"બાલાસાહેબના બચાવથી જ મોદી આજે PM પદ સુધી પહોંચ્યા": ઉદ્ધવ ઠાકરેનો ભાજપ પર પ્રહાર



શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસાહેબ ઠાકરે વગર આટલે આગળ સુધી ન પહોંચી શક્યા હોત. જ્યારે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમને "રાજધર્મ" અનુસરવા સૂચના  આપ્યું હતું જો એ સમય "બચાવ" ન કર્યો હોત તો અહિયાં સુધી ન પહોંચ્યા હોત. તેમણે કહ્યું કે, શિવસેનાએ 25-30 વર્ષ સુધી રાજકીય નેતૃત્વનું રક્ષણ કર્યું, પરંતુ ભાજપએ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએના ભૂતપૂર્વ સહયોગી શિવસેના અને અકાલી દળને ઇચ્છતા ન હતા.

મુંબઈમાં ઉત્તર ભારતીયોના સભાને સંબોધતા તેમણે કહ્યું, “હું બીજેપીથી અલગ થઈ ગયો, પરંતુ મેં ક્યારેય હિન્દુત્વ છોડ્યું નથી. ભાજપ હિન્દુત્વ નથી. હિન્દુત્વ શું છે, ઉત્તર ભારતીયો જવાબ માંગે છે. એકબીજાને નફરત કરવીએ હિન્દુત્વ નથી." ઠાકરેએ ભાજપ પર હિન્દુઓમાં નફરત પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. 

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે મોદીને "રાજધર્મ" અનુસરવા વાજપેયીના ઉપદેશનો ઉલ્લેખ કરતા, ઠાકરેએ કહ્યું, "તે બાલાસાહેબ ઠાકરે હતા જેમણે વર્તમાન વડા પ્રધાનને બચાવ્યા હતા જ્યારે અટલજીએ  તેઓને "રાજધર્મ" નું સન્માન કહ્યું હતું. પરંતુ બાલાસાહેબે તે સમયની જરૂરિયાતના કારણે હસ્તક્ષેપ કર્યા હતા. જો આવું ન થયું હોત તો મોદી અહીં સુધી પહોંચી શક્યા ન હોત. 2002ના ગુજરાત રમખાણો બાદ વાજપેયીએ 'રાજધર્મ'ની સલાહ આપી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો