'ભારત દુનિયાને રસ્તો બતાવી રહ્યું છે, ચંદ્રયાન-3ની સફળતાનું કારણ વૈજ્ઞાનિકો, મન કી બાતમાં બોલ્યા PM મોદી


બે દેશોના પ્રવાસ અને ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ વડાપ્રધાને આજે 'મન કી બાત'માં દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ ચંદ્રયાનની સફળતા પર દેશવાસીઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે આજે ભારત આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે અને આ બધું આપણા વૈજ્ઞાનિકોના કારણે શક્ય બન્યું છે.

ચંદ્રયાનની સફળતામાં મહિલાઓ અને દીકરીઓનું મહત્વનું યોગદાન

પીએમએ કહ્યું કે ભારતના ચંદ્રયાનની સફળતાએ વિશ્વમાં ભારતનું નામ વધુ વધાર્યું છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન આપણને શીખવશે કે કેવી રીતે અશક્યને શક્ય બનાવી શકાય છે. આપણે મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓથી ડરવું જોઈએ નહીં અને રોકવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે ચંદ્રયાનની સફળતામાં દેશની મહિલાઓ અને દીકરીઓએ ઘણું યોગદાન આપ્યું છે. આ મિશનમાં સેંકડો મહિલાઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે યોગદાન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, "ભારતની દીકરીઓ હવે અમર્યાદ ગણાતા અવકાશને પણ પડકાર ફેંકી રહી છે. જ્યારે કોઈ દેશની દીકરીઓ આટલી મહત્વાકાંક્ષી બની જાય તો તે દેશને વિકસિત થતા કોણ રોકી શકે."


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો