ભ્રષ્ટાચાર, સગાવાદ અને તુષ્ટિકરણ સામે દેશવાસીઓ લડત આપે : મોદી


- લાલકિલ્લા પરથી સતત 10મી વાર વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન

- યોજનાઓના 10 કરોડ નકલી લાભાર્થીઓને દૂર કરાયા અને કૌભાંડીઓ તથા ભાગેડુઓના કૌભાંડ કરતાં 20 ગણી સંપત્તિ જપ્ત કરાઇ

- ફોર્મ, રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મથી  નવાં ભારતને સાકાર કરવાનું લક્ષ્ય

- 25 હજાર જનૌષધિ કેન્દ્રો સ્થપાશે : સિક્સ જીને સાકાર કરવા ટાસ્કફોર્સની જાહેરાત

નવી દિલ્હી :  દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર  બનાવવાનું સપનું સાકાર કરવું હોય તો તે માટે ભ્રષ્ટાચાર, સગાવાદ અને તુષ્ટિકરણ જેવી બદીઓ સામે લડત આપવી પડશે એમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિન નિમિત્તે લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રને કરેલાં સંબંોધનમાં જણાવ્યું હતું.

આગામી લોકસભા ચૂંટણી પહેલાંના છેલ્લા પ્રવચનમાં વડાપ્રધાને પોતાના દસ વર્ષના શાસનનો હિસાબ આપ્યો હતો અને કહ્યું હતું કે આવતાં વર્ષ પણ હું લાલકિલ્લા પરથી પ્રવચન આપવા આવવાનો છું. તેમણે કહ્યું હતું કે મેં સરકાર ફોર્મ કરી, રિફોર્મ એટલે કે સુધારા કર્યા, અમલદારશાહીએ પર્ફોર્મ કર્યુ અને સરકારી કામકાજમાં  પરિવર્તન એટલે કે ટ્રાન્સફોર્મ  લાવીને નવાં ભારતને સાકાર કરવાનું લક્ષ્ય સેવ્યું છે. વડાપ્રધાને પોતાના  પ્રવચનમાં મહિલાઓને ડ્રોનની તાલીમ, પચ્ચીસ હજાર જનૌષધિ કેન્દ્રોની સ્થાપના, સિક્સ જીનું માળખું રચવા માટે ટાસ્ક ફોર્સની જાહેરાત સહિતનાં શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યાં હતાં. તેની સાથે સાથે વડાપ્રધાને કહ્યું હતું કે હવે મણિપુરમાં પણ સંપૂર્ણ શાંતિ  સ્થપાઈ ચૂકી છે. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રથમ બદી ભ્રષ્ટાચાર છે જે આપણા દેશની તમામ સમસ્યાઓનું મૂળ છે. ભ્રષ્ટાચારથી આઝાદી, દરેક ક્ષેત્રમાં અને દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સામે લડવું એ સમયની જરૂરિયાત છે. અને દેશવાસીઓ, મારા પ્રિય પરિવારના સદસ્યો આ મોદીની પ્રતિબદ્ધતા છે તે મારી અંગત પ્રતિબદ્ધતા છે કે હું ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ, તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.બીજું, વંશવાદી રાજકારણે આપણા દેશને બરબાદ કરી દીધો છે, તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ વંશવાદી પ્રણાલીએ દેશને જકડી લીધો હતો અને દેશના લોકોના અધિકારો છીનવી લીધા હતા.

ત્રીજી અનિષ્ટ વિશે  વડાપ્રધાને મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે તુષ્ટિકરણ છે.   તુષ્ટિકરણે દેશની મૂળભૂત વિચારસરણી, આપણા સુમેળભર્યા રાષ્ટ્રીય ચારિત્ર્યને પણ ડાઘ લગાડયો છે. આ લોકોએ દરેક વસ્તુનો નાશ કર્યો. અને તેથી, આપણે આ ત્રણ અનિષ્ટો સામે આપણી પૂરી શક્તિથી લડવું જોઈએ. ભ્રષ્ટાચાર, સગાવાદ અને તુષ્ટિકરણત આ પડકારો વિકસ્યા છે જેણે આપણા દેશના લોકોની આકાંક્ષાઓને દબાવી દીધી છે.

ભ્રષ્ટાચારના જોખમ પર પ્રહાર કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે,  ભ્રષ્ટાચારને લઈને સ્વચ્છતા અભિયાન તાકીદની જરુરિયાત છે. જાહેર જીવનમાં તેનાથી મોટી કોઈ ગંદકી હોઈ શકે નહીં. પ્રધાનમંત્રીએ  ભ્રષ્ટાચાર સામે લડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે કેવી રીતે વિવિધ યોજનાઓમાંથી ૧૦ કરોડ નકલી લાભાર્થીઓને દૂર કરવામાં આવ્યા હતા અને કૌભાંડીઓ તથા ભાગેડુઓના કૌભાંડ કરતાં ૨૦ ગણી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

સગાવાદ અને વંશવાદ અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો કે વંશવાદી રાજકીય પક્ષો પરિવારના, પરિવાર દ્વારા અને પરિવાર માટે છે અને તે પ્રતિભાને મારી નાખે છે. તે અનિવાર્ય છે કે લોકશાહી આ દુષ્ટતાથી છુટકારો મેળવે તેમ તેમણે કહ્યું હતું.આવી જ રીતે તુષ્ટિકરણે સામાજિક ન્યાયને ઘણું નુકસાન પહોંચાડયું છે.  

૧૦ વર્ષ પહેલા ભારત સરકાર રૂ. ૩૦ લાખ કરોડ રાજ્યોને ફાળવતી હતી. છેલ્લા ૯ વર્ષમાં આ આંકડો રૂ. ૧૦૦ લાખ કરોડ થયો છે. આ સંખ્યાઓ જોઈને તમને લાગશે કે ક્ષમતામાં મોટા વધારા સાથે આટલું મોટું પરિવર્તન થયું છે!

મહત્વાકાંક્ષી મધ્યમ વર્ગ વિશે પીએમ મોદીએ કહ્યું, જ્યારે દેશમાં ગરીબી ઓછી થાય છે, ત્યારે મધ્યમ વર્ગની શક્તિ ઘણી વધી જાય છે. અને હું તમને ખાતરી સાથે ખાતરી આપું છું કે આવનારા પાંચ વર્ષમાં દેશ વિશ્વની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન મેળવી લેશે. આજે ૧૩.૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવીને મધ્યમ વર્ગની તાકાત બની ગયા છે. જ્યારે ગરીબોની ખરીદશક્તિ વધે છે ત્યારે મધ્યમ વર્ગની વ્યાપાર શક્તિ વધે છે. જ્યારે ગામડાની ખરીદશક્તિ વધે છે ત્યારે નગર અને શહેરની આથક વ્યવસ્થા તેજ ગતિએ ચાલે છે. આ એકબીજા સાથે જોડાયેલું આપણું આથક ચક્ર છે. અમે તેને તાકાત આપીને આગળ વધવા માંગીએ છીએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો