રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1502 પોઝિટિવ કેસ, 1401 દર્દી થયાં સ્વસ્થ

અમદાવાદ, તા. 30 નવેમ્બર 2020, સોમવાર

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજ થયું છે. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રૌદ્ર  સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1502 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1401 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 20 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3989 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,90,821 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 78,25,615 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે.

આજે નોંધાયેલા 1501 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 291, અમદાવાદ જિલ્લામાં 21, સુરત શહેરમાં 212, સુરત જિલ્લામાં 54, વડોદરા શહેરમાં 147, વડોદરા જિલ્લામાં 40, રાજકોટ શહેરમાં 105, રાજકોટ જિલ્લામાં 35 કોરોનાના કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 83 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,887 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,90,821 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3989 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 90.96% છે.

જામનગરમાં મૃત્યુ આંક 920 પર પહોંચ્યો

જામનગર શહેરના 20 અને ગ્રામ્યના 8 સહિત જિલ્લાના કુલ 28 પોઝિટિવ કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાક દરમિયાન 2 દર્દીઓના મૃત્યુ થયા છે. જેથી જામનગર જિલ્લામાં મૃત્યુનો આંક 920નો થયો છે. હાલ અહીં કોવિડ વોર્ડમાં 136 દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરનો કુલ આંકડો 7063નો થયો છે. જ્યારે ગ્રામ્યના 8 પોઝિટિવ કેસ નોઁધાતાં ગ્રામ્યનો કુલ આંક 1948નો થયો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો આજે હજારને પાર પહોંચ્યો છે અને સમગ્ર જિલ્લામાં કુલ 9007 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો