મહારાષ્ટ્ર NDAમાં ફરી ડખા? શિંદે પક્ષના નેતાએ મોદી સરકારના મંત્રી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ


Maharashtra Political News : મહારાષ્ટ્રના મહાયુતિ (NDA) ગઠબંધનમાં બધું બરાબર ચાલી રહ્યું છે કે કેમ, તેવો સવાલ ફરી ઊભો થયો છે. શાસક ગઠબંધનમાં સામેલ એકનાથ શિંદેની શિવસેના પાર્ટીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના એક મંત્રી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. શિવસેનાના એક નેતાએ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને BJP સાંસદ મુરલીધર મોહોલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે, જેના કારણે બંને પક્ષોના નેતાઓ આમને-સામને આવી ગયા છે.

રવીન્દ્ર ધાંગેકરના મોહોલ પર ભ્રષ્ચાચારના આરોપ

શિવસેનાના પુણે મહાનગર એકમના પ્રમુખ રવીન્દ્ર ધાંગેકરે (Ravindra Dhangekar) આજે (24 ઓક્ટોબર) મોહોલ (Murlidhar Mohol) પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો