Posts

Showing posts from June, 2024

અમરનાથ યાત્રા વચ્ચે મોટી ઘટના, જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં મંદિરમાં તોડફોડ, 12 શકમંદોની ધરપકડ

Image
Jammu and Kashmir News |   જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ છે તેવા સમયે રિયાસીમાં એક મંદિરમાં તોડફોડ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ત્રણ શકમંદોની અટકાયત કરાઈ છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. બીજીબાજુ રિયાસીમાં આતંકી હુમલા મુદ્દે એનઆઈએએ પાંચથી વધુ સ્થળો પર દરોડા પાડયા હતા અને જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ પણ શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં હજુ તો શનિવારથી પારંપરિક અમરનાથ યાત્રા શરૂ થઈ છે તેવામાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના રઈસી જિલ્લામાં કેટલાક અજાણ્યા લોકોએ રવિવારે એક મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિક હિન્દુ અને મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિયાસીના એેએસપી મોહિતા ઈફ્તેખારે કહ્યું કે, આ મંદિર ધર્માડી વિસ્તારમાં સ્થિત છે. મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાના કારણે તણાવ ફેલાતા પોલીસે એસઆઈટીની રચના કરી ૧૨ લોકોની અટકાયત કરી હતી જ્યારે નાયબ પોલીસ કમિશનર વિશેષ પૌલ મહાજને દેખાવકારોને ગુનેગારો સામે આકરાં પગલાં લેવાની ખાતરી આપતા વાતાવરણ શાંત થયુ

સંસદમાં ફરી ભારે હોબાળાની શક્યતા, જાણી લો કયા-કયા મુદ્દે સરકારને ઘેરવાનો વિપક્ષનો છે પ્લાન

Image
Parliament 1st Session Live |  18 મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો થવાની શક્યતા છે. આવતીકાલે એક જુલાઇથી સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થશે.  આવતીકાલથી સંસદમાં નીટ પેપર લીક વિવાદ, અગ્નિપથ યોજના, બેકારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે.  પ્રથમ સપ્તાહમાં પણ વિપક્ષે નીટ પેપર લીક વિવાદ અંગે સરકારની ટીકા કરી હતી. વિપક્ષે હજુ પણ આ મુદ્દાઓ પર ચર્ચા કરાવવા માગે છે. આવતીકાલે સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર ચર્ચાથી થશે. ભાજપના હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુર આ ચર્ચાની શરૂઆત કરશે. જ્યારે ભાજપના સ્વર્ગસ્થ નેતા સુષ્મા સ્વરાજની પુત્રી અને પ્રથમ વખત સાંસદ બનેલા બાંસુરી સ્વરાજ પણ આ ચર્ચામાં ભાગ લેશે. લોેકસભામાં આ ચર્ચા માટે 16 કલાક ફાળવવામાં આવ્યા છે. જે મંગળવારે વડાપ્રધાન મોદીના જવાબ સાથે સમાપ્ત થશે. જ્યારે રાજ્યસભામાં ચર્ચા માટે ૨૧ કલાક ફાળવવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન બુધવારે સામેલ થઇ શકે છે.  સંસદના આ સત્રમાં વિભિન્ન મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચાની સંભાવના છે. જે પરથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે સ

દેશના 9 રાજ્યોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસનું એલર્ટ

Image
IMD Weather Forecast : દેશના નવ રાજ્યોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ રાજ્યોમાં શરૂઆતના વરસાદમાં જ જનજીવન પર અસર પડી પડી છે. મેદાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઘણા સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાતા પરિસ્થિતિ વણસી છે. દિલ્હી-એનસીઆરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાયા બાદ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાના કારણે અનેક સ્થળો પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે હજુ પણ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMDના નવા અપડેટ મુજબ આગામી બે દિવસમાં દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ પણ જુઓ : લોનાવાલાનો ખોફનાક VIDEO : પાણીમાં તણાયો આખો પરિવાર, ત્રણના મોત, બે બાળકો ગુમ દિલ્હીમાં ભારે વરસાદની આગાહી ભારતી હવામાન વિભાગ ઉપરાંત અન્ય હવામાન એજન્સીઓએ પણ એનસીઆરના બલ્લભગઢ, બાવલ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આઈએમડીની આગાહી મુજબ દિલ્હી સિવાય ફરીદાબાદ, ગુરુગ્રામ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમા

ટ્રોફી જીતતાં જ 'ધ વૉલ' તરીકે જાણીતા ટીમ ઈન્ડિયાના 'ગુરુ'એ લીધી વિદાય, જબરદસ્ત જુસ્સો બતાવ્યો

Image
Image : IANS Rahul Dravid Farewell: વિરાટ કોહલી (Virat Kohli)ની મેજિકલ ઈનિંગ અને રોહિત શર્મા (Rohit Sharma)ની શાનદાર કેપ્ટનશીપના દમ પર  આઈસીસીના ટ્રોફી માટે ભારતના 11 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. આ સ્ટાર ટીમે અત્યંત રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવીને T20 વર્લ્ડ કપ (T20 World cup)માં બીજી વખત વિશ્વ વિજેતા બની છે.  'ધ વૉલ' અલગ જ અંદાજમાં સેલિબ્રેશન કર્યું T20 વર્લ્ડ કપની જીત સાથે, ભારતીય ટીમ (Team India)ના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ (Rahul Dravid)નો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે, જેણે આધુનિક ક્રિકેટ કોચિંગના ભારે દબાણમાં વચ્ચે પણ ગૌરવ અને શાલીનતાથી સફળતા સુધીની સફર બતાવી. જો કે 11 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું ટાઇટલ જીત્યા બાદ 'ધ વૉલ' (The wall) પણ ભાવુક થયા હતા. જેવી જ ફાઈનલના 'પ્લેયર ઓફ ધ મેચ' વિરાટ કોહલીએ દ્રવિડને ટ્રોફી આપી કે તરત જ તેણે પોતાની અંદરની લાગણીઓ વ્યક્ત કરતા જુસ્સાભેર સેલિબ્રેશન કર્યું હતું. એક અલગ જ અંદાજમાં 'ધ વોલ' જોવા મળ્યા હતા. દ્રવિડને આવું કરતા જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે. તેઓ ગેરી કર

28 બોલમાં 27 રન જ દૂર હતી દ.આફ્રિકા, વિકેટ પણ 6 બાકી હતી, તેમ છતાં આ રીતે વર્લ્ડ કપ ગુમાવ્યું

Image
IND vs SA Final Highlights, T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર ચેમ્પિયન બની છે. ભારતીય ટીમે શનિવારે (29 જૂન) દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડકપ કપનો ખિતાબ જીત્યો છે. આ મેચમાં એટલી રસપ્રદ હતો કે ભારતે હારેલી મેચ જીતી લીધી હતી. કારણ કે, એક સમય એવો આવ્યો જ્યારે દક્ષિણ આફ્રિકાને 28 બોલમાં માત્ર 27 રન બનાવવાના હતા અને તેની 6 વિકેટ પણ બાકી હતી. એવું લાગી રહ્યું હતું કે આ મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ છે. પરંતુ ત્યારપછી ભારતીય બોલરોએ ધમાકેદાર વાપસી કરીને મેચને દક્ષિણ આફ્રિકા પાસે છીનવી લીધી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી અને 12 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર રીઝા હેન્ડ્રીક્સ અને કેપ્ટન એડન માર્કરમ માત્ર 4-4 રન બનાવીને આઉટ થયા હતા. ક્વિન્ટન ડી કોક અને ટ્રીસ્ટન સ્ટબ્સે 38 બોલમાં 58 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી લીધી હતી. પરંતુ નવમી ઓવરમાં અક્ષર પટેલે આ જોડીને તોડી નાખી હતી અને સ્ટબ્સ 31 રન બનાવીને આઉ

દિલ્હીમાં મેઘતાંડવ: અંડરપાસમાં ડૂબી જવાથી ત્રણના નિધન, અત્યાર સુધી 12 લોકોએ ગુમાવ્યા જીવ

Image
Delhi Heavy Rain : દિલ્હીમાં ભારે વરસાદને લઈને અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે દિલ્હીના લોકો. સતત વરસાદી માહોલ રહેતા દિલ્હીમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ ઉભી થઈ છે. શહેરના વિવિધ અંડરપાસમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોની તેમાં ડૂબી જવાથી મૃત્યુ થયાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ગત શનિવારના દિવસે સિરાજપુર અંડરપાસમાં બે બાળકોનું ડૂબી જવાથી મોત થયુ હતુ. જ્યારે અન્ય વિસ્તાર ઓખલામાં આવેલા અંડરપાસને ઓળંગી રહેલા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ દિલ્હીમાં ભારે વરસાદી સ્થિતિમાં કુલ 12 જેટલા વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે.  આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી શહેરમાં વરસાદનું પ્રમાણ સતત ચાલુ રહેશે તેવુ હવામાન વિભાગે જણાવ્યુ હતુ. આ સાથે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ નીચાણ વાળા વિસ્તારોને સતર્ક રહેવા હવામાન વિભાગે સૂચના આપી હતી.  અંડરપાસમાં ડૂબી જવાથી બે બાળકો સહિત ત્રણના મોત પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે, સિરાજપુર અંડરપાસમાં 12 વર્ષના બાળકની ડૂબ્યા હોવાની ખબર મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેવામાં અંડર

રાહુલ ગાંધી સામે કેસ કરનાર ભાજપ નેતાનું વધશે કદ? દિલ્હીમાં દિગ્ગજો સાથે સૂચક મુલાકાત

Image
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. તેવામાં મોદી સરકાર 3.0 માં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી. આર. પાલટીને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપતા તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે હવે સી. આર. પાટીલ બાદ ગુજરાતની કમાન કોણ સંભાળશે તેની ચર્ચા પાર્ટીમાં ચાલી રહી છે. બીજી બાજું, તાજેતરમાં ગુજરાતમાં ભારતીય પાર્ટીની વિસ્તૃત બેઠકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી 4-5 જુલાઈના રોજ બોટાદના સાળંગપુર ખાતે પાર્ટીની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્ણેશ મોદીએ દિલ્હીમાં અમિત શાહ અને જે. પી. નડ્ડા સાથે કરી મુલાકાત બીજી તરફ, સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી કેન્દ્રીય મોવડીમંડળની મુલાકાત કરી રહ્યાં હોય તેવી તસવીરો બહાર આવતા રાજકારણના વાતાવરણમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. તેવામાં આજ રોજ ભાજપના સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દિલ્હી ખાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અન રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુકાલાત કરી હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં

ઉત્તરાખંડની સેટેલાઈટ તસવીરે વધાર્યું સરકારનું ટેન્શન, 13 નવા ગ્લેશિયર બન્યા હોવાનો ખુલાસો

Image
દહેરાદૂન, 27 જૂન,2024, શુક્રવાર  કેદારનાથધામમાં વર્ષ ૨૦૧૩માં આવેલી ભયાનક આફતમાંથી બોધપાઠ લઇને ગ્લેશિયરોની સ્થિતિ પર વૉચ રાખવામાં આવે છે. તાજેતરમાં જાણવા મળ્યું છે કે કુલ ૧૩ નવા ગ્લેશિયર સરોવર બન્યા છે. સરકારને આ અંગેની જાણકારી સેટેલાઇટ દ્વારા મળી છે. આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ૨ જુલાઇ પછી ગ્લેશિયર સરોવરનો અભ્યાસ કરવા માટે જવાની છે જેથી કરીને સમગ્ર પરિસ્થિતિ જાણી શકાય અને ભવિષ્યની કોઇ આફતને ટાળી શકાય.  ખાસ કરીને પિથોરાગઢ જિલ્લામાં દારમા,લાસરયંગતી,કુટીયંગતી ઘાટી અને ચમોલી જિલ્લાનો ધોલી ગંગા બેસિનની વસુંધરા તાસ ઝીલ સૌથી હાઇ રિસ્કમાં છે. સરકારે નવા બનેલા ૧૩ ગ્લેશિયરને ખૂબજ ગંભીરતાથી લીધા છે. જો આ ગ્લેશિયરમાં પાણી વધારે હશે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. જો વધુ પાણી જણાશે તો તેેને ડિસ્ચાર્જ કરવા માટે પાઇપો નાખવામાં આવશે.નિષ્ણાતોની ટીમ ગ્લેશિયરની નજીક જઇને મૂલ્યાંકન કરશે ત્યારે જ  હકિકત પરિસ્થિતિ ધ્યાનમાં આવશે. તળાવની સાઇઝ અને ઉંડાઇ કેટલી છે તેના આધારે પાણીના જથ્થા વિશે જાણી શકાશે. પિથોરાગઢમાં કુલ ૪ ગ્લેશિયર સરોવર બન્યા છે જેને જોખમી શ્રેણીમાં ગણવામાં આવી રહયા છે. 

દુનિયાની સૌથી સુરક્ષિત કાર, જર્મન ઘોડા અને છ ફૂટ ઊંચા બોડીગાર્ડ: ભારતના રાષ્ટ્રપતિના કાફલાની આ વાતો નહીં જાણતા હોવ

Image
રાષ્ટ્રપતિ મુર્મુ (President Murmu)એ આજે 18મી લોકસભા દરમિયના સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. સંયુક્ત સત્રને સંબોધવા માટે તેઓ તેમના કાફલા સાથે ફરી એકવાર રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા કે તરત જ તેમની કાર અને તેમનો કાફલો ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કાર વિશ્વની સૌથી સુરક્ષિત કારમાંથી એક છે. આજે અમે તમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કાર અને તેમના કાફલા સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ. આ કાર અભેદ્ય કિલ્લા સમાન જો રાષ્ટ્રપતિ મુર્મુની ઓફિશિયલ કારની વાત કરીએ તો તે છે મર્સિડીઝ મેબેક એસ 600 પુલમેન ગાર્ડ. આ કાર તેના સેફ્ટી ફીચર્સ માટે દુનિયાભરમાં જાણીતી છે. આ જ કારણ છે કે તેને એક અભેદ્ય કિલ્લો પણ માનવામાં આવે છે. આ કારને સમગ્ર વિશ્વમાં લિમોઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર કેટલી સલામત છે તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેને ન તો ગોળીઓ, ન બોમ્બ કે ન તો ગેસ હુમલો નુકસાન પહોંચાડી શકે છે. આ કારની ખાસિયત આ કારમાં બુલેટ પ્રૂફ એલોય વ્હીલ્સ, પ્રિવેન્ટિવ શીલ્ડ, ઓટોમેટેડ લોક કંટ્રોલ, ઓક્સિજન સપ્લાય, પેન

Breaking News: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીના AIIMS માં એડમિટ

Image
LK Advani admitted in Delhi AIIMS: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને દિલ્હીના AIIMS હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને ઉંમર સંબંધિત સાસ્યાઓને કારણે હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. તેમને AIIMS ના જિરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ (વૃધ્ધોની સારવારનો વિભાગ) ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.  જોકે 96 વર્ષીય લાલકૃષ્ણ અડવાણી ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એટલા માટે તેમનું સમયાંતરે ઘરે જ ચેકઅપ કરવામાં આવે છે. બુધવારે મોડી સાંજે તેમને થોડી સમસ્યા અનુભવાતા તેમને તાત્કાલિક AIIMS માં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને પોતાની દેખરેખમાં દાખલ કર્યા હતા.  કોણ છે એલ કે અડવાણી?  * 8, નવેમ્બર 1927ના દિને અખંડ ભારતનાં સિંધમાં તેઓનો જન્મ થયો હતો. તેઓનો શાળાકીય અભ્યાસ કરાંચીની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં થયો હતો. અહીં જ માત્ર 14 વર્ષની વયથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. * 1947માં ભારતના ભાગલા થયા તે પૂર્વે જ કેટલાક દિવસોએ અડવાણી કુટુંબ દિલ્હીમાં જઈ વસ્તું હતું. * 1951માં તેઓ ભાજપન

પહેલા શિવસેના ને હવે પંજાબમાં અકાલી દળ સાથે શરૂ થયો નવો ‘ખેલ’, ભાજપની સાથી પક્ષો સાથે દગાખોરી

Image
BJP Betraying Shiv Sena NCP Akali Dal: સંસદના ચાલુ સત્રથી 18મી લોકસભાની શરૂઆત થઈ ચૂકી છે. આ સંસદમાં ઘણાં એવા પક્ષો છે કે જેમનું સંખ્યાબળ પહેલા કરતા ઘટ્યું છે. અથવા તો નહિવત થઇ ગયુ છે. ત્યારે પંજાબમાં અકાલી દળે ભાજપ પર પક્ષ તોડવાનો આરોપ લગાવ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં શિરોમણિ અકાલી દળને પંજાબમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અકાલી દળ ફક્ત એક બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ ભટિંડાથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ચૂંટણીમાં હાર બાદ અકાલી દળની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થઇ રહ્યો નથી. પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓએ પક્ષના પ્રમુખ સુખબીર સિંહ બાદલના રાજીનામાની માંગ કરી છે. આ સંજોગોમાં પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ગયો છે. એક તરફ સુખબીર બાદલનો જૂથ છે કે જે તેમને અધ્યક્ષ તરીકે રાખવા માંગે છે જ્યારે બીજો જૂથ પક્ષની કમાન બાદલ પરિવાર સિવાય બહારના નેતાને સોંપવા માંગે છે. આ દરમિયાન બાદલ જૂથના સમર્થકોએ ભાજપ પર પક્ષ તોડવાનો આરોપ લગાવ્યો છે. હવે ઈડીથી લઈ સીબીઆઈનો દુરુપયોગ બંધ થઈ જશે? આ મહત્ત્વની નિમણૂકોમાં રહેશે રાહુલ ગાંધીની પણ ભૂમિકા બાદલ જૂથના અકાલી દળના નેતા પરમજીત સિંહે કહ્યું કે, તે

18 ધારાસભ્યો ઘરવાપસી કરવા તૈયાર! ચૂંટણી પહેલા આ રાજ્યમાં વધ્યું NDAનું ટેન્શન

Image
Maharashtra Politics : શરદ પવારની પાર્ટી (NCPSP)એ ચોંકાવનારો દાવો કર્યા બાદ મહારાષ્ટ્રમાં ફરી મોટી ઉથલપાથલ થઈ શકે છે. છે. પાર્ટીએ દાવો કર્યો છે કે, અજિત પવાર જૂથના ઘણા ધારાસભ્યો અમારી પાર્ટીમાં આવી શકે છે. લોકસભા ચૂંટણીમાં આઠ બેઠકો જીત્યા બાદ NCPSPની હિંમતમાં વધારો થયો છે. અજિતના 18થી 19 ધારાસભ્યો અમારા સંપર્કમાં : શરદ પવાર શરદ પવારે (Sharad Pawar) આજે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે, અમારી પાર્ટી છોડીને અજિત પવાર (Ajit Pawar) જૂથમાં સામેલ થનારા 18થી 19 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ ગમેત્યારે અમારી પાર્ટીમાં જોડાઈ શકે છે. વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ખેલ થશે શરદ પવારે આશા વ્યક્ત કરી છે કે, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા અજિતના 18-19 ધારાસભ્યો અમારી પાર્ટીમાં જોડાઈ જશે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, આ ધારાસભ્યોને અમારી પાર્ટીમાં સામેલ કર્યા પહેલા અમે અમારા સાથી પક્ષોની સલાહ લઈશું અને પછી નિર્ણય લેવાશે.

પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનરનું અપહરણ, પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં હેમખેમ છોડાવ્યા

Image
Kidnapping of Assistant Industries Commissioner of Palanpur: રાજ્યમાં તમે અવાર નવાર અપહરણ અને ખંડણીના કિસ્સા સાંભળતા હશો. પરંતુ હાલ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મોમાં જેમ અધિકારીઓનું અપહરણ કરવામાં આવે છે એ જ પ્રકારે ગાંધીનગર નજીકથી એક ક્લાસ વન અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે અપહરણકર્તાઓનો પીછો કરી હેમખેમ બચાવી લીધા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમીશનર આર.કે. વસાવા પાલનપુર ખાતે ફરજ બજાવે છે અને ગાંધીનગર ખાતે સેક્ટર 12 માં રહે છે. તેઓ આજે બપોરેના સમયે થોડા કામથી હિંમતનગર જઇ રહ્યા હતા. ગાંધીનગર પાસે અપહરણકર્તાઓએ તેમની ગાડીને આંતરીને તેમનું અપહરણ કરી લીધું હતું. ગાંધીનગર નજીકથી ક્લાસ વન અધિકારીનું અપહરણ થતાં અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પરંતુ આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. પોલીસને માહિતી મળી હતી કે અપહરણ કર્તાઓ વિજાપુર-માણસા તરફ ગયા છે. તો અપહરણકર્તાઓનો પીછો કરીને પોલીસ તેમની પાસે પહોંચી ગઇ હતી અને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન અપહરણ કર્તાઓની કાર સાથે પોલીસની કારની ટક્કર વાગી હતી.  પોલીસે ફ

ગુજરાત પર મહેરબાન થયા મેઘરાજા, યલો એલર્ટ વચ્ચે આ જિલ્લાને વરસાદે ઘમરોળ્યું

Image
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા ધુંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. છેલ્લા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે (25મી જૂન) પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. આ ઉપરાંત વડોદરા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.  વડોદરામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી  વડોદરાના પાદરા, વડુ, મુવાલ, માસરરોડ પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. બનાસકાંઠાના કાંકરેજના આકોલી, શિહોરી,દાંતા અને અરણીવાડામાં વરસાદ વરસ્યો છે. દિયોદરમાં બે ઈંચ, પાટણના સરસ્વતી તાલુકામાં 1.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદન લઈને શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ખોડિયાર ડેમમાં નવા ન

ચાર દિવસથી ઉપવાસ પર બેઠેલી આતિશીની તબિયત લથડી, મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાઈ

Image
Image : Twitter Atishi Hunger Strike: હરિયાણામાંથી દિલ્હીને તેના હિસ્સાનું પાણી મેળવવા માટે અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા દિલ્હીના મંત્રી આતિશીની તબિયત બગડતાં લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આતિશીનું શુગર લેવલ ઘટી ગયું છે. મોડી રાત્રે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા દિલ્હીના મંત્રી શુક્રવારથી ઉપવાસ પર છે. અને તેમનું કહેવું છે કે 'હરિયાણાથી દિલ્હીમાં લગભગ 110 MGD ઓછું પાણી આવી રહ્યું છે. જેના કારણે દિલ્હીના લગભગ 28 લાખ લોકોને પાણી નથી મળી રહ્યું. હરિયાણાના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ પણ દિલ્હીને પાણી મળ્યું નથી.' ઉલ્લેખનીય છે કે ચાર દિવસથી ઉપવાસ પર બેઠેલી આતિશીની તબિયત લથડતા મોડી રાત્રે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપવાસના બીજા દિવસથી શુગર લેવલ ઘટવા લાગ્યું દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'આતિશીનું બ્લડ શુગર લેવલ રાતથી ઘટી રહ્યું હતું. જ્યારે અમે તેમના બ્લડ સેમ્પલ આપ્યા ત્યારે સુગર લેવલ 46 હતું. જ્યારે અમે પોર્ટેબલ મશીન વડે તેનું શુગર લેવલ ચેક કર્યું તો લ

અમદાવાદને વરસાદે ધમરોળ્યું, મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

Image
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સોમવારે (24 જૂન) મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી તેમજ બફારથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. જો કે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત મળી છે.  અમદાવાદમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સોમવારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગોતા, રાણીપ, વૈષ્ણદેવી, એસજી હાઈવે વેગેરે  વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમ, કુબેરનગર, નરોડા, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાય ગયા હતા. 100 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો નોંધનીય છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા હવે ચોમાસું ધીરે ધીરે અન્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 100 જેટલા તાલુકામાં સામાન્યથી લઈને અઢીં ઈંચ જેટલો

દેશમાં 7 વર્ષમાં પેપર લીકની 70 ઘટના, ગુજરાત સહિત આ રાજ્યોમાં સૌથી વધુ, 1.7 કરોડ યુવાઓને અસર

Image
Paper Leak: હાલમાં નીટ સહિતની કેટલીક રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓના પેપર લીકના આરોપો લાગી રહ્યા છે, વિદ્યાર્થીઓ અને વિપક્ષ દ્વારા આ મુદ્દે દેખાવ થઇ રહ્યા છે. જોકે પેપર લીક થવા એક મોટી સમસ્યા બનતી જાય છે. વિવિધ રિપોર્ટ મુજબ છેલ્લા સાત વર્ષમાં 15 જેટલા રાજ્યોમાં પેપર લીકના 70 જેટલા કેસો સામે આવી ચુક્યા છે. જેની અસર આશરે 1.7 કરોડ પરીક્ષાર્થીઓ પર જોવા મળી છે.     આ રાજ્યોમાં સૌથી વધુ કેસો પેપર લીક થવાના કેસો પર નજર કરીએ તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં આવા કેસો સૌથી વધુ જોવા મળ્યા છે. પેપર લીકનો મામલો ચૂંટણી સમયે પણ બહુ જ ચર્ચામાં રહ્યો હતો. રાજકીય પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા હતા, જોકે ચૂંટણી પૂર્ણ થતા જ મુદ્દો ચર્ચામાંથી ગાયબ થઇ જતો પણ જોવા મળ્યો હતો. તેથી એવી પણ શંકાઓ ઉભી થઇ રહી છે કે શું રાજનેતાઓ અને પેપર લીક માફિયાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે કે કેમ. ગુજરાતમાં પેપર લીકની 14 જેટલી ઘટના પેપર લીકની ઘટનાઓ માત્ર મુખ્ય ભરતી પરીક્ષા જ નહીં હાયર એજ્યુકેશનની પરીક્ષાઓ અને સ્કૂલની પરીક્ષાઓમાં પણ સામે આવી ચુકી છે. જેમ કે બિહાર બોર્ડનું ધોરણ 10નું પેપર છ વખત

ભાજપના ઇમર્જન્સી કાર્ડ સામે કોંગ્રેસે બંધારણ બતાવ્યું

Image
- 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ, મોદી સહિતના સભ્યોએ શપથ ગ્રહણ કર્યા - લોકશાહી પર કાળા ડાઘ સમાન કટોકટીને 50 વર્ષ થયા, હવે કોઇની પણ બંધારણ ભંગ કરવાની હિંમત નહીં થાય : મોદી, ભાજપ આજે બ્લેક ડે મનાવશે - દેશમાં 10 વર્ષથી અઘોષિત કટોકટી હતી જેનો જનતા અંત લાવી, ચૂંટણીમાં મોદી વિરુદ્ધ જનમત આપ્યો : ખડગે નવી દિલ્હી : સંસદમાં સોમવારે ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થયું હતું, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કટોકટીને યાદ કરીને તેને ભારતની લોકશાહી પર કાળો ડાઘ ગણાવ્યો હતો. કટોકટી લાગુ કર્યાને ૫૦ વર્ષ પૂર્ણ થાય તે પૂર્વે વડાપ્રધાને કોંગ્રેસને ઘેરી હતી. સત્ર શરૂ થાય તે પૂર્વે મીડિયાને આપેલા સંબોધતા મોદીએ કહ્યું હતું કે ૨૫મી જૂને કટોકટીને ૫૦ વર્ષ થશે, આ દિવસ લોકશાહી પર કાળો ડાઘ ગણાય છે. જોકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ મોદીને આકરો જવાબ આપ્યો હતો.   સંસદમાં વિપક્ષના નેતાઓની સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મોદી ભુલી ગયા કે છેલ્લા દસ વર્ષથી દેશમાં અઘોષિત કટોકટ

નાસા મંગળની હવાના નમૂના પણ લાવશે, લાલ ગ્રહ અને પૃથ્વીના વાતાવરણની સરખામણી કરશે

Image
- બ્રહ્માંડનાં એક પછી એક રહસ્યોની કડી મેળવવાનો અદભુત પ્રયોગ - રાતા ગ્રહ પર ફરતા પર્સિવરન્સ રોવરે  ટીટેનિયમની એરટાઇટ ટયુબમાં ખડકો,માટી,હવાના નમૂના એકઠા કર્યા છે ઃ પૃથ્વીથી રાતા ગ્રહ અને ત્યાંથી નમૂના લઇને પાછા આવવાના પ્રવાસનો નકશો તૈયાર (પ્રતિનિધિ દ્વારા) વોશિંગ્ટન/મુંબઇ :  અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ  એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) પૃથ્વીના પડોશી ગ્રહ મંગળની હવા પૃથ્વી પર લાવશે. નાસાના વિજ્ઞાાનીઓ સૌર મંડળના લાલ ગ્રહના વાતાવરણ, વાતાવરણમાંના વાયુઓ, હવા, ખડકો,માટી, વગેરેના નમૂનાનું વૈજ્ઞાાનિક પરીક્ષણ કરીને મંગળનો કરોડો વર્ષ પહેલાંનો અને હાલનો સચોટ કુદરતી નકશો તૈયાર કરવા ઇચ્છે છે.  નાસાના વિજ્ઞાાનીઓ તો મંગળના કરોડો વર્ષ પહેલાંના વાતાવરણની સરખામણીએ પૃથ્વીના જન્મના શરૂઆતના તબક્કાના વાતાવરણ સાથે પણ કરવા ઇચ્છે છે.   આ અત્યંત પડકારરૂપ કામગીરી નાસાના માર્સ સેમ્પલ રિટર્ન મિશન અંતર્ગત થશે. નાસા ૨૦૨૩ના અંત સુધીમાં મંગળના ખડકો, માટી અને હવા વગેેરેના નમૂના પૃથ્વી પર લાવશે.  નાસાએ અગાઉ ૧૯૬૯માં તેનું એપોલો-૧૧ અવકાશયાન  ચંદ્ર પર મોકલીને  ચંદ્રમાના ખડકો પૃથ્વી પર લાવીને તેનો

T20 World Cup: જોર્ડનની હેટ્રિક, બટલરની વિસ્ફોટક બેટિંગે ઈંગ્લેન્ડને અપાવ્યો ભવ્ય વિજય, અમેરિકાની શરમજનક હાર

Image
ICC Men's T20 World Cup, US Vs England Match Score : ટી20 વર્લ્ડકપ-2024ના સુપર-8 રાઉન્ડમાં ઈંગ્લેન્ડે અમેરિકાને 10 વિકેટે પરાજય આપ્યો છે. અમેરિકાની ટીમ 18.5 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 9.4 ઓવરમાં 117 રન નોંધાવ્યા છે. આજની મેચમાં ઈંગ્લેડના બોલર જોર્ડનનો જાદુ અને જોશ બટલરની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. આ સાથે ઈંગ્લેન્ડે તેની ત્રણ મેચમાંથી બેમાં વિજય મેળવ્યા બાદ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. આ પહેલા અમેરિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડના બોલરે હેટ્રિક લઈ ઈતિહાસ રચ્યો ઈંગ્લેન્ડના ઝડપી બોલર ક્રિસ જોર્ડને અમેરિકા વિરુદ્ધ હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો છે. આજની મેચમાં જોર્ડને ધારદાર બોલીંગ નાંખી અમેરિકાને ઘૂંટણીયે લાવી દીધું હતું. જોર્ડને માત્ર 2.5 ઓવરમાં 10 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. તેણે મેચની 19મી ઓવરની ત્રીજા, ચોથા અને પાંચમાં બોલમાં અલી ખાન, નોસ્થુશ કેંજિગે અને સૌરભ નેત્રવલકરને સતત ત્રણ બોલમાં આઉટ કરી હેટ્રિક લીધી હતી. જોર્ડન ટી20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો ઈંગ્લેન્ડનો પહેલો બો

આવતીકાલથી શરૂ થશે 18મી લોકસભાનું પ્રથમ સત્ર, PM મોદી અને નવા સાંસદો લેશે શપથ

Image
First Session Of 18th Lok Sabha : આવતીકાલે સોમવાર (24 જૂન)થી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવાનું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પ્રથમ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકરને સવારે 9.30 કલાકે શપથ લેવડાવશે. દેશમાં નવી સરકાર બન્યા બાદ આ પ્રથમ સત્ર યોજાવાનું છે, જોકે ઓમ બિરલા સત્રની શરૂઆત પહેલા સુધી લોકસભાના અધ્યક્ષ પદ પર રહેશે, પરંતુ સત્ર શરૂ થતાંની સાથે જ પૂર્વ અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે. પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે સત્રની શરૂઆતમાં પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. સૌથી પહેલા વડાપ્રધાન શપથ લે છે, ત્યારબાદ કેબિનેટ મંત્રીઓ અને પછી બાકીના સાંસદો શપથ લેશે. પ્રોટેમ સ્પીકરને પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહી શકાય. આ પદ માત્ર બે દિવસ માટે છે. પ્રોટેમ સ્પીકર પદ માટે કયાં નામોની ચર્ચા? પ્રોટેમ સ્પીકરની મદદ માટે એટલે કે તેમની થોડા સમય માટેની ગેરહાજરી દરમિયાન તેમની ખુરશી પર બેસી ગૃહનું કાર્ય ચલાવવા માટે પાંચ પ્રિસાઇડિંગ ઓફિસરોનું નામ ચર્ચાઈ રહ્યું છે, જેમાં કે.સુરેશ, સુદીપ બંદોપાધ્યાય, ટી.આર.બાલુ, રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તેનો સ

NEET પેપર લીક બાદ સરકાર એક્શનમાં, NTAના DG સુબોધ કુમારની હકાલપટ્ટી

Image
સુબોધ કુમારને પદ પરથી હટાવાયા  નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચીફ સુબોધ કુમારને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. NEET અને NET ની પરીક્ષામાં ગરબડ બાદ કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુબોધ કુમારની જગ્યાએ હવે IAS પ્રદીપ સિંહ ખરોલા NTAના વડા તરીકેની જવાબદારી નિભાવશે. પ્રદીપ સિંહ ખરોલા કર્ણાટક કેડરના IAS રહ્યા છે.  સતત દબાણમાં હતી સરકાર  હાલમાં જ NEET પેપર લીક તથા UGC-NET ની પરીક્ષાઓના પ્રશ્ન પત્ર ફૂટી જવાના કારણે NTA સામે સતત સવાલો કરવામાં આવી રહ્યા હતા. વિપક્ષ દ્વારા સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યાં બીજી તરફ દેશભરમાંથી વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.  UGC-NETનું પ્રશ્નપત્ર લીક થયું હતું  નોંધનીય છે કે અગાઉ NTA દ્વારા જ UGC-NET ની પરીક્ષા કરાવવામાં આવી હતી. દેશભરમાંથી વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. જોકે બીજા જ દિવસે પેપર રદ કરી દેવામાં આવ્યું અને શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે નવેસરથી પરીક્ષા યોજવામાં આવશે. UGC-NETનું પ્રશ્નપત્ર પરીક્ષાના એક દિવસ અગાઉ જ લીક થઈ ગયું હતું.  NEET ની પરીક્ષામાં ગરબડ, સરકાર સામે ઉઠતાં સવાલ  બીજી તરફ NEET પેપર લીકને લઈન

શેખ હસીના અને PM મોદીની મુલાકાત: 10 મોટા નિર્ણયો પર મહોર, ડ્રેગનનું સપનું તૂટ્યું!

Image
Sheikh Hasina India Visit:  બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બે દિવસના ભારતના પ્રવાસ પર આવેલા છે. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ 10 સમજૂતી થઈ હતી. ભારતે બાંગ્લાદેશના તિસ્તા નદીના સંરક્ષણ વાળા પ્રોજેક્ટમાં રુચિ દર્શાવી છે. આ જ પ્રોજેક્ટ પર ચીન પણ નજર રાખીને બેઠું હતું.  પીએમ મોદીએ કરી મોટી જાહેરાત  બંને દેશોના વડાપ્રધાને વેપાર, ડિજિટલ મુદ્દા અને કનેક્ટિવિટી પર સહયોગ વધારવા મુદ્દે નિર્ણય લીધા હતા. મીડિયા વાતચીતમાં વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરતાં કહ્યું હતું, કે 'ભારતની એક ટીમ તિસ્તા પ્રોજેક્ટમાં જલ્દી જ ઢાકા જશે. તિસ્તા નદી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી 54 નદીઓમાંથી એક છે.'  ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ પ્રોજેક્ટ?  ભૌગોલિક, રાજકીય દ્રષ્ટિએ તિસ્તા નદી પ્રોજેક્ટ ભારત માટે ઘણું મહત્વ ધરાવે છે. જો આવા પ્રોજેક્ટમાં ચીનની ભાગીદારી વધી જાય તો ભારત માટે તે ગંભીર ચિંતાનો વિષય છે. કારણ કે સંવેદનશીલ ચિકન નેક કોરિડોર તેની એકદમ નજીક જ છે.  કયા મોટા નિર્ણય લેવામાં આવ્યા ?  ભારત બાંગ્લાદેશના દર્દીઓને સારવાર માટ

NEETમાં ગરબડ, NETનું પેપર લીક, તો હવે આ પરીક્ષા મોકૂફ: NTAએ કહ્યું- સંસાધનની છે અછત

Image
CSIR-UGC-NET ની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી છે. આ પરીક્ષાનું આયોજન NTA દ્વારા કરવામાં આવે છે. આગામી 25 તારીખથી 27 તારીખ સુધી પરીક્ષા થવાની હતી. જોકે આજે NTA દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સંશાધનોની અછત હોવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવે છે.    હેલ્પ ડેસ્કનું નિર્માણ કરાયું  NTAએ વિદ્યાર્થીની મદદ માટે હેલ્પડેસ્ક બનાવી છે અને હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે જેના પર ફોન કરીને લોકો મૂંઝવણ દૂર કરી શકે છે. આ સિવાય વેબસાઇટ પર પણ આગામી અપડેટ્સ આપવામાં આવશે. હેલ્પલાઈન નંબર:  011-40759000 UGC-NETનું પ્રશ્નપત્ર લીક થયું હતું  નોંધનીય છે કે અગાઉ NTA દ્વારા જ UGC-NET ની પરીક્ષા કરાવવામાં આવી હતી. દેશભરમાંથી વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. જોકે બીજા જ દિવસે પેપર રદ કરી દેવામાં આવ્યું અને શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે નવેસરથી પરીક્ષા યોજવામાં આવશે. UGC-NETનું પ્રશ્નપત્ર પરીક્ષાના એક દિવસ અગાઉ જ લીક થઈ ગયું હતું.  NEET ની પરીક્ષામાં ગરબડ, સરકાર સામે ઉઠતાં સવાલ  બીજી તરફ NEET પેપર લીકને લઈને દેશમાં ઘમાસાણ મચી ગયો છે. તપાસમાં એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમાં ઘણા મોટા મ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ : પીએમ મોદી

Image
- પીએમ મોદી આજે શ્રીનગરમાં યોગ દિવસ ઉજવશે - જમ્મુ-કાશ્મીરના વિકાસને કોઈ આતંકી ઘટનાઓ રોકી શકશે નહીં : વડાપ્રધાન, 3300 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કાશ્મીરના બે દિવસના શ્રીનગર પહોંચ્યા હતા. કાશ્મીરમાં ૩૩૦૦ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને શુભારંભ કરતા પીએમ મોદીએ દેશને આશ્વાસન આપ્યું કે દુશ્મનોને આકરી સજા કરવામાં તેમની સરકાર કોઈ કચાશ બાકી નહીં રાખે. મોદી શુક્રવારે આંતરરાષ્ટ્રીય યોગ દિનના પ્રસંગે અહીં યોગ દિવસ ઊજવશે.  લોકસભા ચૂંટણી પછી પહેલી વખત શ્રીનગર પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકોનું વિભાજન કરતી કલમ ૩૭૦ હવે દૂર થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં હવે ખરા અર્થમાં ભારતનું બંધારણ લાગુ થયું છે. આજે લાલ ચોકમાં મોડી સાંજ સુધી દુકાનો ખુલ્લી રહી શકે છે. લોકોની અવર-જવર વધી છે. ડાલ સરોવરના કિનારે સ્પોર્ટ્સ કારોનો શો થઈ શકે છે અને દુનિયા તે જોઈ શકે છે. તાજેતરના આતંકી હુમલાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, દુશ્મનોને જમ્મુ-કાશ્મીરનો વિકાસ પસંદ નથી. તેઓ આજે આ વિકાસ રોકવા માટે 'અંતિમ પ્રયત્નો' કરી રહ્યા છે. જો

હવે ભારતીયો માટે આ દેશમાં જવું પણ થશે સરળ, વિઝા ઑન અરાઈવલની તૈયારી

Image
Taiwan Mulls Visa On Arrival For Indian : ભારત સાથે સંબંધો મજબૂત કરવા અને ભારતીયોને પોતાના દેશમાં લાવવા માટે તાઈવાન સરકાર પ્રયાસો હાથ ધર્યા છે. તેમની સરકારે ભારતીયોને ‘વિઝા ઑન અરાઈવલ’ આપવાની તૈયારી શરૂ કરી છે. તાઈવાનના નાયબ વિદેશ મંત્રી તિયેન ચંગ-ક્વાંગે કહ્યું કે, ભારતીય પ્રવાસીઓને વિઝા ઑન અરાઈવલની સુવિધા આપવા માટે તાઈવાન સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.  અમારો ઉદ્દેશ્ય ભારત સાથે સંબંધો મજબૂત કરવાનો : તાઈવાન તેમણે કહ્યું કે, અમારી સરકાર દ્વારા વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાનો ઉદ્દેશ્ય ભારત સાથે સંબંધો મજબૂત કરવાનો અને ભારતીયોને તાઈવાન પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતીયો બહોળા પ્રમાણમાં પ્રવાસ કરે છે, તેથી અમે લુક ઈસ્ટ પોલિસી હેઠળ તેમને વિઝા ઑન અરાઈવલની સુવિધા આપવા માટે સક્રિયતાથી વિચારી રહ્યા છીએ. ‘અમે પહેલા અમારા ઈમિગ્રેશન વિભાગ સાથે ચર્ચા કરીશું’ તાઈપેઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા તાઈવાનના નાયબ વિદેશમંત્રી ક્વાંગે કહ્યું કે, ‘વિઝા ઑન અરાઈવલ પર નિર્ણય લીધા પહેલા અમે તાઈવાનના ઇમિગ્રેશન વિભાગ સાથે પ્રસ્તાવ અંગે આંતરિક ચર્ચા કરીશું. અમે ભારત સાથે અનુકૂળ પ્રવા

લખનઉમાં ગેરકાયદે મસ્જિદ-મંદિર સહિત 1800 ઇમારતોનો સફાયો, યોગી સરકારે બુલડૉઝર ફેરવ્યું

Image
Uttarpradesh news |  ઉત્તર પ્રદેશના લખનઉના અકબરનગરમાં બુલડોઝર એક્શન ચાલી રહ્યું છે. અહીંયા બનેલા ગેરકાયદે મંદિર, મસ્જિદ અને મદરેસા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આશરે 24.5 એકર જમીન પર બનેલા ગેરકાયદે બાંધકામને હટાવવામાં આવ્યું હતું અને જગ્યાને ખાલી કરાવવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ધાર્મિક સ્થળો હતા તેને પણ હટાવવામાં આવ્યા હતા.  પ્રશાસને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આશરે 1169 જેટલા ગેરકાયદે મકાન અને 101 કમર્શિયલ ઇમારતોને તોડવામાં આવી છે.  અકબરનગરમાં સમગ્ર વિસ્તારમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો અને આ તમામ ગેરકાયદે ઇમારતોને હટાવવામાં આવી હતી. વિસ્તારમાં એક મસ્જિદ, મંદિર અને મદરેસા પણ હતા જેના પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. હાલ તોડવામાં આવેલી ઇમારતોનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં દબાણ હટાવવાનું કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું હતું જે હાલ પુરુ થવા આવ્યું છે.  આ કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારની 24.5 એકર જમીન પર બનાવવામાં આવેલા 1800 ગેરકાયદે મકાનો-દુકાનો વગેરેને હટાવવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથની સરકાર હવે આ વિસ્તારમાં ઇકો ટુરિઝમનું હબ

વૃદ્ધનો વેશ ધારણ કરી કેનેડા જવાનો પ્રયાસ કરતો 24 વર્ષનો યુવાન પકડાયો, દિલ્હી એરપોર્ટની ઘટના

Image
Delhi Airport news |  દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૨૪ વર્ષના વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈએસએફના જણાવ્યા અનુસાર, તેણે કથિત રીતે વૃદ્ધ વ્યકિતનો વેશ ધારણ કર્યો હતો. તે આ વેશમાં કેનેડામાં ઘુસવાની તૈયારીમાં હતો.  સીઆઈએસએફના જણાવ્યા મુજબ, રંગેલી દાઢી સાથે કેનેડા જવાનો પ્રયાસ કરનાર ગુરસેવક સિંહને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3થી ઝડપી લેવામાં આવ્યો હતો. સુરક્ષા કર્મીઓને તેના પર શંકા જતાં તેને રોકવામાં આવ્યો હતો. આઈડી કાર્ડ માંગવામાં આવતા તેણે 67 વર્ષીય રશવિંદર સિંહ સહોતાના નામનો પાસપોર્ટ બતાવ્યો હતો. અધિકારીના જણાવ્યા અનુુસાર, તેનો અવાજ, ઉંમર અને ત્વચા બનાવટી પાસપોર્ટમાં દર્શાવવામાં આવેલી ઉંમર કરતાં ઘણી નાની વ્યકિત હોવાનું માલૂમ પડયું હતું.  તેને નજીકથી જોતા જ તેણે વાળ અને દાઢી રંગાવીને ખોટા ચશ્મા પહેર્યા હોવાની માહિતી મળી હતી. તેની ઉલટતપાસ બાદ પોતે 24 વર્ષીય ગુરસેવક સિંહ હોવાનું કબૂલ્યું હતું.

UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ, ગેરરીતિની આશંકાને પગલે સરકારે લીધો નિર્ણય

Image
UGC-NET June 2024 Exam Cancelled : શિક્ષણ વિભાગે 18 જૂન-2024ના રોજ દેશના વિવિધ શહેરોમાં યોજાનારી યુજીસી-નેટ જૂન 2024ની પરીક્ષા રદ કરી દીધી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) OMR (પેન અને પેપર) મોડમાં બે પાળીમાં પરીક્ષાનું આયોજન કર્યું હતું. ગૃહમંત્રાલયને ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા રદ કરાઈ એનટીએએ દેશના વિવિધ શહેરોમાં 18 જૂન-2024થી બે પાળીમાં ઓએમઆર (પેન અને પેપર) મોડમાં યુજીસી-નેટ જૂન-2024ની પરીક્ષાનું આયોજન કર્યું હતું. જોકે ગૃહમંત્રાલયને પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદના ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પહેલા NEETની પરીક્ષામાં પણ છબરડાં સામે આવ્યા અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, યુજીસી-નેટની જેમ નીટની પરીક્ષા પણ એનટીએ દ્વારા લેવામાં આવે છે. સીબીઆઈને તપાસ સોંપાઈ શિક્ષણ વિભાગે પરીક્ષાની પ્રક્રિયામાં પારદર્શિતાની ખાતરી કરવા માટે નિર્ણય લીધો છે કે, યુજીસી-નેટ જૂન 2023ની પરીક્ષા રદ કરવામાં આવશે. હવે નવેસરથી પરીક્ષાનું આયોજન કરી અલગથી માહિતી શેર કરવામાં આવશે. આ ઉપરાંત આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. 11 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી શિ

વાયકર ઈવીએમ નહીં એનકોર સિસ્ટમમાં છેડછાડ કરીને જીત્યા? નવા દાવાથી નવી ચર્ચા શરૂ થઇ

Image
- ગુરવે પાંડિલકરને લગભગ ૪ વાગ્યે પોતાનો ફોન આપેલો. એ વખતે જ પહેલી વારની મતગણતરી પૂરી થઈ હતી ને કીર્તિકર ૨૨૦૦ મતે જીતી ગયા હતા. ગુરવના ફોન પરથી ઓટીપી મેળવીને પાંડિલકર અને ગુરવે ભેગા મળીને મતગણતરીના ડેટામાં છેડછાડ કરી દીધી હોય ને તેના કારણે પછીની મતગણતરીમાં કીર્તિકરની ૨૨૦૦ મતની લીડ ધોવાઈ ગઈ હોય એ શક્ય છે. મતલબ કે, ગરબડ ઈવીએમમાં ના થઈ હોય પણ એનકોર સિસ્ટમમાં થઈ હોય ને પછીથી ગરબડવાળો ડેટા જ જાહેર કરાયો હોય. Lok Sabha Election News 2024 | એલન મસ્કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડ થઈ શકે છે એવો મમરો મૂકીને ઈવીએમની વિશ્વસનિયતાને ફરી શંકાના દાયરામાં લાવી દીધી છે. બીજી તરફ મુંબઈ નોર્થ-વેસ્ટ લોકસભા બેઠકની ચૂંટણીનાં પરિણામોના કારણે પણ આ મુદ્દો ચગ્યો છે. મુંબઈ નોર્થ-વેસ્ટ લોકસભા બેઠકની મતગણતરીમાં વિજેતા રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકરે મતદાન મથકના ડેટા ઓપરેટર દિનેશ ગુરવના ફોનમાંથી ઓટીપી મેળવીને ઈવીએમ અનલોક કરીને ગરબડ કરી હોવાનો આક્ષેપ થતાં આ મુદ્દો ઉગ્ર બની ગયો છે. ચૂંટણી પંચે ઈવીએમને ઓટીપી દ્વારા અનલોક ના કરી શકાય એવી સ્પષ્ટતા કરીને મામલાને ઠંડો પાડવા કોશિશ કરી છે પણ તેના કારણે ન

પહેલા મોટા પડકારમાં પાસ થઈ NDA સરકાર? લોકસભા સ્પીકર મુદ્દે સહયોગી પક્ષો 'રાજી'

Image
Parliament Speaker Election 2024 : દેશમાં મોદી 3.0ની સરકાર બન્યા બાદ લોકસભા અધ્યક્ષ પદ અને નાયબ અધ્યક્ષ પદની પસંદગીની તૈયારીઓ ચાલી રહી છે. નવી સરકાર બન્યા બાદ લોકસભાનું પ્રથમ વિશેષ સત્ર 24 જૂનથી આઠ દિવસ માટે શરૂ થવાનું છે, જેમાં 26મી જૂને આ બંને પદ માટે ચૂંટણી યોજાવાની છે. જોકે ચૂંટણી પહેલા ભાજપ એનડીએના સાથી પક્ષોને મનાવવામાં સફળ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. એનડીએના સાથી પક્ષોએ અધ્યક્ષ પદ માટે ભાજપ પર નિર્ણય છોડી દીધો છે. NDAના સાથી પક્ષોએ ભાજપ પર નિર્ણય છોડ્યો ભાજપે અધ્યક્ષ પદના ઉમેદવારના નામ અંગે સર્વસંમતિ બનાવવા માટે એનડીએના સાથી પક્ષોનો સંપર્ક કર્યો હતો, જેમાં ભાજપે તેમને કોઈ નામ અથવા સૂચન આપવા કહ્યું હતું. જોકે એનડીએના સાથી પક્ષોએ હજુ સુધી કોઈપણ નામનું સૂચન આપ્યું નથી અને ભાજપ અંતિમ નિર્ણય છોડી દીધો છે. સાથી પક્ષોએ કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયની સાથે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને જવાબદારી આપી છે કે, તેઓ અધ્યક્ષ પદ માટે સાથી પક્ષો અને વિપક્ષો સાથે વાતચીત કરી સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરે.  રાજનાથ સિંહના ઘરે યોજાયેલી બેઠકમાં આ ને