Covid-19 Gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1560 પોઝિટિવ કેસ

અમદાવાદ, તા. 26 નવેમ્બર 2020, ગુરુવાર

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજ થયું છે. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રૌદ્ર  સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ પોઝિટિવ કેસોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કરફ્યૂ અમલી છે, આ વચ્ચે કેસોની વધી રહેલી સંખ્યા ચિંતાજનક છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1560નવા કેસ નોંધાયા છે. જેની સામે 1302 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,85,058 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 70,820 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 75,51,609 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,05,648 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,05,519 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 129 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા 1560 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 337, અમદાવાદ જિલ્લામાં 24, સુરત શહેરમાં 231, સુરત જિલ્લામાં 58, વડોદરા શહેરમાં 140, વડોદરા જિલ્લામાં 40, રાજકોટ શહેરમાં 87, રાજકોટ જિલ્લામાં 51 કોરોનાના કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 92 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,439 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,85,058 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3922 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 90.93% છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો