Posts

Showing posts from January, 2025

અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશ, ઉડાન ભર્યાની 30 સેકન્ડમાં તૂટી પડ્યું, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત

Image
Philadelphia plane crash : અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર છે. પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર 30 સેકન્ડ પછી ક્રેશ થયું. જેનાથી એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિમાનમાં લગભગ 2 લોકો સવાર હતા જેમના મૃત્યુ થયાની આશંકા છે. રાજ્યના ગવર્નર જોશ શાપિરોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિમાન તૂટીને રહેણાંક વિસ્તારમાં પડતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

UPI યુઝર્સ માટે મોટા સમાચાર, પેમેન્ટ કરતા પહેલા જાણીલો નવો નિયમ, NPCIએ જાહેર કરી નોટિફિકેશન

Image
UPI Rules Change: યુપીઆઇ યુઝર્સ 1 ફેબ્રુઆરી, 2025થી અમુક આઇડી પર ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. NPCIએ નવી નોટિફિકેશન જાહેર કરી છે. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને 1 ફેબ્રુઆરીથી સ્પેશિયલ કેરેક્ટર્સ ધરાવતા આઇડી પરથી ન સ્વીકારવા નિર્દેશ કર્યો છે. યુઝર્સ હવે માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ ધરાવતાં આઇડીથી જ નાણાકીય લેવડ-દેવડ કરી શકશે. સાયબર ક્રાઈમના વધતાં કિસ્સાને ધ્યાનમાં રાખતાં NPCIએ આ આદેશ જાહેર કર્યો છે.

'બ્રિટન 20 વર્ષમાં પરમાણુ તાકાતવાળો ઈસ્લામિક દેશ બની જશે...', પૂર્વ ગૃહમંત્રીના દાવાથી હડકંપ

Image
Suella Braverman says Britain will become an Islamic state | બ્રિટનનાં પૂર્વ ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેને બ્રિટનને ચેતવતાં કહ્યું હતું કે, બ્રિટન મુસ્લિમ કટ્ટરવાદીઓના હાથમાં પડી જશે અને આગામી 20 વર્ષમાં તે ઇરાન જેવું પશ્ચિમનો શત્રુ બની રહેશે. તે પરમાણુ શસ્ત્રથી પણ સજ્જ તેવું ઇસ્લામિક કટ્ટરવાદી રાષ્ટ્ર બની રહેશે. આ સાથે તેઓએ બ્રિટનની કીમ-સ્ટાર્મર સરકારની ટ્રમ્પ સાથેની વિરોધાભાસી નીતિની પણ ઉગ્ર ટીકા કરી હતી. વોશિંગ્ટનમાં હેરિટેજ-ફાઉન્ડેશન નામક જમણેરી સંસ્થાએ યોજેલા એક કાર્યક્રમમાં આપેલા વક્તવ્યમાં તેઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારોભાર પ્રશંસા કરી હતી.

નાસા અને નોઆની ચેતવણી : સૌર પવનોનું ભયાનક તોફાન આજે પૃથ્વી સુધી પહોંચવાનો સંકેત : રેડિયો બ્લેકઆઉટનું જોખમ

Image
- સૂર્યના વાતાવરણમાં સર્જાયો 8,00,000 કિ.મી.નો વિરાટ કદનો  કોરોનલ હોલ  - સૌર પવનનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં 62 ગણો વધુ મોટો છે : ગતિ 500 કિ.મી.ની : પૃથ્વીના વાતાવરણમાં ભારે ખળભળાટ સર્જાઇ શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહાકુંભ પ્રવાસ મુલતવી! 5 ફેબ્રુઆરીએ નહીં જાય પ્રયાગરાજ: સૂત્ર

Image
PM Modi Visit Mahakumbh:  પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે (29 જાન્યુઆરી, 2025) મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ થઈ હતી. જેમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી કેટલાકની સારવાર હજુ ચાલી રહી છે, તો કેટલાકને પોતાના ઘરે લઈ જવાયા છે. તો આ દુર્ઘટના બાદથી ઉત્તરપ્રદેશ સરકારે તમામ VIP અને VVIP મૂવમેન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે આગામી 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાગરાજ જવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હાલ વડાપ્રધાન મહાકુંભ નહીં જાય તેવી શક્યતાઓ છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી.

બેંગ્લુરુમાં DGGIએ 3200 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો, બે આરોપીની ધરપકડ

Image
- બેંગાલુરુમાં બે વ્યકિતઓની ધરપકડ   - 15 બોગસ કંપનીઓને આધારે ખોટી રીતે રૂ. 665 કરોડનો ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવ્યો  બેંગાલુરુ :  બેંગાલુરુમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)એ ૩૨૦૦ કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ સંબધમાં બે લોકોની ધરપકડ કરી છે.  કૌભાંડનો ત્રીજો શંકાસ્પદ આરોપી હજુ ફરાર : બેંગાલુરુ અને મુંબઇમાં ૩૦થી વધારે સ્થળો દરોડા

રાજસ્થાનમાં ખેડૂતે ઘરેથી પોતાના ખેતર જવા હેલિકોપ્ટરની માંગણી કરી, સરકારી તંત્ર ચોંકી ઉઠયું

Image
Rajasthan Farmer Demand helicopter | એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે નાના રસ્તાઓ (પગસેડી) હોય છે પરંતુ એક ખેડૂતે પોતાના ખેતરથી ઘરે જવા માટે હેલિકોપ્ટરની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં બાડેમરના જિલ્લા અધિકારીને રાત્રી ચોપાલ દરમિયાન ખેડૂતે આ માંગ કરતા આશ્વર્ય સર્જાયું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે પોતાના ઘરથી ખેતર આવન જાવનનો રસ્તો અવરોધિત હોવાથી આ પગલું ભરવું પડયું છે. બાડમેરના જોરાપુર ગામમાં રહેતા માંગીલાલે કહયું હતું કે ખેતરમાં જવાના માર્ગ પર બીજા લોકો ખેતી કરે છે. આવા સંજોગોમાં રસ્તો બંધ હોવાથી પોતાને ખેતર નિયમિત જઇ શકતા નથી.

'નથી જોડાવું અમેરિકામાં, અમારું ભવિષ્ય અમે નક્કી કરીશું', ગ્રીનલેન્ડના લોકોએ ટ્રમ્પને રોકડું પરખાવી દીધું

Image
Greenlanders tell Trump we don't want to join America: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા થોડા વખતથી ગ્રીનલેન્ડને અમેરિકામાં સમાવી લેવાની ઈચ્છા વ્યક્ત કરતા રહ્યા છે. આ ટાપુ દેશ અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ હોવાથી ટ્રમ્પે ડેનમાર્કને ગ્રીનલેન્ડ પરનું નિયંત્રણ છોડી દેવા માટે કહ્યું હતું. આ મુદ્દે ટ્રમ્પ અને ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન વચ્ચે ફોન પર ગરમાગરમી પણ થઈ ચૂકી છે. દરમિયાન, 29 જાન્યુઆરી, બુધવારના રોજ ગ્રીનલેન્ડમાં એક લોકમત યોજાયો હતો જેમાં ગ્રીનલેન્ડના બહુમતિ નાગરિકોએ અમેરિકા સાથે જોડાવાનો ઈનકાર કરી દીધો છે. આ પણ વાંચો : મહાકુંભમાં સર્જાયેલી નાસભાગમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ સહિત 30 મોત, 25ની ઓળખ થઈ

ગાઝાની વસ્તી અન્ય દેશમાં ખસેડવા મામલે ફ્રાન્સ-સ્પેન ભડક્યું, ટ્રમ્પના પ્રસ્તાવનો કર્યો વિરોધ

Image
Gaza Population Displacement Controversy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના લોકોને ઈજિપ્ત અને જોર્ડનમાં શિફ્ટ કરવાની સલાહ આપ્યા બાદ ભારે ઘમસાણ શરૂ થઈ ગયું છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે ટ્રમ્પની સલાહનો વિરોધ કરી ભાર પૂર્વક કહ્યું કે, ‘ગાઝાના લોકોને કોઈપણ રીતે બળજબરીથી ખસેડવાની વાત સ્વિકારવામાં નહીં આવે.’ સ્પેને પણ ટ્રમ્પની યોજનાની ટીકા કરી છે. ગાઝાના લોકો ગાઝામાં જ રહેવા જોઈએ : સ્પેન સ્પેનના વિદેશ મંત્રી જોસ મૈનુઅલ આલ્બાર્સે બ્રસેલ્સને સ્પષ્ટ કહ્યું કે, ‘ગાઝાના લોકો ગાઝામાં જ રહેવા જોઈએ.

સનાતન બોર્ડ બનાવો પણ સરકારને દૂર રાખો: ધર્મ સંસદ પર બોલ્યા શંકરાચાર્ય

Image
Dharm Sansad In Maha Kumbh-2025 : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રયાગરાજના મહાકુંભમાં સનાતન બોર્ડની રચના તેમજ વક્ફ બોર્ડના વિરોધમાં યોજાયેલી ધર્મ સંસદ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેમને આમંત્રણ જ મળ્યું નથી. શંકરાચાર્યો અને આચાર્યો વગર યોજાઈ ધર્મ સંસદ તેમણે કહ્યું કે, ‘મારી પણ ઇચ્છા છે કે, સનાતન બોર્ડની રચના થાય, પરંતુ આ પ્રકારના ધર્મ સંસદમાં સનાતન બોર્ડની રચના ન થઈ શકે. શંકરાચાર્યો અને આચાર્યો વગર ધર્મ સંસદમાં આવો નિર્ણય કેવી રીતે થઈ શકે.

VIDEO : પોલીસની હાજરીમાં લંડનના માર્ગો પર ખાલિસ્તાન સમર્થકો અને ભારતીયો સામ-સામે થયા

Image
London Khalistani Protest | પ્રજાસત્તાક દિવસના અવસરે બ્રિટનની રાજધાની લંડનમાં ભારે હોબાળો થયો. અહેવાલ અનુસાર અહીં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત સમારોહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ખાલિસ્તાન સમર્થકો દેખાવ કરવા લાગ્યા હતા જેના પગલે ભારતીય સમુદાયના લોકોએ તેમને સજ્જડ જવાબ આપ્યો હતો. 

'ટ્રમ્પનું વર્તન અયોગ્ય..' અમેરિકાની સામે પડ્યો નાનકડો દેશ, ગેરકાયદે પ્રવાસીના 2 વિમાન પાછા મોકલ્યા

Image
Donald Trump Emergency Tarrif on Colombia | ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારથી જ એક પછી એક ચોંકાવનારા ઝડપી પગલાં ભરી રહ્યા છે. આ વખતે ટ્રમ્પના નિશાને કોલંબિયા હતું. ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને મુસાફરી પ્રતિબંધ લાગુ કરી દીધો છે પરંતુ આ પગલું કેમ લેવાયું? ચાલો જાણીએ  ટ્રમ્પ સરકાર શું કહે છે?  ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ખીચોખીચ બે અમેરિકન આર્મીના વિમાનને લેન્ડ કરવાનો ઈનકાર કરતાં પરત મોકલી દીધા. જેના બાદ ટ્રમ્પ સરકારે કોલંબિયા સામે ટેરિફ અને વિઝા પ્રતિબંધો લાદીને કાર્યવાહી કરી છે.

કોલ્ડપ્લેના કોન્સર્ટમાં બુમરાહે આપી સરપ્રાઇઝ, ક્રિસ માર્ટિને કહ્યું- 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!'

Image
Coldplay in Ahmedabad: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રવિવારે (26 જાન્યુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના બીજા શૉમાં હાજરી આપી હતી. પીઠની ઇજાને કારણે હાલમાં ભારતીય ટીમની બહાર રહેલા બુમરાહ કોન્સર્ટમાં ખૂબ જ મસ્તી કરતો જોવો મળ્યો હતો. કોલ્ડપ્લેમાં બુમરાહે સરપ્રાઇઝ આપી હતી. તે કોલ્ડપ્લેના કોન્સર્ટમાં અચાનક આવી પહોંચ્યો હતો. આ દરમિયાન કોલ્ડપ્લેના કોન્સર્ટમાં હાજર બુમરાહ માટે ક્રિસ માર્ટિને ખાસ પંક્તિ ગાઈ હતી.

ઈઝરાયલ સાથે યુદ્ધ વિરામના થોડા જ દિવસોમાં હમાસે ગાઝાપટ્ટીમાં ફરી કબજો મેળવી લીધો?

Image
 Israel vs Hamas Updates |  યુદ્ધ વિરામ પછી માત્ર ગણતરીના જ દિવસોમાં ગાઝાપટ્ટી સ્થિત હમાસ બળવત્તર બની ગયા છે અને લગભગ સમગ્ર ગાઝાપટ્ટી ઉપર ફરી કાબુ જમાવી રહ્યા છે. ગાઝા સ્થિત હમાસે 7 ઓક્ટો. 2023ના દિને દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કર્યો પછી આ યુદ્ધ ભડકી ઉઠયું હતું. નેતન્યાહુએ આ ત્રાસવાદી જુથને ''સાફ'' કરી નાખવા શપથ લીધા છે. તેમણે હમાસના અનેક ગુપ્તસ્થળો અને તેના કેટલાયે નેતાઓનો સફાયો પણ કરી દીધો છે. તેમ છતાં તે જુથ નાશ પામ્યું નથી, ઉલટાનું ફરી પ્રબળ બની રહ્યું છે.

IND vs ENG: T20 સીરિઝની બીજી મેચમાં ભારતની ભવ્ય જીત, ઈંગ્લેન્ડ હાર્યું, તિલક વર્માની શાનદાર ઈનિંગ

Image
India vs England 2nd T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીની બીજી મેચ આજે (25 જાન્યુઆરી) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતના હીરો તિલક વર્મા હતા, જેમણે 55 બોલમાં 72 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા.

કાર્યસ્થળે મહિલાકર્મી સાથે અનિચ્છનીય વ્યવહાર જાતીય સતામણી ગણાય: મદ્રાસ હાઈકોર્ટ

Image
High Court News |  મદ્રાસ હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કાર્યસ્થળ પર મહિલાઓ સાથે અનિચ્છનીય વ્યવહાર પણ યૌન ઉત્પીડનની કેટેગરીમાં આવે છે. ઉત્પીડનકર્તાની મંશા ગમે તે હોય પરંતુ આ કૃત્ય આપરાધિક કૃત્ય છે. કાર્યસ્થળે મહિલાઓના શારીરિક શોષણને અટકાવતો કાયદો ઇરાદા કરતા કૃત્ય પર વધુ ધ્યાન આપે છે. એક આઇટી કંપની એચસીએલ ટેક્નોલોજીના એક કર્મચારી સામે મહિલા કર્મચારીએ લગાવેલા આરોપો મામલે હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી. કર્મચારી પર પોતાની સાથે કામ કરનારી ત્રણ મહિલા કર્મચારીઓના યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ખેતી કરવા માટે રાજ્યસભામાંથી આપશે રાજીનામું! વિજયસાઈ રેડ્ડીએ લીધો રાજનીતિથી સંન્યાસ

Image
Andhra Pradesh Politics: આંધ્રપ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીના નજીકના વિશ્વાસુ વી. વિજયસાઈ રેડ્ડીએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ 25 જાન્યુઆરી, 2025 ના રોજ રાજ્યસભાના સભ્યપદથી રાજીનામું આપશે.

ગુજરાતના પાડોશી રાજ્યના 17 શહેરોમાં દારુબંધી, ધાર્મિક સ્થળોને લઈ CMનો મોટો નિર્ણય

Image
Alcohol Banned At 17 Religious Places in Madhya Pradesh : મધ્યપ્રદેશ સરકારે અડધો અડધ રાજ્યમાં દારુબંધી લાદવાની નિર્ણય સંભળાવ્યો છે. મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રાજ્યના 17 પવિત્ર શહેરોમાં દારુ પર પ્રતિબંધ લાદવા મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ ઉજ્જૈન, જબલપુર, મંદસૌર સહિત 17 શહેરોમાં દારુ પર પ્રતિબંધ શરૂ થઈ ગયો છે.

'કોઈપણ ધર્મમાં લાઉડસ્પીકરનો ઉપયોગ જરૂરી બાબત નથી..', બોમ્બે હાઈકોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન

Image
Loud Speaker News | પ્રાર્થના  કરવા અથવા ધાર્મિક મંત્રો ઉચ્ચારવા માટે લાઉડસ્પીકર વાપરવા કોઈ પણ ધર્મની આવશ્યક બાબત ન હોવાનું જણાવીને બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને ધ્વનિ પ્રદૂષણ કાયદા 2000નો કડકાઈથી અમલ કરવાનો મુંબઈ પોલીસને નિર્દેશ આપ્યો છે અને લાઉડસ્પીકર વાપરીને કોઈ ધાર્મિક સ્થળ ધ્વનિ પ્રદૂષણ કરે નહીં તેની તકેદારી લેવા  જણાવ્યું છે. મુંબઈ સર્વધર્મી શહેર છે અને વિવિધ ધર્મના લોકો અહીં રહે છે, એમ કોર્ટે નોંધ કરી હતી.લાઉડસ્પીકરનો વપરાશ નકારવાથી કોઈ રીતે અધિકાર પર અસર થતી હોવાનો કોઈ દાવો કરી શકે નહીં. જનહિતમાં આવી પરવાનગી આપવી જોઈએ નહીં. પરવાનગી નકારવાથી કોઈ બંધારણીય અધિકારનો ભંગ થતો નથી.

ChatGPT થયું ડાઉન, દુનિયાભરના યુઝર્સ થયા પરેશાન, OpenAIએ કોઈ પુષ્ટિ નથી કરી

Image
ChatGPT Down: ચેટજીપીટી ટેક્નિકલ સમસ્યાના કારણે ગુરુવારે ડાઉન થઈ ગયું. જેને લઈને દુનિયાભરના લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. OpenAIની API અને અન્ય સેવાઓ પણ ખોરવાઈ છે, જેને લઈને મોટાપાયે વિક્ષેપ પડ્યો છે. ડિસેમ્બરમાં બે વાર આઉટેજ પછી આ ત્રીજી વખત ચેટજીપીટી સેવા બંધ થઈ છે. આ કારણે, યુઝર્સ ચેટ કરી શક્યા નહીં કે હિસ્ટ્રી જોઈ શક્યા નહીં.

'સ્કૂલ અને ચર્ચમાંથી પણ પકડો...' અમેરિકામાં ગેરકાયદે શરણાર્થીઓ અંગે ટ્રમ્પના ફરમાનથી ફફડાટ

Image
Donald Trump News | ટ્રમ્પ વહીવટીતંત્રએ ચર્ચ અને સ્કૂલો જેવા સંવેદનશીલ સ્થળોએથી પણ ઇમિગ્રેશન અધિકારીઓને ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સની ધરપકડ ન કરવાની દાયકા જૂનીની ત્યજી દઈને તેઓને છૂટ આપી છે. તેના લીધે અમેરિકામાં વસતા માઇગ્રન્ટ્સમાં રીતસરનું ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. આના પહેલે ગેરકાયદે માઇગ્રન્ટ્સને પ્રવેશવા બંને ફેડરલ એજન્સીઓ ઉપરોક્ત બંને સ્થળોએ જઈ શકતી ન હતી.  ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ગુરુવારે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાંના લીધે સીબીપી અને આઇસીઇના હિમતવાન પુરુષ અને મહિલા કર્મચારીઓ આપણા ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરીને આવનારા ગેરકાયદે વસાહતીઓ સામે પગલાં લઈ શકશે, તેમા હત્યારાઓ અને બળાત્કારીઓનો સમાવેશ થાય છે. આ ગુનેગારો હવે અમેરિકન સ્કૂલો અને ચર્ચોમાં છૂપાઈને તેમની ધરપકડ ટાળી નહી શકે.

'હું રશિયાને નુકસાન નથી પહોંચાડવા માગતો...', ડોનાલ્ડ ટ્રમ્પનું પુતિન અંગે સૌથી મોટું નિવેદન

Image
Donald Trump Ultimatum To Vladimir Putin : અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે સત્તામાં આવતા જ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જેમાં ગેરકાયદે પ્રવાસીઓથી લઇને પનામા કેનાલ સુધીના ઘણાં નિર્ણયો સામેલ છે. આ દરમિયાન ટ્રમ્પે હવે રશિયા-યુક્રેન યુદ્ધને લઇને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલ્ટીમેટમ આપ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (22 જાન્યુઆરી) એ સંકેત આપ્યું છે કે, જો વ્લાદિમીર પુતિન યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત કરવા માટે તૈયાર નહીં થાય તો રશિયા પર વધુ પ્રતિબંધો લાદવામાં આવશે.

'જો ભારત શેખ હસીનાને પરત નહીં મોકલે તો...', બાંગ્લાદેશની વચગાળાની સરકારની ખુલ્લી ધમકી

Image
Bangladesh News: બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે ખુલ્લી ધમકી આપી છે. બાંગ્લાદેશ સરકારે કહ્યું કે તે ભારતમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને પરત લાવવાના પ્રયાસો ચાલુ રાખશે અને જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરશે. ઢાકા સ્થિત 'ડેઇલી સ્ટાર' અખબાર અનુસાર, વચગાળાની સરકારમાં કાનૂની બાબતોના સલાહકાર આસિફ નજરુલે અહીં સચિવાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે, જો ભારત હસીનાને પરત મોકલવાનો ઇનકાર કરે છે, તો તે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન હશે. આ પણ વાંચો: તૂર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગેલી ભયાનક આગમાં 66 લોકોના મોત, 51 ઈજાગ્રસ્ત, બચાવકાર્ય ચાલુ

અમેરિકામાં ટ્રમ્પનું રાજ દુનિયાની દિશા અને દશા બદલશે, ઈમિગ્રેશન-ટેરિફ અંગે મોટા નિર્ણયની તૈયારી

Image
- ઇન્ડોર સમારંભમાં ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખપદે શપથ લીધા, જે ડી વાન્સે ઉપપ્રમુખપદે શપથ લીધા - અમેરિકાનો સુવર્ણયુગ લાવવાનુ ટ્રમ્પે તેમના સમર્થકોને વચન આપ્યું - ટ્રમ્પ પહેલા જ દિવસે 100થી વધુ એક્ઝિ. ઓર્ડર પર સહી કરી શકે - ટ્રમ્પનું મોંઘવારીમાં ઘટાડો કરવાનું અને ફુગાવો અંકુશમાં રાખવાનું વચન - ટ્રમ્પના આવતા જ  જન્મ થવાથી નાગરિકત્વનો અધિકાર જ ખતમ 

રોહિત જ નહીં વિરાટ કોહલી પણ રમશે રણજી ટ્રોફી, 13 વર્ષ બાદ વાપસીની તૈયારી

Image
Virat Kohli in Ranji Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. કોહલી ટૂંક સમયમાં રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમમાંથી રમતો દેખાઇ શકે છે. મીડિયા અહેવાલ મુજબ, રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ 30 જાન્યુારીએ રેલવેની ટીમ સામે મેચ રમશે અને આ મેચમાં કોહલી દિલ્હી તરફથી રમી શકે છે.  13 વર્ષ બાદ રણજીમાં કરશે વાપસી ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) એ કડક વલણ અપનાવતા ટીમ ઇન્ડિયાના સિનિયર ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે.

મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ

Image
Mahakumbh 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અઘોરીઓ અને નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સોશિયલ મીડિયા એમના ફોટોગ્રાફ અને વીડિયોથી ઊભરાઈ રહ્યું છે. અઘોરીઓ અને નાગા સાધુઓના જીવન અને મૃત્યુ ફરતે વીંટળાયેલા રહસ્યને લીધે લોકોને તેમના વિશે જાણવાનું કુતૂહલ થતું હોય છે. ચાલો, આજે આપણે પણ તેમના જીવનમાં ડોકિયું કરીએ.  અઘોરનો અર્થ શું?

'આતંકવાદનું કેન્સર જે હવે ખુદ પાકિસ્તાનને ખાઈ રહ્યું છે', પાડોશી દેશને એસ.જયશંકરનો આકરો સંદેશ

Image
S Jaishankar Statement on Pakistan and China: મુંબઈમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 'ભારત અને ચીન એક સાથે ઉભરી રહ્યા છે, જેના કારણે સંબંધોમાં સંતુલન જાળવવા માટે એક અનોખો પડકાર ઉભો થયો છે. અગાઉની આદર્શવાદી અને ગેરમાર્ગે દોરનારી નીતિઓ સહકાર અને સ્પર્ધામાં અવરોધરૂપ હતી, પરંતુ છેલ્લા દાયકામાં ભારતનો અભિગમ બદલાયો છે.' તેમણે કહ્યું કે, '2020ના સરહદ વિવાદે સંબંધોને જટિલ બનાવ્યા છે અને આ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.' વિદેશ મંત્રી એસ.

દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના દિગ્ગજ નેતા પણ કરશે કેમ્પેનિંગ

Image
Delhi Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે શનિવારે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે. કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી કોંગ્રેસે પોતાના પ્રચારકોની યાદીમાં વર્તમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, રાજ્યસભા અને લોકસભાના સાંસદો, ભૂતપૂર્વ સાંસદો ઉપરાંત તેમના રાષ્ટ્રીય પ્રવક્તાઓનો સમાવેશ કર્યો છે, જેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક ભેટ, ફ્રીમાં હવે લક્ઝરી ટ્રેનોમાં કરી શકશે મુસાફરી! જાણો LTCનો નવો નિયમ

Image
LTC Benefits For Government Employees : કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીને લઈને મોટી જાહેરાત કરી છે. લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) હેઠળ વંદે ભારત એક્સપ્રેસ, હમસફર અને તેજસ જેવી લક્ઝરી ટ્રેનોમાં મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. સરકારી કર્માચારીઓ પાસે કુલ 385 ટ્રેનમાં મુસાફરી કરવાનો વિકલ્પ છે, જેમાં 136 વંદે ભારત, 97 હમસફર અને 8 તેજસ એક્સપ્રેસ ટ્રેન સામેલ છે. અગાઉ, તેઓ રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી 144 હાઇ-એન્ડ ટ્રેનોમાં એસી મુસાફરીનો આનંદ માણી શકતા હતા. આ નિર્ણયથી દેશના તમામ પ્રદેશોમાં LTC મુસાફરી બુકિંગ માટે સરકારી કર્મચારીઓને વધુ વિકલ્પો મળશે.

આબુમાં તાપમાન 0.8 ડિગ્રી, ઉ.ભારત પણ કાતિલ ઠંડીના સકંજામાં, 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Image
Weather News Updates | ઉત્તર ભારત ફરી એક વખત હાડગાળતી ઠંડી અને ધુમ્મસની ઝપેટમાં આવ્યું છે, જેને પગલે અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કાશ્મીરમાં હિમવર્ષા પછી મોટાભાગના વિસ્તારોમાં રાતના સમયે લઘુત્તમ તાપમાન ઘટયું છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામમાં તાપમાન એક જ રાતમાં સાત ડિગ્રી જેટલું ઘટીને માઈનસ 11.8 ડિગ્રી થયું હતું જ્યારે યાત્રાધામ વૈષ્ણોદેવીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 0.8 ડિગ્રી નોંધાયું હતું.

દિલ્હીમાં ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ મહિલાઓ સામે ખોળો પાથર્યો, જાહેરાતોની ભરમાર

Image
Delhi election 2025 : દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે મફત રેવડીનો વિરોધ કરી રહેલા ભાજપે 15 વર્ષથી રાજ્યમાં સત્તા પર આવવાનું તેનું સપનું સાકાર કરવા મહિલાઓ માટે વચનોની લ્હાણી કરી છે. ચૂંટણી જીતવા માટે મહિલાઓને આકર્ષવામાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ પાછળ નથી. દેશમાં 2021માં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ મહિલાઓ માટે રોકડ લાભ સ્કીમ 'લક્ષ્મી ભંડાર યોજના' રજૂ કર્યા પછી દેશમાં યોજાયેલી લગભગ બધી જ ચૂંટણીઓમાં પક્ષો દ્વારા મહિલાઓ માટે આ પ્રકારની યોજનાઓ રજૂ કરવાનું ચલણ વધી ગયું છે, જેનો તેમને લાભ પણ મળ્યો છે.  દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માટે બધા જ રાજકીય પક્ષોએ મહિલાઓ પર ફોકસ વધાર્યું છે. દિલ્હીની મહિલાઓને રિઝવવા માટે આપ, ભાજપ અને કોંગ્રેસે તેમની બધી જ તાકત લગાવી દીધી છે.

સૈફ પર હુમલો કરનારા આરોપીની નવી તસવીર આવી સામે, પોતાનો દેખાવ બદલ્યો

Image
Saif Ali Khan Attacked: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલા મામલે મુંબઈ પોલીસે હુમલાખોરને પકડવા માટે દિવસ-રાત એક કરી છે. પરંતુ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. જો કે, તપાસ દરમિયાન એક નવો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, હુમલાખોર શંકાસ્પદે કથિત રીતે પોલીસ પકડથી બચવા માટે કપડાં બદલી નાખ્યા હતા. સૈફના ઘર અને બાંદ્રાની લકી હોટલ વિસ્તારથી મળેલા સીસીટીવી ફૂટેજથી જાણવા મળે છે કે, ઘટના બાદ શંકાસ્પદે પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો.

પિયરથી પૈસા ન લાવે તો સાથે ન રહેવા દેવાની માત્ર ધમકી સતામણી ન ગણાય : બોમ્બે હાઈકોર્ટ

Image
High Court News | પતિ કે સાસરિયાએ માગેલા પૈસા પીયરેથી નહીં લાવે તો પતિ સાથે રહેવા દેવાશે નહીં એવું કહેવા માત્રને માનસિક કે શારીરિક સતામણી કહી શકાય નહીં એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું. ન્યા. કાંકણવાડી અને ન્યા. જોશીની બેન્ચે નોંધ કરી હતી કે પત્નીએ પતિ અને સાસરિયા સામે નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેને રૂ. પાંચ લાખની રકમ તેના પિતા પાસેથી લાવવા જણાવ્યું હતું જેથી પતિ  કાયમી સરકારી નોકરી મેળી શકે.

ઓડિશામાં સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, કોલ હોપર તૂટી પડતા અનેક શ્રમિકોના મોતની આશંકા

Image
Odisha News: ઓડિશાના સુંદરગઢ જિલ્લાના રાજગંગપુરમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના બની છે. ફેક્ટરીના કોલસાનું હોપર તૂટી પડવાથી અનેક શ્રમિકોના મોતની આશંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. ઘટનાસ્થળે 6 એમ્બ્યુલન્સ અને 6 ફાયર વિભાગના વાહન તૈનાત છે.

જામનગર-દ્વારકામાં 5 દિવસથી મેગા ડિમોલિશન, દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક સ્થાન સહિત 285 દબાણ હટાવાયા

Image
Bulldozer Action in Jamnagar and Bet Dwarka |   દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સતત પાંચ દિવસથી મેગા ડિમોલિશન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં વહીવટી તંત્ર અને પોલીસ ખાતાના સંકલનમાં પાંચ દિવસ દરમિયાન સંવેદનશીલ ગણાતા બન્ને જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર અને મધદરિયે આવેલા ટાપુઓ ઉપર 271 રહેણાંક અને 7 કોમશયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરીને 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું આજે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે જાહેર કર્યું હતું.  દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ ધરાવે છે. અહિયાંથી દરિયાઈ માર્ગે દુશમન દેશ નજીક હોવાથી સરકાર દ્વારા દેશવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે ખાસ ડિમોલિશનઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, તેમ જણાવીને રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે ઉમેર્યું હતું કે, બીજા તબક્કામાં ગત તા.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ, ટ્રમ્પે કહ્યું- 'ટુંક સમયમાં જ મુક્ત થશે બંધકો'

Image
Israel Hamas War : અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામને લઇને મોટી માહિતી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, 'મિડલ-ઇસ્ટમાં બંધકોને મુક્ત કરવાને લઇને સહમતી બની ગઇ છે અને બંધકોને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.' જોકે, ઇઝરાયલ ને હમાસ દ્વારા યુદ્ધવિરામને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.  યુદ્ધવિરામ પછી શું થશે? અહેવાલ મુજબ, જો હમાસ અને ઇઝરાયલ વચ્ચે સત્તાવાર રીતે યુદ્ધવિરામ થઇ જાય છે તો હમાસ પહેલા બંધકોને મુક્ત કરશે અને પછી ઇઝરાયલના સૈનિકો ગાઝામાંથી તબક્કાવાર રીતે વાપસી કરશે.

બદલાયો SIM કાર્ડ ખરીદવાનો નિયમ, PMOએ આપ્યા નિર્દેશ, ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ થશે કાર્યવાહી

Image
Sim Card New Rule In India: પ્રધાનમંત્રી ઓફિસ (PMO)એ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને એક જરૂરી નિર્દેશ આપ્યા છે. જેના અનુસાર, હવે નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર બેઝ્ડ બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરી દેવાયું છે. આ પગલાનો ઉદ્દેશ્ય નકલી દસ્તાવેજોના માધ્યમથી મળેલા મોબાઈલ કનેક્શનના વધતા ખોટા ઉપયોગને રોકવાનો છે. જણાવી દઈએ કે, નકલી દસ્તાવેજો દ્વારા ગેરકાયદે સિમ કાર્ડ ખરીદવામાં આવે છે અને પછી ખોટી રીતે તેનો ઉપયોગ થાય છે. રિપોર્ટ અનુસાર, પહેલા યુઝર્સ નવું મોબાઈલ કનેક્શન મેળવવા માટે કોઈ પણ સરકારી આઈડી, જેમ કે વોટર આઈડી અથવા પાસપોર્ટનો ઉપયોગ કરતા હતા.

'નો પાર્કિંગ સ્પેસ-નો કાર...' વાહન ખરીદનારાઓ માટે જલદી નિયમ લાગુ કરશે મહારાષ્ટ્ર સરકાર

Image
No Parking Space No Car Rules in Maharastra | મહારાષ્ટ્ર સરકાર એક નવી નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જે હેઠળ લોકોએ કાર ખરીદતા પહેલા પાર્કિંગની જગ્યા વિશે જણાવવું ફરજિયાત રહેશે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ પ્રસ્તાવની જાહેરાત કરી, જેનો હેતુ શહેરી વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિક ભીડની સમસ્યાને નિયંત્રિત કરવાનો છે. પરિવહન મંત્રીએ શું કહ્યું?  સરનાયકે જણાવ્યું હતું કે ગીચ વસ્તીવાળા શહેરોમાં વાહનોની વધતી સંખ્યા ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહી છે. તેમણે કહ્યું કે લોન પર ખરીદેલા એક બેડરૂમના ફ્લેટમાં રહેતા લોકો જાહેર રસ્તાઓ પર પોતાની કાર પાર્ક કરી રહ્યા છે કારણ કે તેમની પાસે ખાનગી પાર્કિંગની સુવિધા નથી.

નેતન્યાહૂ માટે રાહતના સમાચાર! હમાસે યુદ્ધ વિરામનો ડ્રાફ્ટ સ્વીકાર્યો, બંધકો મુક્ત થવાની તૈયારી

Image
Israel-Hamas Ceasefire Draft: ગાઝા પટ્ટીમાં મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક નવી આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. હમાસે યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ માટે રજૂ કરેલા ડ્રાફ્ટને સ્વીકાર્યો છે. જો તમામ યોજના અનુસાર ચાલ્યું તો આ પગલું ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહ માટે રાહતનો શ્વાસ સાબિત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હમાસે ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ અને હજારો બંધકોની મુક્તિ માટે એક ડ્રાફ્ટ કરારને સ્વીકાર્યો છે. મધ્યસ્થ કતારે કહ્યું કે, ઈઝરાયલ અને ફિલિપાઈન્સનું ઉગ્રવાદી સંગઠન હમાસ અત્યાર સુધીમાં સૌથી વધુ નજીક આવ્યા છે.

આજે ઉત્તરાયણ, જાણો કઈ રાશિએ કઈ વસ્તુનું કરવું જોઈએ દાન

Image
Donation according to zodiac sign on Uttarayan day :  ગ્રહોના રાજા સૂર્યદેવના કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટનાને મકર સંક્રાંતિ કહેવાય છે. જેની ઉજવણી મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ તરીકે કરવામાં આવે છે. પંચાંગ મુજબ આ વર્ષે સૂર્યદેવ 14 જાન્યુઆરી 2025ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. ઉત્તરાયણના પાવન દિવસે સ્નાન, દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તે વિશે જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાએ આપેલી માહિતી પર નજર કરીએ.

માર્ક ઝકરબર્ગને મોદી સરકાર વિરુદ્ધનું જૂઠાણું ફેલાવવું ભારે પડ્યું, અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ

Image
Ashwini Vaishnaw On Mark Zuckerberg : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મોદી સરકારના પતનના માર્ક ઝકરબર્ગના દાવા સામે પ્રતિક્રિયા આપી છે. જેમાં સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર વૈષ્ણવે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'માર્ક ઝકરબર્ગ ખુદ જૂઠાણું ફેલાવી રહ્યા છે. આ ઘણું નિરાશાજનક છે. તેમને તથ્ય અને વિશ્વસનીયતા બનાવી રાખીએ જોઈએ. વાત એમ છે કે, માર્ક ઝકરબર્ગે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, 'વર્ષ 2024 દુનિયા માટે કઠિન સાબિત થશે. કોવિડ-19 બાદ અનેક દેશોમાં ચૂંટણી થઈ અને ભારત સહિત અનેક દેશોની સરકાર પડી ગઈ.

IPL પહેલા પંજાબ કિંગ્સના નવા કેપ્ટનની જાહેરાત, શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન

Image
Punjab Kings New Captain Shreyas Iyer: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા પંજાબ કિંગ્સ (PBKS) ટીમે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. પ્રીતિ ઝિન્ટાની માલિકીની આ પંજાબ ટીમે શ્રેયસ ઐયરને કમાન સોંપી છે. પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીએ પોતાના નવા કેપ્ટનની જાહેરાત ઘણી અલગ રીતે કરી છે. તેમણે આ જાહેરાત ટીવી શો બિગ બૉસ દ્વારા કરી છે. શોના હોસ્ટ અને એક્ટર સલમાન ખાને પ્રોગ્રામ દ્વારા પંજાબ ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી છે.

ISROએ Spadex મિશનને લઈને આપી મોટી અપડેટ, કહ્યું- 'સામાન્ય સ્થિતિમાં આવી બંને સેટેલાઈટ'

Image
Spadex Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ શનિવાર (11 જાન્યુઆરી, 2025)એ સ્પેડેક્સ પ્રોજેક્ટ પર નવી અપડેટ શેર કરતા જણાવ્યું કે, મિશનમાં સામેલ બે અંતરિક્ષયાન સામાન્ય સ્થિતિમાં છે. ISROએ 'X' પર પોસ્ટમાં માહિતી આપતા જણાવ્યું કે, ઇન્ટર સેટેલાઇટને 230 મીટરની દૂર (ISD) પર રોક લગાવી દીધી છે, તમામ સેન્સરની તપાસ કરવામાં આવી રહી છે. અંતરિક્ષયાન સુરક્ષિત છે.

યુપીના મુખ્યમંત્રી યોગી અચાનક વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા, ફોટો પોસ્ટ કરીને જાણો શું લખ્યું

Image
Maha Kumbh 2025: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસ સુધી પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ જોયા બાદ શુક્રવાર(10 જાન્યુઆરી, 2025)ની સાંજે અચાનક દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાન મોદીને પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનું નિમંત્રણ આપ્યું છે.  મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાન મોદીને કળશ ભેટ આપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીને કળશ ભેટ આપી.

કેજરીવાલની ફરિયાદ બાદ ચૂંટણી આયોગ આવ્યું એક્શનમાં, ભાજપના પ્રવેશ વર્મા વિરૂદ્ધ થશે તપાસ

Image
AAP On Parvesh Verma : આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી આયોગને આપવામાં આવેલી ફરિયાદને આજે ગુરુવારે દિલ્હી ચૂંટણી કમિશનરને મોકલવામાં આવી. ચૂંટણી આયોગે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને AAPની ફરિયાદની તપાસ કરવા, તથ્યોની ખાતરી કરવા અને આદર્શ આચારસંહિતા મુજબ તાત્કાલિક યોગ્ય પગલા લેવા જણાવ્યું છે. જેમાં કાર્યવાહીનો રિપોર્ટ કમિશનને મોકલવામાં આવશે. AAPએ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માની વિરુદ્ધમાં આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘની ફરિયાદ કરી હતી. જેમાં AAP એ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી ભૂમિકામાં ફેરફારો અને કાપનો પણ આરોપ લગાવ્યો હતો.

VIDEO: દેવાયત ખવડે ફરી બ્રિજરાજ ગઢવી પર કર્યો વળતો પ્રહાર, કહ્યું- 'આ બધી ઉપજાવેલી વાતો છે'

Image
Devayat Khavad and Brijraj Gadhvi Controversy: ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે. એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે જૂનો વિવાદ હતો તે ફરી શરુ થયો છે. અગાઉ બંને વચ્ચેનું વાક યુદ્ધ વધતાં સમાજ દ્વારા બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવવામાં આવ્યું હતું.  વીડિયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે, કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મન દુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. જોકે, હવે ફરી એકવાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વાક યુદ્ધ શરુ થયું છે.

ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, દર્દી સારવાર હેઠળ

Image
HMPV Virus In Gujarat : દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી. આ વાઈરસના અમુક કેસો ભારત સહિત ગુજરાતમાં નોંધાયા છે, ત્યારે રાજ્યમાં HMPVનો પ્રથમ કેસ અમદાવાદ અને હિંમતનગરના પ્રાંતિજમાં બીજો કેસ નોંધાયો હતો. જ્યારે રાજ્યમાં HMPVનો વધુ એક કેસ અમદાવાદના વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે.  અમદાવાદમાં HMVPનો વધુ એક કેસ નોંધાયો ચીનના ખતરનાક વાઇરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલમાં નોંધાયો હતો.

અમેરિકાની યમનમાં એરસ્ટ્રાઇક, મિસાઇલો ઝીંકી હૂતીઓના હથિયાર ભંડારનો કર્યો નાશ

Image
US Air Strike on Yemen : અમેરિકાએ યમનમાં એરસ્ટ્રાઇક કરી હૂતીઓના હથિયાર ભંડાર કેન્દ્રો પર મિસાઇલો ઝીંકી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) દાવો કર્યો છે કે, ‘અમે અમારા સાથીદારોને ધમકાવનાર અને ઇરાનનું સમર્થન કરતાં હૂતીઓના પ્રયાસોને ડામવા આ હુમલો કર્યો છે. CENTCOMએ એક્સ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, ‘અમારી સેનાએ યમનમાં હૂતી એડવાન્સ કન્વેશનલ હથિયાર સ્ટોરેજો પર હુમલા કર્યા છે. સેનાએ 8 જાન્યુઆરી-2025ના રોજ યમનમાં હૂતીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર ચોકસાઈપૂર્વક હુમલો કર્યો છે, જેમાં ઇરાનના સમર્થક હૂતીના એડવાન્સ કન્વેશનલ હથિયારોના ભંડારનો નાશ થયો છે. હૂતી હુમલાખોરોની કરતૂતો અટકાવ કરાયો હુમલો

VIDEO : બિધૂડી વિરુદ્ધ દેખાવો દરમિયાન કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ, પથ્થમારો, ત્રણને ઈજા

Image
Hyderabad Congress Protest Again Ramesh Bidhuri : દિલ્હી ભાજપના નેતા રમેશ બિધૂડીએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર કોંગ્રેસે હૈદરાબાદમાં ઉગ્ર દેખાવો કર્યા હતા, જેમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મંગળવારો દેખાવો દરમિયાન બંને પક્ષોના કાર્યકર્તાઓ સામસામે આવ્યા બાદ મારમારી પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન કથિત પથ્થરમારો થવાથી ભાજપા કાર્યકર્તાને ઈજા થઈ છે. આ ઘટના બાદ ભાજપ અને સત્તાધારી સરકાર વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું છે.

‘ડેથ સર્ટિફિકેટ વિના મતદાર યાદીમાંથી મૃતકનું નામ કાઢી શકાતું નથી’ કેજરીવાલના આરોપ પર ECનો જવાબ

Image
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભારે ગરમાગરમી શરુ થઈ ગઈ છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે, આ સાથે પંચે મતદારોના નામ કાપવાના આક્ષેપનો તેમજ ઈવીએમમાં ગડબડીના આરોપનો પણ જવાબ આપી દીધો છે. વાસ્તવમાં અરવિંદ કેજરીવાલે અને તેમની આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા. તેઓએ નવી દિલ્હી વિધાનસભા બેઠક સહિત અનેક બેઠકો પર મતદારોના નામ કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ખાસ કરીને તે લોકો અને વિસ્તારોના લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોઈ શકે છે, જેઓ AAPના સમર્થનમાં છે. પાર્ટીએ આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી હતી અને હવે ચૂંટણી પંચના કમિશ્નર રાજીવ કુમારે તેનો જવાબ આપી દીધો છે.