મોટી દુર્ઘટના: મોઝામ્બિકમાં બોટ પલટતા 3 ભારતીયોના મોત, પાંચ હજુ ગુમ, પાંચને બચાવાયા

Mozambique Boat Accident: મોઝામ્બિકના બીરા બંદર નજીક શુક્રવારે એક બોટ પલટી ગઈ હતી. આ બોટમાં 14 ભારતીય ખલાસીઓ સવાર હતા, જે એક ટેન્કર પર ક્રૂ બદલવા માટે જઈ રહ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તપાસ શરૂ કરી દેવાઈ છે.
ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે બોટ પલટી ગયા બાદ પાંચ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. તેમાંથી એકની હાલત ગંભીર છે અને તેને બીરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Comments
Post a Comment