સદીના અંત સુધીમાં મુંબઈનો 21 ટકા, ચેન્નઈનો 18 ટકા વિસ્તાર ડૂબશે: કેનેડાની યુનિ.નો રિપોર્ટ

Weather and Climate Change Report : નેચર અર્બન સસ્ટેનિબિલીટી જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં સંશોધકોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં માનવજાત નાકામ રહેશે તો તેના ખૂબ ગંભીર પરિણામો ભોગવવાના આવશે. જળસ્તર સદીના અંત સુધીમાં દોઢ ફૂટથી પણ વધારે ઉપર આવશે અને તેના કારણે સમુદ્ર કાંઠાંના 30 લાખ લોકો તેનાથી પ્રભાવિત થશે. સેંકડો ઈમારતો ડૂબાણમાં જશે. વિશાળ સમુદ્રકાંઠો ધરાવતા ભારત જેવા દેશો એનાથી વિશેષ પ્રભાવિત થશે.
કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલા અહેવાલમાં કહેવાયું હતું કે ક્લાઈમેટ ચેન્જની આડઅસરો શરૂ થઈ ચૂકી છે.
Comments
Post a Comment