VIDEO : ભર વરસદ પજબ-હમચલન લધ બનમ ચરકર મઘ તડવ અમત શહ તમમ મદદન ખતર આપ

નવી દિલ્હી, તા.09 જુલાઈ-2023, રવિવાર

દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદ આફત લઈને આવ્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3નો એક ભાગ બિયાસ નદીના પ્રવાહને કારણે ધોવાઈ ગયો છે. તો મંડી જિલ્લાના પંડોહનો લાલ પુલ પણ આ નદીના વહેણને કારણે વહી ગયો હતો. કસોલમાં પણ અનેક વાહનો વહી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરવાની નોબત આવી છે.

પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ મેઘ તાંડવ

પહાડોની સાથે મેદાની વિસ્તારોમાં પણ મેઘ તાંડવના દ્રશ્યો સામે આવ્યા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ગુરુગ્રામની નજીકના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. દિલ્હીમાં મિન્ટો બ્રિજના અંડરપાસની નીચે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. તો ચાંપજાબમાં વરસાદે કોઈ ઓછી તબાહી સર્જી નથી. વરસાદને કારણે ચંદીગઢની એક સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વહીવટીતંત્રને સોસાયટીની અંદર બોટ ચલાવવી પડી હતી.

ગૃહમંત્રી અમિત શાહે પંજાબ-હિમાચલના મુખ્યમંત્રી સાથે વાત કરી

ભારે વરસાદને કારણે પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ભારે વિનાશ થયો છે. અહીંની પરિસ્થિતિને ધ્યાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. આ દરમિયાન શાહે ભારે વરસાદથી થયેલા નુકસાન વિશે માહિતી મેળવી છે અને બંને રાજ્યોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

હિમાચલ પ્રદેશમાં 736 માર્ગો પર વાહનવ્યવહાર બંધ

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં 736 રસ્તાઓ અવરજવર માટે બંધ કરાયા છે. રાજ્યમાં 13 સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. તો નેશનલ હાઈવે 21 પણ બંધ કરવાની નોબત આવી છે. બિયાસ નદીના વહેણને કારણે મંડી-કુલુ નેશનલ હાઈવે સૌથી વધુ પ્રભાવિત થયો છે. રાજ્ય સરકારે પ્રવાસીઓને ખાસ કરીને નદી કિનારે ન જવાની સલાહ આપી છે.

મોહાલીમાં રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળ્યા

પંજાબના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ છે. મોહાલીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક કોલોનીઓમાં બોટ દોડાવવી પડી છે. આ ઉપરાંત રસ્તાઓ પર વાહનો પણ વહેતા જોવા મળે છે.

દિલ્હીના સીલમપુરમાં મકાન ધરાશાયી

ભારે વરસાદને કારણે દિલ્હીના સીલમપુર પોલીસ સ્ટેશનની સામે 1 મકાન ધરાશાયી થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેના કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો