2023: Apply Online For DEO, Technical Assistant & Others Posts, Check Eligibility

APSCSC Recruitment 2023:  Andhra Pradesh State Civil Supplies Corporation  (APSCSC ) has invited applications for the 875 various including DEO, Technical Assistant and others on the official website. Check the pdf, eligibility, how to apply and others here. 

ભારત-ચીન વચ્ચેનું ઘર્ષણ દૂર કરવા માટે મોદી અને જિનપિંગ 'ખડાપગે'

Image
- બ્રિક્સ બેઠક વચ્ચે મોદી-જિનપિંગે ચાલતા-ચાલતા વાત કરી - પીએમ મોદી-શી જિનપિંગે વહેલી તકે સરહદેથી સૈન્ય પાછું ખેંચી વિવાદ ઉકેલ લાવવા અધિકારીઓને નિર્દેશ આપવા સંમત : વિદેશ સચિવ ક્વાત્રા જોહાનિસબર્ગ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિક્સ બેઠક વચ્ચે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર વણઉકલ્યા મુદ્દાઓ પર ભારતની ચિંતા પર પ્રકાશ પાડયો હતો તેમ ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં બંને નેતા વાસ્તવિક નિયંત્રણ રેખા પરના વિવાદોનો ઝડપથી ઉકેલ લાવવા તેમના અધિકારીઓને નિર્દેશ આપવા સંમત થયા હતા તેમ વિદેશ સચિવે ઉમેર્યું હતું. ભારત અને ચીન વચ્ચે મે ૨૦૨૦થી ચાર દાયકાના સૌથી ખરાબ ઘર્ષણ વચ્ચે વડાપ્રધાન મોદી અને શી જિનપિંગે ગુરુવારે પહેલી વખત વાતચીત કરી હતી. ભારત અને ચીન વચ્ચે મે ૨૦૨૦થી સતત ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિ-પક્ષીય બેઠકોની સંભાવના અંગે ચર્ચા ચાલી રહી હતી. આ પૃષ્ઠભૂમિમાં ગુરુવારે દક્ષિણ આફ્રિકાથી બ્રિક્સ બેઠકન

હિંડનબર્ગ 2.0? OCCRP ભારતના કેટલાક મોટા કોર્પોરેટ હાઉસને એકસપોઝ કરવાની તૈયારીમાં

Image
એક યુએસ શોર્ટ સેલર દ્વારા અદાણી જૂથ પર જાહેર કરવામાં આવેલ અહેવાલ બાદ બજારોને સંપૂર્ણ હચમચાવી નાખી હતી. આ ઘટનાના મહિનાઓ પછી, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ જ્યોર્જ સોરોસ અને રોકફેલર બ્રધર્સ ફંડ જેવા લોકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ સંસ્થા દ્વારા ભારતના અમુક કોર્પોરેટ હાઉસો પર વધુ એક 'એક્સપોઝ' કરવાની યોજના બનાવી રહી હોવાનું સૂત્રો પરથી જાણવા મળી રહ્યું છે. ત્રણ સ્ત્રોતોના આધારે અહેવાલની શ્રેણી પ્રકાશિત કરી શકે છે સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, OCCRP જે પોતાને યુરોપ, આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં ફેલાયેલા 24 નોન-પ્રોફિટ તપાસ કેન્દ્રો દ્વારા રચાયેલ એક તપાસ રિપોર્ટિંગ પ્લેટફોર્મ કહે છે કે, તે કેસની જાણકારી ધરાવતા ત્રણ સ્ત્રોતોના આધારે અહેવાલની શ્રેણી પ્રકાશિત કરી શકે છે. જોકે, હજુ સુધી ટિપ્પણીઓ પર OCCRP ને મોકલવામાં આવેલ ઈમેલનો જવાબ મળ્યો નથી. OCCRP સંગઠિત અપરાધના અહેવાલમાં વિશેષતા હોવાનો કરે છે દાવો  2006 માં સ્થપાયેલ, OCCRP સંગઠિત અપરાધના અહેવાલમાં વિશેષતા હોવાનો દાવો કરે છે અને મોટાભાગે મીડિયા ગૃહો સાથે ભાગીદારી દ્વારા આ સમાચાર લેખો પ્રકાશિત

VIDEO : જાપાને સમુદ્રમાં ન્યુક્લિયર પ્લાન્ટનું જીવલેણ પાણી છોડ્યું, 30 વર્ષ સુધી ચાલશે પ્રક્રિયા, ચીન ભડક્યું

Image
ટોક્યો, તા.24 ઓગસ્ટ-2023, ગુરુવાર જાપાનમાં માર્ચ 2011માં આવેલા ભીષણ ભૂકંપ અને સુનામીના કારણે નાશ પામેલ ફુકુશિમા દાયચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં છોડવાની પ્રક્રિયા આજથી શરૂ કરી દીધી છે. જાપાન સમાચારોના અહેવાલો મુજબ આજે પ્રથમ દિવસે 2 લાખ પાણી છોડવામાં આવશે... ત્યારબાદ દૈનિક 4.60 લાખ લીટર પાણી છોડાશે.... આગામી 30 વર્ષ સુધી 133 કરોડ લીટર રેડિયોએક્ટિવ પાણી સમુદ્રમાં છોડવાની યોજના છે. વિદેશીઓ સહિત જાપાનીઓએ પણ કર્યો વિરોધ વિદેશ સહિત જાપાનના લોકો સંશોધિત પાણીને સમુદ્રમાં છોડવાની યોજનાનો વિરોધ કરી રહ્યા હતા. જાપાનના માછીમારી સમુદાયે વિરોધ કરતા કહ્યું હતું કે, આમ કરવાથી સીફૂડના બિઝનેસ પર અસર પડશે. ચીન અને દક્ષિણ કોરિયાએ પણ આ યોજનાથી વાંધો ઉઠાવ્યો હતો અને આ બાબતનો રાજકીય અને રાજદ્વારી મુદ્દો બનાવ્યો હતો. જાપાન પેસેફિક મહાસાગરમાં ટ્રીટેડ રેડિયોએક્ટિવ વોટર છોડવાનું છે તેની સામે ઘણા સમયથી પ્રચંડ વિરોધ ચાલી રહ્યો છે. જ્યારથી યુનાઈટેડ નેશન્સે જાપાનને પાણી છોડવાની મંજૂરી આપી છે ત્યારથી ચીન અને દક્ષિણ કોરીયા સહિતનાં દેશો વિરોધ કરી રહ્યા છે. પર્યાવરણની સુરક્ષા

SSC MTS Result 2023 Date: Check Latest Updates for Havaldar Paper 1 Merit PDF

SSC MTS Result 2023 Date: SSC will soon release the result of Multi Tasking Staff Paper 1. Candidates can check the Latest Updates for Havaldar Paper 1 Merit PDF List, Steps to Download List, Qualifying Marks and Other Details.

હિમાચલ પ્રદેશમાં વરસાદનું તાંડવ, અત્યાર સુધી 351ના મોત, 709 માર્ગો બંધ, હજુ રાહતના સંકેત નહીં

Image
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 12 લોકોનાં મોત થયા છે અને 400થી વધુ માર્ગો બ્લોક કરવાની ફરજ પડી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ સાથે જ બંધ કરવામાં આવેલી સડકોની સંખ્યા વધીને 709 થઇ ગઇ છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદે તરખાટ મચાવ્યો છે. વરસાદને લગતી ઘટનાઓમાં 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી   હવામાન વિભાગે બુધવારે  હિમાચલના 12 જિલ્લાઓ પૈકી શિમલા સહિતના 6 જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જારી કરી છે.  હિમાચલના મુખ્યપ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ ભારે વરસાદની આગાહીને પગલે લોકોને સચેત રહેવા જણાવ્યું છે. ડેપ્યુટી કમિશનર અરિન્દમ ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે મંડી જિલ્લાના સેરાજ વિસ્તારના બે ગામોમાં વાદળ ફાટવાથી થયેલા ભૂસ્ખલનથી પાંચ લોકોનાં મોત થયા છે. અનેક જિલ્લામાં રેડ એલર્ટ  શિમલામાં પણ અનેક સ્થળોએ ભૂસ્ખલન અને ઝાડ પડવાને કારણે અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. કેટલાક મકાનોમાં તિરાડો પડી ગઇ છે જેના કારણે સાવચેતીના પગલા રૂપે તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. હિમાચ

પુટિન સામે બળવો પોકારનારા પ્રિગોઝિન સહિત 10 લોકોના વિમાન દુર્ઘટનામાં મોત, અનેક તર્કવિતર્ક

Image
મોસ્કો : વેગનર મર્સીનરીઝના વડા પ્રિગોઝિનનું પ્લેન આર્મીએ તોડી પાડતા તેનું મોત થયું હોવાનું માનવામાં આવે છે.  પ્રિગોઝિન સહિત કુલ સાત જણને લઈ જતું પ્લેન ક્રેશ થયું હતુ, એમ રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ જણાવ્યું હતું. જ્યારે વેગનર સાથે લિંક્ડ ટેલિગ્રામ ચેનલનો ગ્રે ઝોનનો દાવો છે કે ઉત્તરી મોસ્કોમાં ત્વેર રિજયનમાં એર ડિફેન્સે તેના પ્લેનને તોડી પાડયું છે પ્રિગોઝિનને લઈ જતું એમ્બ્રેર જેટ મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું. તેમા ત્રણ ક્રુ સાથે સાત પેસેન્જર હતા. રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓનું કહેવું છે કે પ્રિગોઝિનનું પેસેન્જર પ્લેન તૂડી પડયુ છે અને તેમા તેનું મોત થયું હોવાની પ્રબળ સંભાવના છે. જો કે કેટલાક મજાકમાં કહે છે કે આ રશિયાનું ચંદ્રયાન થોડી છે જે ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલા તૂટી પડે.  પ્રિગોઝિને જુનમાં રશિયાના પ્રમુખ પુતિન સામેના નિષ્ફળ બળવાની વાટાઘાટ કરી હતી. ગ્રે ઝોને જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ પ્લેન ક્રેશ થયું તે પહેલા બે મોટા અવાજ સાંભળ્યા હતા અને બે મોટી ધુમ્રસેર પણ જોઈ હતી. તાસ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે પ્લેન જમીનને અથડાતા આગમાં સપડાઈ ગયું હતું. ચ

આ સમગ્ર માનવજાતની સિદ્ધિ, હવે આપણું લક્ષ્ય સૂર્ય અને શુક્ર: મોદી

Image
- આ તો વિકસીત ભારતનો શંખનાદ થયો છે - ઈતિહાસના સાક્ષી તરીકે આપણે ધન્ય બન્યાં : ચાંદા મામાને લગતી કથાઓ હવે કાયમ માટે બદલાઈ જશે નવી દિલ્હી : ભારતે હવે ચંદ્ર પર ડગ માંડી દીધાં છે પણ સાથે સાથે આ પગલું સમગ્ર માનવજાતની સફળતા છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચન્દ્રયાન-૩એ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉત્તરાણ કર્યા બાદ જણાવ્યું હતું. વડાપ્રધાને જાહેર કર્યું હતું કે હવે શુક્ર તથા સૂર્યનું મિશન આપણું ધ્યેય છે.  જ્હોનિસબર્ગથથી ઈસરોના વિજ્ઞાનીઓને વર્ચ્યુઅલ સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતં કે ભારતે પૃથ્વી પર એક સંકલ્પ કર્યો હતો અને હવે ચંદ્ર પર પહોંચીને તે પરિપૂર્ણ કર્યો છે.  આ ક્ષણ આપણે શાશ્વત સમય સુધી વધાવતાં રહેશું એમ કહેતાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે ભારત ચંદ્રનાં દક્ષિણ ઘ્રુવપર પહોંચ્યું છે જ્યાં અત્યાર સુધી બીજા કોઈ દેશે ખેડાણ કર્યું નથી.  તેમણે કહ્યું હતું કે ભારત હવે ચંદ્ર પર છે અને હવે ચંદ્રમાર્ગ પર પ્રયાણ કરવાનો સમય પાકી ગયો છે. ભારતનું સફળ મૂન  મિશન માત્ર ભારતનું નથી. વસુધૈવ કુટુમ્બકમ અને સમગ્ર માનવજાતનાં સમાન ભાવિના આપણા નારાનો સમગ્ર વિશ્વમાં પડઘો પડી રહ્યો છે. મૂન મિશન પણ

UK Board 12th Business Studies Syllabus 2023-24: Download Revised UBSE Business Studies Syllabus PDF

UBSE Class 12 Business Studies Syllabus 2023-24: The Uttarakhand Board has released the latest and revised syllabus for the 2024 exams. Check here the Business Studies Class 12 syllabus here and download the PDF of the full syllabus.