હિમાચલમાં કાટમાળમાં બસ દબાઈ જતાં મોટી દુર્ઘટના, રાષ્ટ્રપતિ-PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત

Himachal Pradesh News : હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડૂતા તાલુકાના બાલૂઘાટ નજીક બુધવારે એક ખાનગી બસ પર ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થતાં અનેક લોકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર, બસ પર અચાનક પહાડનો કાટમાળ પડતા બસમાં સવાર મુસાફરો દબાયા હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. બસમાં 25થી 30 મુસાફરો સવાર હોવાનો અંદાજ છે. ત્યારે આ ઘટનાને લઈને રાષ્ટ્રપ્રતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે વડાપ્રધાન કાર્યાલય દ્વારા મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તો માટે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.
Comments
Post a Comment