કલોલની સોસાયટીમાં બ્લાસ્ટ થતા બે મકાન ધરાશાયી: એકનું મોત


ગાંધીનગર, તા. 22 ડિસેમ્બર 2020 મંગળવાર

ગાંધીનગરના કલોલમાં જમીનમાં ભેદી ધડાકો થતા બે મકાન ધરાશાયી થયા છે. કલોલમાં આવેલી પંચવટી સોસાયટીમાં ધડાકાભેર બે મકાનો ધરાશાયી થયા હતા. ઓએનજીસીની ગેસ પાઈપ લાઈનમાં બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. ધડાકો એટલો ખતરનાક હતો બે મકાન જમીન દોસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ આ ઘટનાને પગલે લોકોના ટોળા વળ્યા હતા અને સરકારી તંત્ર પણ દોડી ગયું હતું.

આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી તથા વધુ તપાસ કરી રહી છે. અચાનક ઘરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા સોસાયટી તથા આસપાસના વિસ્તારના રહીશોમાં ડરનો માહોલ છવાયો છે.

આ દુર્ઘટનાના પ્રાથમિક તબક્કે મળતી માહિતી પ્રમાણે, ગેસ સિસિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આ હોનારત સર્જાયાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઇ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી.

મોટા ધડાકો થતા આસપાસના 4 કિમી વિસ્તારમાં રહેતા રહીશો ઘરની બહાર નીકળી ગયા હતા. આ ધડાકાને કારણે બે ધરાશાયી મકાનની આસપાસના મકાનોના બારીના કાચ પણ તૂટી ગયા છે. હાલ કલોલ નગરપાલિકા, કલોલ તાલુકા અને સીટી પોલીસ સહિત મામલતદાર પ્રાંત સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. લોકોના ટોળે ટોળા ઘટનાને જોવા એકઠા થયા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટના સવારે બની હતી. ધડાકો સાંભળીને અફડાતફડી મચી હતી. ઘટના સ્થળ પર ફાયર બ્રિગડ-પોલીસ કાફલો પહોંચ્યો હતો અને હાલ તપાસ શરૂ થઈ છે. જ્યારે બીજી તરફ આ બ્લાસ્ટ થવાનું કારણ શું છે તેની સઘન તપાસ હાલ ચાલી રહી છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો