TRP પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું મોટુ નિવેદન, 50,000 ઘરોમાંથી 22 કરોડનો મત માપી શકાય નહીં


નવી દિલ્હી, તા. 24 નવેમ્બર 2020 મંગળવાર

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સોમવારે પત્રકારત્વના વિદ્યાર્થીઓને સનસનીખેજ અને ટીઆરપી કેન્દ્રિત પત્રકારત્વમાં ન ફસાવવાની સલાહ આપી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે ટીઆરપી કેન્દ્રિત પત્રકારત્વ સારૂ નથી. 50,000 ઘરોમાં સ્થાપિત મીટરથી 22 કરોડ લોકોના મતને માપી શકાય નહીં.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ભારતીય માસ કોમ્યુનિકેશન સંસ્થામાં સત્ર 2020-21ના ઓરિએન્ટેશન પ્રોગ્રામનો શુભારંભ કરતા કહ્યુ, પત્રકારત્વ એક જવાબદારી છે, લોકોને ગુમરાહ કરવાનુ ઉપકરણ નથી. જો આપની કહાની તથ્યો પર આધારિત છે તો કોઈ નાટક અથવા સનસનીની જરૂર નથી.

કેન્દ્રીય મંત્રીએ સમાજમાં જે કંઈ પણ સારૂ થઈ રહ્યુ છે, તેઓ પણ સમાચારમાં જગ્યા મળવાની વાત કહેતા થયેલા સ્વસ્થ પત્રકારત્વના કૌશલને સુનિશ્ચિત કરવા પર જોર આપ્યુ.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયામાં સકારાત્મક કહાનીઓનું સામે ના આવવા પર અફસોસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યુ કે સમાજમાં ઘણી સારી રચનાત્મક કહાનીઓ છે પરંતુ દુ:ખની વાત છે કે મીડિયામાં કોઈની પાસે તેમને પ્રકાશિત કરવાનો સમય નથી.

કેન્દ્રીય મંત્રીએ રચનાત્મક પત્રકારત્વ વિશે ચર્ચા કરતા કહ્યુ કે નીમ કોટિંગ શરૂ થયા બાદથી ખાતરોની કાળા બજારી નથી થતી. માનવ રહિત રેલવે ફાટકો પર નિયમિત દુર્ઘટનાઓને રોકવામાં મદદ મળી છે. સ્વચ્છતાના મોર્ચા પર પણ રેલવેમાં ભારે બદલાવ છે. લગભગ 5000 રેલવે સ્ટેશનોમાં હવે વાઈ-ફાઈની સુવિધા છે અને દેશભરમાં લગભગ 100 એરપોર્ટ લાભકારી સાબિત થઈ રહ્યા છે.  

અગાઉ પૂર્વ આઈઆઈએમસીના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર સંજય દ્વિવેદીએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનો કાર્યક્રમમાં સ્વાગત કર્યુ. એડીજીના સતીશે વિદ્યાર્થીઓએ આઈઆઈએમસીના વિશે અવગત કરાવ્યુ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો