ભર વરસદ આફત સરજ : હમચલમ અતયર સધમ 17ન મત 4 રજયમ NDRFન 39 ટમ તનત ઉતતર રલવએ 70 ટરન રદ કર


ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી પડવા જેવી ઘટનાઓથી અત્યાર સુધીમાં લગભગ 50 લોકોના મોત થઈ ચૂક્યા છે.

હિમાચલમાં ભારે વરસાદથી નુકસાન, અત્યાર સુધીમાં 17 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 60 કલાકથી વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જાનમાલના નુકસાનની સ્થિતિ પર મુખ્યમંત્રી ઠાકુર સુખવિંદર સિંહ સુખુ સતત નજર રાખી રહ્યા છે.

4 રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને પહોંચી વળવા NDRFની 39 ટીમો તૈનાત

ઉત્તર ભારતના ચાર રાજ્યોમાં શનિવારથી ભારે વરસાદ અને પૂરને પહોંચી વળવા માટે NDRFની કુલ 39 ટીમો તૈનાત કરાઈ છે. આજે આ માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે NDRFની 14 ટીમો પંજાબમાં સ્થિતિ સંભાળી રહી છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં 12 ટીમો, ઉત્તરાખંડમાં 8 અને હરિયાણામાં 5 ટીમો તૈનાત છે. એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, દરેક ટીમમાં લગભગ લગભગ 30-35 બચાવ કર્મચારીઓ બોટ, દોરડા, વૃક્ષ કાપવા માટેના તેમજ અન્ય જરૂરી સાધનો સાથે તૈયાર છે.

ઉત્તર રેલવેએ 70થી વધુ ટ્રેનો રદ કરી

ભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઉત્તર રેલવેને પણ અસર થઈ છે. ઉત્તર રેલવેએ 70થી વધુ ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.

PM મોદીએ હિમાચલ અને ઉત્તરાખંડના CM સાથે જાણી પરિસ્થિતિ, તમામ મદદની ખાતરી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનો સાથે તેમના રાજ્યોમાં વરસાદ સંબંધિત પરિસ્થિતિ પર વાત કરી. આ દરમિયાન તેમણે ભારત સરકાર તરફથી તમામ શક્ય મદદ અને સમર્થનની ખાતરી આપી હતી.

હરિયાણામાં મોટી દુર્ઘટના, ઝુંપડપટ્ટી પર કાટમાળ પડતા 3ના મોત

હરિયાણાના પંચકુલાના પિંજોર પાસે શિવ લોટિયા મંદિર માર્ગ પરની ઝૂંપડપટ્ટી પર પહાડનો કાટમાળ પડવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જવાથી 3 બાળકોના મોત થયા છે. મૃતકોની ઓળખ 19 વર્ષીય આકાશ, 7 વર્ષીય કાર્તિક અને 5 વર્ષની પ્રિયંકા તરીકે થઈ છે.

યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ 

યમુના નદી ચેતવણીના સ્તરને પાર પહોંચવાની તૈયારીમાં  છે. બપોરે 2 વાગ્યે જૂના રેલવે બ્રિજ પર નદીનું જળસ્તર 204.88 મીટર નોંધાયું હતું. નદીનું જોખમ સ્તર 205.33 મીટર છે. બપોરે 2 વાગ્યે હથનીકુંડ બેરેજમાંથી 2,13,679 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

હિમાચલના મંડીમાં કુદરતનો કહેર, અચાનક આવ્યો ધસમસતો જલપ્રવાહ


વિક્ટોરિયા બ્રિજની તસવીર 

હિમાચલ પ્રદેશના વિક્ટોરિયા બ્રિજ અને પંચવક્ત્ર મંદિરની આસપાસના મંડીના ભયાનક દ્રશ્યો.  

ગુજરાતના 107 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં અને મહીસાગરના લુણાવાડા સૌથી વધુ 4-4 ઈંચ વરસાદ વરસ્યો છે.

NDRF ટીમ દ્વારા બચાવ 

હિમાચલ પ્રદેશમાં મોડી રાત્રે બચાવ કામગીરીમાં, ટીમે મંડી જિલ્લાના નાગવૈન ગામ નજીક બિયાસ નદીમાં વરસાદ પછી નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે ફસાયેલા 6 લોકોને બચાવ્યા.

શિમલા બાયપાસ પર ફસાયેલી બસનો વીડિયો વાયરલ 

આ વીડિયો દેહરાદૂનના શિમલા બાયપાસ ચોક પાસે આવેલા રામગઢ ગામનો છે. વીડિયોમાં વરસાદી નદીના ઝડપી વહેતા પાણીમાં ફસાયેલી બસમાંથી મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. હકીકતમાં, હિમાચલ રોડવેઝની ચંદીગઢથી હરિદ્વાર જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ વરસાદી નદીમાં પાણી આવવાને કારણે ફસાઈ ગઈ હતી. બસમાં બેઠેલા મુસાફરોએ બસની છત પર ચઢીને અને પછી સલામત સ્થળે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે યાત્રીઓ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે લડાઈ થઈ હતી.

50 વર્ષ જૂનો પુલ પણ પાણીમાં વહી ગયો

કસોલમાં રસ્તાના કિનારે હાઈવે પર વાહનો પાર્ક કરેલા હતા. આ દરમિયાન પાર્વતી નદીમાં પૂર આવ્યું હતું. લોકો કંઈ સમજે કે વાહનો હટાવે તે પહેલા ધમસમતા આવેલું નદીનું વહેણ તમામ વાહનોને ખેંચી ગયું હતું. આ જ રીતે મંડીમાં પૂરમાં કુલ્લુ-બંજાર-લુહરી-રામપુરાને જોડતો 50 વર્ષ જૂનો પુલ પણ પાણીમાં વહી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે આ પુલ વહી રહ્યો હતો, ત્યારે લોકોની ચીસોની પણ અવાજો સંભળાઈ રહી છે.

પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ મેઘ તાંડવ

પહાડોની સાથે મેદાની વિસ્તારોમાં પણ મેઘ તાંડવના દ્રશ્યો સામે આવ્યા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ગુરુગ્રામની નજીકના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. દિલ્હીમાં મિન્ટો બ્રિજના અંડરપાસની નીચે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. તો પંજાબમાં વરસાદે કોઈ ઓછી તબાહી સર્જી નથી. વરસાદને કારણે ચંદીગઢની એક સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વહીવટીતંત્રને સોસાયટીની અંદર બોટ ચલાવવી પડી હતી.

મનાલીના ભયાનક દ્રશ્યો 

મનાલીમાં ગુરુદ્વારા મણિકરણ સાહિબના દ્રશ્યો. પાણી મુખ્ય પુલ ઉપરથી ગુરુદ્વારા સાહિબમાં જાય છે.

દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા અને લુધિયાણામાં શાળાઓ બંધ

ભારે વરસાદના કારણે શાળાઓ બંધ કરવી પડી હતી. સોમવારે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, હાપુડ અને ફરીદાબાદમાં શાળાઓ બંધ રહેશે. લુધિયાણામાં પણ વરસાદને કારણે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો