PoKમાં બળવા વચ્ચે મોહન ભાગવતનું મોટું નિવેદન- ઘરના એક રૂમ પર કોઈ બીજાનો કબજો, જે પરત લઈશું

Mohan Bhagwat Statement On PoK : પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાં લોકો બળવો કરી રહ્યા છે. એવામાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે અખંડ ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના સતનામાં ગુરુદ્વારાના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ભાગવતે કહ્યું છે કે આપણાં ઘરના એક રૂમમાં કોઈએ કબજો કર્યો છે. આપણે તે પાછો લેવાનો છે. જે લોકો ત્યાં પોતાનું ઘર છોડીને અહીં આવ્યા છે, કાલે ઊઠીને એ મકાન પણ આપણે પાછું લેવાનું છે.
Comments
Post a Comment