કોંગ્રેસના 'ચાણક્ય' ગણાતા અહેમદ પટેલનું કોરોનાને કારણે નિધન


અમદાવાદ, તા. 25 નવેમ્બર 2020 બુધવાર 

રાજ્યસભાના સાંસદ અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું આજે 25 નવેમ્બરના રોજ કોરોનાને કારણે નિધન થયું છે. તેમનો જન્મ ગુજરાતનાં અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામમાં થયો હતો. તેઓ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલનાં પુત્ર હતા. 

કોંગ્રેસ પાર્ટીનાં 'ચાણક્ય' ગણાતા અહેમદ પટેલનો ગુજરાત સાથે પહેલાથી જ સંબંધ રહ્યો છે. માનવામાં આવે છે કે, અહેમદ પટેલ દિલ્હીમાં રહેતા નહીં તો પોતાના ગામ પીરામણમાં રહેતા. અહીંના લોકો પણ તેમને ઘણું માનતા હતા. તેમણે પીરામણને ડિજિટલ કમ મોડલ ગામ બનાવવા માટે ઘણું કામ કર્યું હતું. 

અંકલેશ્વર જિલ્લામાં આ એવું ગામ હતું જે વાઇ ફાઈ યુક્ત બનાવવામાં આવ્યું હતું. આ સાથે આ ગામમાં ઉર્જા બચાવવા માટે એલ.ઇ.ડી લાઇટ મૂકેલા ગામની તમામ સ્ટ્રીટ લાઇન એલ.ઇ.ડી યુક્ત તેમજ ગામને જોડતા મુખ્ય માર્ગ પર મુકાઈ છે. તો ગામની શાળાને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો