Posts

Showing posts from July, 2020

LoC ખાતે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, એક ભારતીય જવાન શહીદ

Image
જમ્મુ, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર નાપાક પાકિસ્તાન નિયંત્રણ રેખા (LoC) ખાતે પોતાની હરકતોમાંથી ઉંચુ નથી આવી રહ્યું. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં પુંછ જિલ્લાના કસ્બા કર્ની સેક્ટર અને બાલાકોટ સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બાલાકોટમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારના કારણે એક ભારતીય જવાન શહીદ થયા છે.  પાકિસ્તાને પુંછ જિલ્લાના કસ્બા કર્ની સેક્ટરમાં મોર્ટાર સાથે ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ કારણે ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.  આ તરફ બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના ગોળીબારના કારણે એક ભારતીય જવાન શહીદ થયા હતા. બાલાકોટમાં પાકિસ્તાને અડધી રાતે ફાયરિંગ કર્યું હતું જેના કારણે ભારતીય જવાન શહીદ થયા હતા. ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાનના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો.  આ બધા વચ્ચે કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સ્થાનિક લોકોએ કરેલા દાવા પ્રમાણે તેમણે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન ઉડતું જોયું હતું. ત્યાર બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું પરંતુ હજુ સુધી કશું મળ્યાની સૂ

Current Affairs: August 01, 2020

Image
12345 1). Which Union Minister released e-book on Standard Treatment Guidelines for Substance Use Disorders (SUD) and Behavioural Addictions? Dr Harsh Vardhan Ramesh Pokhriyal Nishank Jitendra Singh Amit Shah 2). Ambala airbase, where the first batch of Rafale fighter jets arrived, is located in which state/UT? Uttarakhand Haryana Sikkim West Bengal 3). Which Power producer ..

દેશભરમાં મનાવાઈ રહી છે બકરી ઈદ, જામા મસ્જિદમાં અદા કરવામાં આવી ઈદની નમાજ

Image
નવી દિલ્હી, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર દેશભરમાં આજે ઈદ અલ અઝા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. દિલ્હી ખાતે આવેલી જામા મસ્જિદમાં લોકોએ શનિવાર સવારની નમાજ અદા કરી હતી. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6:05 કલાકે નમાજ અદા કરવામાં આવી હતી. કોરોના સંકટના કારણે જામા મસ્જિદમાં નમાજ અદા કરવા આવેલા લોકોએ વારંવાર મસ્જિદ પ્રશાસનને અંતર જાળવીને નમાજ અદા કરવાની વિનંતી કરી હતી.  જામા મસ્જિદ ખાતે તૈનાત પોલીસ કર્મચારીઓએ થર્મલ સ્ક્રીનિંગ બાદ લોકોને મસ્જિદમાં પ્રવેશ આપ્યો હતો. જો કે જામા મસ્જિદમાં નમાજ દરમિયાનની મિશ્રિત તસવીરો સામે આવી છે. કોરોના સંકટના કારણે કેટલાક નમાજીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા તો બીજી બાજુ તેનું ઉલ્લંઘન પણ સામે આવ્યું હતું. મસ્જિદમાં આગળ બેઠેલા લોકો તો અંતર જાળવીને નમાજ અદા કરી રહ્યા હતા પરંતુ પાછળ બેઠેલા લોકો ખૂબ જ નજીક બેસીને નમાજ અદા કરતા જોવા મળ્યા હતા.  કેટલાક લોકોએ મસ્જિદની સીડીઓ પર બેસીને પણ નમાજ અદા કરી હતી. નમાજ બાદ લોકો ઉતાવળમાં એકબીજાને અડીને ભીડમાં બહાર નીકળતા પણ જોવા મળ્યા હતા. અનેક લોકો માસ્ક વગર જ મસ્જિદમાં ફરતા જોવા મળ્યા હતા. જો કે તેમણ

National Education Policy 2020 | KVs unlikely to change medium of instruction

KVs and CBSE schools cater to the needs of people in transferable jobs, say officials. from The Hindu - Education https://ift.tt/33cx6VJ

Amazon 1st August, 2020 Quiz Answers

Image
1.Which country recently hosted the third G20 Finance Ministers and Central Bank Governors meeting? Saudi Arabia 2.Which of these organizations is behind Covaxin- a proposed vaccine for COVID- 19, which is currently undergoing trials? Bharat Biotech 3.July 16th 2020 was the 75th anniversary of the Trinity Test. What was the result of the project that ..

ખુશ્બુએ કોંગ્રેસી નેતાઓને રોબોટ-કઠપૂતળી ગણાવ્યા

Image
ખુશ્બુએ કોંગ્રેસી નેતાઓને રોબોટ-કઠપૂતળી ગણાવ્યા નવીદિલ્હી, તા.31 જુલાઈ 2020, શુક્રવાર કોંગ્રેસમાં આંતરિક સંકલનનો સંપૂર્ણ અભાવ છે એ વાત મોદી સરકારની નવી શિક્ષણ નીતિ અંગે વિરોધાભાસી નિવેદનોએ ફરી છતી કરી દીધી. કોંગ્રેસે સત્તાવાર રીતે નવી શિક્ષણ નીતિની ટીકા કરી છે ત્યારે ઘણા નેતાએ આ નીતિને આવકાર પણ આપ્યો. આ પૈકી અભિનેત્રીમાંથી રાજકારણી બનેલાં ખુશ્બુ સુંદરે તો આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ સામે બાંયો ચડાવીને તેમને 'રોબોટ' અને 'કઠપૂતળી' પણ કહી દીધા. ખુશ્બુએ શિક્ષણ નીતિને આવકારી તેની કેટલાક કોંગ્રેસી નેતાઓએ ટીકા કરી હતી. ખુશ્બુએ વળતો જવાબ આપ્યો કે, મારો મત કોંગ્રેસના સત્તાવાર મતથી અલગ છે એ માટે હું રાહુલ ગાંધીની માફી માંગું છું પણ હું 'રોબોટ' કે 'કઠપૂતળી' બનીને માથું હલાવવાના બદલે સત્ય આધારિત વાત કરવામાં માનું છું. ખુશ્બુને આ કોમેન્ટ પછી લોકોએ સવાલ પણ કર્યો કે, ડીએમકેમાંથી કોંગ્રેસમાં ને હવે ભાજપમાં જવાનો ઈરાદો છે કે શું ? ભડકેલાં ખુશ્બુએ આ પ્રકારની કોમેન્ટ્સને સંકુચિત માનસિકતા અને શિક્ષણનો અભાવ ગણાવીને ઝાટકી નાંખી.  કોંગ્રેસની બેઠકમાં આત્મનીરિક્ષણ મુદ્દે ઘમા

માનવ સ્વાસ્થ્ય માટે વાયુ પ્રદૂષણ સૌથી ગંભીર ખતરો

Image
એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણ પૃથ્વી પર દરેક પુરુષ. મહિલા અને બાળકની લાઇફ એક્સપેક્ટન્સી એટલે કે આયુષ્ય સંભવિતતા બે વર્ષ જેટલી ઘટાડી દે છે. એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ એવો સૂચકાંક છે જે અશ્મિજન્ય બળતણના ઉપયોગ દ્વારા થતા વાયુ પ્રદૂષણને માનવીના સ્વાસ્થ્ય પર થતી અસરરૂપે રજૂ કરે છે. એક્યૂએલઆઇનું કહેવું છે કે એક તરફ દુનિયા કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે વેક્સિનની શોધમાં લાગી છે પરંતુ બીજી તરફ વાયુ પ્રદૂષણના કારણે દુનિયામાં કરોડો લોકોનું જીવન ટૂંકાઇ રહ્યું છે. AQLIના રિપોર્ટ અનુસાર ભારતમાં તો વાયુ પ્રદૂષણની સ્થિતિ એટલી ગંભીર છે કે કે કેટલાંક પ્રદેશોમાં તો તેના કારણે લોકોના સરેરાશ જીવનમાં એક દાયકાનો ઘટાડો થઇ રહ્યો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર અનેક સ્થળો એવા છે જ્યાં લોકો જે હવા શ્વાસમાં લે છે તેની ગુણવત્તા માનવ સ્વાસ્થ્ય માટે કોરોના કરતાયે મોટો ખતરો છે. બીજા શબ્દોમાં કહીએ તો આજે પ્રદૂષણના કારણે શ્વાસમાં જે હવા લેવામાં આવે એ જ ઝેર બની ચૂકી છે. દેશભરની હોસ્પિટલોમાં શ્વાસના રોગોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઇ રહ્યો છે. વધતા જતા પ્રદ

માણસ આજે પણ યુદ્ધખોર શા માટે છે?

Image
મહાન વૈજ્ઞાાનિક આઇન્સ્ટાઇન ઇશ્વરમાં માનતા હતા કે નહીં એ હજી સ્પષ્ટ થતું નથી. ભારતના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડો. કલામે થોડા વરસો પહેલા પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાત લીધી હતી બન્ને વિભૂતીઓ હતી અને પોતપોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર બિરાજતી હતી. પ્રમુખસ્વામી આધ્યાત્મિક ક્ષેત્રે ટોચ ઉપર હતા તો કલામ સાહેબ ટોચના વૈજ્ઞાાનિક હતા. બન્ને બાલસહજ સ્વભાવ ધરાવતા હતા.  આ સંદર્ભમાં આઇન્સ્ટાઇનના પ્રેમપત્રો યાદ આવે. એમણે લખેલો એક પત્ર ચાર લાખમાં વેચાયેલો હતો. આમાં પ્રેમ પત્ર નહોતો. એમના કુલ ૫૩ પ્રેમપત્રોનો સંગ્રહ ઉંચી કિંમતે વેચાયેલો હતો. આમા ચડે કે વિજ્ઞાાનએ પ્રશ્ન છે. આઇન્સ્ટાઇને તેમના તત્વચિંતક મિત્ર ગટફાઇન્ડને લખેલા લાખો રૂપિયાના પત્રમાં બાઇબલ તથા ધર્મ અને ઇશ્વર જેવા વિષય ઉપર પોતાના વિચારો દર્શાવ્યા છે તેથી આ એક મામૂલી પત્ર ન રહેતા વૈશ્વિક દસ્તાવેજ બની ગયા છે. લીલામ કરતાઓએ ધારી હતી એના કરતા પચીસ ગણી રકમ  આ પત્રે મેળવી આપી હતી. મૂલ્યવાન પત્રની  લીલામી કરનાર પેઢી બ્લુમ્સભરી ઓકશનના વરિષ્ઠ અધિકારી રૂપર્ટ પોવેલે આ વ્યકિતની ઓળખ જાહેર કરી નથી પણ એમ કહ્યું હતું કે, રીચર્ડ ડોકિન્સ નામના જાણીતા નાસ્તિક આ પત્ર ખરી

ઉડ્ડયન ક્ષેત્રની ગ્રાઉન્ડ રિયાલિટી

Image
- વિદેશમાં વિમાની બળતણના ભાવ 20 ડોલરથી શરૂ થાય છે, ભારતમાં 110 ડોલર કોવિડ-૧૯નો ચેપ કેવળ માણસ પૂરતો સીમિત  નથી. સંસ્થાઓ, કંપનીઓ, અર્થ વ્યવસ્થા, ભવિષ્ય આ બધાના સ્વાસ્થ્યને તેણે નકારાત્મક અસર પહોંચાડી છે. પંખીઓને ક્યારેય પીંછાઓનો ભાર લાગતો નથી પણ જ્યારે પાંખ કપાઇ જાય ત્યારે ઉડવું મુશ્કેલ બની જાય છે. કોરોનાએ વિમાનોની પાંખ કાપી નાખી છે તેની પીડા એટલી અસહ્ય છે કે વિમાન કંપનીઓ માટે જમીન પર બની રહેવું પણ કઠિન બની ગયું છે. પાણીની અછતનો ભાર હળવો કરવા માટે વૃક્ષો પાંદડા ખંખેરે એમ તેમણે કર્મચારીઓની છટણી શરૂ કરી છે.   ફરીથી વસંત ક્યારે આવશે એની કોઇ ખાતરી નથી.  ગત સપ્તાહે ભારતની સૌથી મોટી એવિએશન કંપની ઇન્ડિગો એરલાઇન્સે તેના ૧૦ ટકા એટલે કે લગભગ ૨,૭૦૦ કર્મચારી છુટ્ટા કરી દીધા. તેના સંચાલકે કહ્યું, ત્યાગ કર્યા વિના આર્થિક સંકટ સામે ઝીંક ઝીલવી શક્ય નથી. ઇન્ડિગોના ઇતિહાસમાં આટલું દુઃખદ પગલું પહેલીવાર ઉઠાવાયું છે. ઇન્ડિગોને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રૂા. ૮૭૦.૮૦ કરોડનું નુકસાન થયું છે. આ નુકસાન કોરોના પહેલાંનું છે. ત્યારપછી તેમાં વૃદ્ધિ જ થઇ હોય તે કલ્પી શકાય.  ઉડ્ડયન કંપનીઓની આર્થિક સ્થિતિ પર નજર રા

રાફેલની ભીષણ ગાજવીજ .

Image
પાંચ રાફેલ વિમાનોની ઘરઆંગણે આસમાની અવતરણરૂપ ડિલિવરી ભારતવાસીઓનું ધ્યાન કોરોના અને નવી શિક્ષણનીતિ તરફથી હટાવવામાં સફળ થયું. કરોડો ભારતીયોની સામુહિક નજર ભારતના લશ્કરમાં કોઈ શસ્ત્રના ઉમેરણ તરફ હોય એવો આઝાદી પછી પહેલો કિસ્સો છે. દસોલ્ત રાફેલની છત્રીસ વિમાનો સાથે થયેલી ફ્રેંચ ડીલનો પહેલો હપ્તો આપણને મળી ચૂક્યો છે. બહુધા ભારતીયો ખુશ છે. પરંતુ લાગણીના ભાવાવેશમાં સરી પડીને કોઈ સમાચારને વધાવી લેવા અને અને તેનું નિષ્પક્ષ દ્રષ્ટિએ પૃથ્થકરણ કરવું એ બંનેમાં ફરક હોય છે. પાંચ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય એરફોર્સની તાકાત અલબત્ત વધી છે. ચીન સાથેના વધતા જતા તણાવ વિષે સમગ્ર વિશ્વ જાણે છે અને માટે જ ફ્રાંસની કંપનીએ પાંચ વિમાનોની ડિલિવરીમાં ઉતાવળ કરી. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ સંપૂર્ણપણે ભારતના પક્ષમાં નથી. દસોલ્ત રાફેલ સાડા ચારમી જનરેશનનું ફાઈટર જેટ પ્લેન ગણાય છે.  ઇન્ટરનેટની સ્પીડમાં જેમ ટુજી, ત્રીજી, ફોરજી હોય એ જ રીતે ફાઈટર જેટમાં પણ જનરેશન ગેપ હોય છે. રાફેલ ફોર પોઈન્ટ ફાઈવ જનરેશનનું મારકણું પ્લેન છે. ભારતીય એરફોર્સ પાસે આટલી ક્ષમતા અને તાકાત વાળું એક પણ ફાઈટર પ્લેન હતું નહિ. પરંતુ યુદ્ધનો નિયમ છે કે જ

વાટાઘાટો ખાલી નાટક, પેંગોંગ લેક વિસ્તારમાં ચીન વધારી રહ્યુ છે લશ્કરી તાકાત

Image
નવી દિલ્હી, તા.31 જુલાઈ 2020, શુક્રવાર ગલવાન ખીણમાં લોહિયાળ સંઘર્ષ બાદ સરહદ પરથી સેના પાછળ હટાવવા માટે ચીન ભારત સાથે જે વાતચીત કરી રહ્યુ છે તે એક નાટક જ હોય તેમ લાગે છે. કારણકે લેટેસ્ટ અહેવાલો પ્રમાણે પેંગોંગ લેકની આસપાસ ચીન પોતાનો લશ્કરી જમાવડો વધારી રહ્યુ છે.14 જુલાઈએ વાટાઘાટો બાદ પણ ચીને પોતાની વધારાની પેટ્રોલ બોટ અને સેનાની ટુકડીઓ આ વિસ્તારમાં તૈનાત કરી દીધી છે. પેંગોંગ લેકની આસપાસ ચીને નવા કેમ્પ બનાવવાના શરુ કરી દીધા છે.ચીનની હિલચાલ સેટેલાઈટની તસવીરોમાં કેદ થઈ છે.એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ચીનની લશ્કરી બોટો ફિંગર પાંચ અને ફિંગર 6 વિસ્તારમાં ડેરો નાંખીને પડી છે.આવી લગભગ 10 બોટ જોવા મળી છે.જેમાં દરેકમાં 10 જવાનો સવાલ થયેલા જોવા મળે છે. આ પહેલા જે સેટેલાઈટ ઈમેજ હતી તેમાં 8 બોટ જોવા મળી હતી.જે હવે વધીને 10 થઈ છે.ફિંગર પાંચ વિસ્તારમાં લગભગ 40 જેટલા કેમ્પ પણ જોવા મળી રહ્યા છે સેટેલાઈટ તસવીરોથી સ્પષ્ટ છે કે, ચીન આ વિસ્તારમાંથી પાછળ ખસવાના મૂડમાં નથી.ઉલટાનુ પોતાની તાકાત વધારી રહ્યુ છે.

રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં કોરોના કેસમાં વધારાથી ટેન્શન

Image
લખનૌ, તા.31 જુલાઈ 2020, શુક્રવાર પાંચ ઓગસ્ટે રામ મંદિરના થનારા ભૂમી પૂજન પહેલા અયોધ્યામાં કોરોના સંકટ વધારે ઘેરુ બની રહ્યુ છે. આમ તો આ સમારોહમાં 200 આમંતિત્રોને જ હાજર રાખવાનો નિર્ણય લેવાયો છે. સાથે સાથે મંદિર ટ્રસ્ટે ભાવિકોને અપીલ કરી છે કે, ભૂમિ પૂજન સમયે ભીડ ના કરે.જેથી કોરોનાનુ સંક્રમણ વધે નહી.જોકે એ પછી પણ ભીડ નહીં થાય તેની કોઈ ગેરંટી નથી. એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી અયોધ્યામાં કોરોનાના દર્દીઓ સંખ્યા વધી છે અને રીકવરી રેટ ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, રામ મંદિરના સહાયક પૂજારી સહિત 16 સુરક્ષા કર્મીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી ચુક્યો છે અને તેના કારણે તંત્રનુ ટેન્શન વધી ગયુ છે. કારણકે ભૂમિ પૂજન સમારોહમાં ખુદ પીએમ મોદી ભાગ લેવાના છે. અયોધ્યામાં અત્યાર સુધીમાં 993 કોરોના કેસ નોંધાયા છે અને તેમાંથી 605 સ્વસ્થ થઈ ચુક્યા છે. તેમાંના 290 કેસ છેલ્લા સાત દિવસમાં જ નોંધાયા છે.

In SC, UGC presses for final exams by September-end

Hearing is based on a bunch of petitions filed by over 30 students challenging conduct of exams amid pandemic. from The Hindu - Education https://ift.tt/3fktNxT
Image
1. At which of the following places was the first ever European township constructed in India? [A] Kochi[B] Chinsurah[C] Surat[D] Chennai Answer: Kochi Fort Kochi in Ernakulam district of Kerala is the first European township in India. It is a water-bound region toward the south-west of the mainland Kochi. 2. Who among the following was also known ..

RNSB Recruitment for Deputy Chief Manager (Banking) & Branch Manager Posts 2020

Image
Rajkot Nagarik Sahakari Bank Ltd. (RNSB) has published an Advertisement for below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. from MaruGujarat.in https://ift.tt/3hRVrnJ

કોરોનાએ અનેક નવી નીતિઓ માટે રસ્તો ખોલ્યો, ગામડાઓ પર જોર આપવું જરૂરીઃ મુહમ્મદ યુનૂસ

Image
નવી દિલ્હી, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર કોરોના વાયરસ સંકટ અને અર્થતંત્રની મુશ્કેલીઓ વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીનો વિશેષ સંવાદનો સિલસિલો ચાલુ છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે બાંગ્લાદેશના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બાંગ્લાદેશ ગ્રામીણ બેંકના સંસ્થાપક મુહમ્મદ યુનૂસ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના સંકટના કારણે ગરીબો પર જે મુશ્કેલી આવી પડી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં મુહમ્મદ યુનૂસે આજે ગામના અર્થતંત્રને બેઠું કરવાની જરૂર છે તેમ કહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે લોકોને શહેર નહીં પરંતુ ગામમાં જ નોકરીઓ આપવામાં આવે. કોરોના બાદ એક નવી નીતિ પર કામ જરૂરી છે.  રાહુલ ગાંધીઃ તમે ગરીબોનું અર્થતંત્ર જાણો છો. કોરોના સંકટ કેવા લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે? મુહમ્મદ યુનૂસઃ હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે કોરોના સંકટે સમાજની કુરીતિઓ જાહેર કરી છે. ગરીબ, પ્રવાસી મજૂર આપણા બધાની વચ્ચે જ છે પરંતુ કોરોના સંકટે આ બધાને સામે લાવી દીધા છે. તેમને ઈન્ફોર્મલ સેક્ટરનો હિસ્સો માનવામાં આવે છે જે અર્થતંત્રનો હિસ્સો નથી. જો આપણે તેમની મદદ કરીએ તો સંપૂર્ણ અર્થતંત્રને આગળ લઈ

સ્કૂલ ફી ભરવા તૈયાર રહો, હાઇકોર્ટે ગુજરાત સરકારનો ઠરાવ ગેરલાયક ઠેરવ્યો !!

Image
અમદાવાદ, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર કોરોનાકાળમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. આ પહેલા કોરોનાકાળમાં પણ શિક્ષણ ન આપવા છતા પણ શાળા સંચાલકો બાળકો પાસેથી ફી વસૂલતા હોવાની ફરિયાદ સામે સરકારે શાળા સંચાલકો ફી નહિ વસૂલી શકે તેવો ઠરાવ પસાર કર્યો હતો જોકે, સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી. હાઈકોર્ટમાં સરકારના ઠરાવ વિરૂદ્ધ અરજી થઈ હતી. આ ફરિયાદમાં સરકાર, શાળા સંચાલકો અને વાલી પ્રતિનિધિમંડળનો પક્ષ સાંભળીને આજે હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે સરકાર શાળા સંચાલકો પર જોહુકમી ન કરી શકે. કોર્ટે સરકારના હુકમને ગેરવ્યાજબી ઠેરવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે. ગુજરાત હાઈકોર્ટે સંચાલકોને ભણાવવાનું ચાલું રાખવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે સરકારના હુકમમાં સંતુલન બનાવવા મુદ્દે નોંધ કરીશું. સ્કૂલ સંચાલકોએ કોર્ટમાં જણાવાયું હતુ

UPSC Combined Medical Services Examination, 2020 Notification out

Image
Union Public Service Commission (UPSC) has published an Advertisement for below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. Union from MaruGujarat.in https://ift.tt/39FYpZN

Rajkot Municipal Corporation (RMC) Recruitment for Encroachment Officer Post 2020

Image
Rajkot Municipal Corporation (RMC) has published an Advertisement for below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below. Keep checking MaruGujarat.in regularly to get the latest updates. from MaruGujarat.in https://ift.tt/339Ivpe

GACL – NALCO Recruitment for Jt. Manager/ Manager (Materials/Purchase) Post 2020

Image
GACL-NALCO Alkalies & Chemicals Pvt. Ltd has published an Advertisement for below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. from MaruGujarat.in https://ift.tt/2BJe91p

Vadodara Municipal Corporation (VMC) Recruitment for 297 FHW, MPHW, Medical Officer & Other Posts 2020

Image
Vadodara Municipal Corporation (VMC) has published an Advertisement for below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. from MaruGujarat.in https://ift.tt/30fDOsc

VNSGU Recruitment for Registrar Post 2020

Image
Veer Narmad South Gujarat University (VNSGU) has published an Advertisement for below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. from MaruGujarat.in https://ift.tt/3hRNnTZ

અફઘાનિસ્તાન પર PAK સેનાનો રોકેટમારો, 9 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

Image
નવી દિલ્હી, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર અફઘાનિસ્તાને પાકિસ્તાન પર માનવ વસાહતવાળા વિસ્તારોમાં રોકેટ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે કંધારના સ્પિન બોલ્ડક જિલ્લાના માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ રોકેટ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 સામાન્ય લોકોના મોત થયા છે જ્યારે 50થી વધારે લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવ્યું છે.  જાણવા મળ્યા મુજબ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાની સેના વિરૂદ્ધ જવાબી કાર્યવાહી માટે અફઘાની દળોને સંપૂર્ણપણે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. સંરક્ષણ મંત્રાલયે બહાર પાડેલા આંકડા પ્રમાણે આવાસીય ક્ષેત્રો પર પાકિસ્તાની સૈનિકો દ્વારા જે રોકેટ હુમલો કરવામાં આવ્યો તેમાં 9 નાગરિકો માર્યા ગયા અને અન્ય 50થી વધુ ઘાયલ થયા હતા.  દેશના સશસ્ત્ર દળોના પ્રમુખ જનરલ મોહમ્મદ યાસિન જિયા લેવીએ પાકિસ્તાની સેના વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરવા માટે તમામ સૈન્ય દળો, ખાસ કરીને 205 અટલ, 201 સલાબ અને 203 થંડર કેમ્પને સંપૂર્ણપણે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. તે સિવાય અફઘાની દળોને ભારે હથિયારો વડે સજ્જ કરવામાં આવી રહ્યા છે.  અફઘાની સંરક્ષણ મંત

Current Affairs: July 31, 2020

Image
12345 1). Which Union Ministry launched ‘Indian Report on Digital Education, 2020’? Ministry of Science and Technology Ministry of Electronics and Information Technology Ministry of Human Resource Development Ministry of Finance 2). What is the name of the Medical Bed Isolation System developed by the Defence Institute of Advanced Technology (DIAT)? Aashray Arjun Abhimanyu Aarya ..

નૌસેનામાં કૌભાંડ, CBIએ ચાર રાજ્યના 30 સ્થળે દરોડા પાડ્યા

Image
નવી દિલ્હી, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર નૌસેનામાં બોગસ બિલ દ્વારા કૌભાંડનો કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઈ)એ ચાર રાજ્યો દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આશરે 30 સ્થળે દરોડા પાડ્યા છે. હકીકતે પશ્ચિમી નૌસેના કમાને આઈટી હાર્ડવેરના પુરવઠા માટે બોગસ બિલ બનાવીને 6.76 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે.  એક આરોપ પ્રમાણે કેપ્ટન અતુલ કુલકર્ણી, કમાન્ડર મંદાર ગોડબોલે અને આરપી શર્મા તથા પેટી ઓફિસર એલઓજી (એફ એન્ડ એ) કુલદીપ સિંહ બઘેલે કથિત રીતે 6.76 કરોડ રૂપિયાના સાત બોગસ બિલ તૈયાર કર્યા હતા. દરોડા દરમિયાન પોલીસને 10 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે અને તે સિવાય કેટલાક મહત્વના દસ્તાવેજ પણ મળી આવ્યા છે.  શું છે સમગ્ર કેસ આ સમગ્ર કેસ પશ્ચિમી નૌસેના કમાનમાં આઈટી હાર્ડવેરના પુરવઠા માટે આકસ્મિક ખર્ચના બિલની ચુકવણી સાથે સંકળાયેલો છે. આ સમગ્ર કૌભાંડનો ખુલાસો સંરક્ષણ મંત્રાલયની આંતરિક તપાસમાં થયો હતો. ત્યાર બાદ સંરક્ષણ મંત્રાલયે 23 ઓક્ટોબર 2019ના રોજ સીબીઆઈને જાણકારી આપી હતી. સંરક્ષણ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળ્યા બાદ સીબીઆઈએ કેસ નોંધ્યો હતો.  6.76 કરોડથી વધુનું કૌભાંડ હોઈ

Amazon 31st July, 2020 Quiz Answers

Image
1.Which team recently clinched their 34th La Liga title by beating Villarreal 2-1? Real Madrid 2.Which major social media site recently had it’s high profile members targeted in a Bitcoin scam hack? Twitter 3.Which driver recently achieved his 90th pole position in F1? Lewis Hamilton 4.According to a recent UN report, which country helped over ..

દિલ્હીની વાત : રાહુલ મુદ્દે સોનિયા સૂડી વચ્ચે સોપારી

Image
રાહુલ મુદ્દે સોનિયા સૂડી વચ્ચે સોપારી નવીદિલ્હી, તા.30 જુલાઈ 2020, ગુરુવાર રાહુલ ગાંધી ચીન મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કરતા વીડિયો બહાર પાડયા કરે છે તેના કારણે સોનિયા ગાંધીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.  સોનિયાની ટીમના સભ્યો રાહુલને આ બધું બંધ કરવા માટે કહેવા સોનિયા પર સતત દબાણ કર્યા કરે છે. બીજી તરફ રાહુલ કોઈની વાત માનવા તૈયાર નથી અને જાહેર કરી ચૂક્યા છે કે, રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય તો પણ આ ચીન વિશેનું સત્ય બહાર પાડવાનું બંધ નહી કરે. સોનિયાની નજીકના નેતાઓનું માનવું છે કે, રાહુલના વીડિયો બાલિશ છે અને તેમાં ડેપ્થ નથી. તેના કારણે કોંગ્રેસની ઈમેજને ફટકો પડી રહ્યો છે. રાહુલે આ મુદ્દે નિષ્ણાતો સાથે વાત કરીને પછી બોલવું જોઈએ એવો પણ તેમનો આગ્રહ છે. સૂત્રોના મતે, સોનિયાએ આ વાત રાહુલને કહી પણ રાહુલ જીદે ચડયા છે. સોનિયાએ આ મુદ્દે શરદ પવારને વાત કરવા કહેતાં પવારે રાહુલને મોદી પર પ્રહારો બંધ કરવા સલાહ આપી પણ રાહુલ કોઈની વાત સાંભળવા તૈયાર નથી. કેજરીવાલે કોરોનાની કસર ડીઝલમાં પૂરી કરી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે દિલ્હીમાં ડીઝલ પરના વેટમાં જંગી ઘટાડો કરીને સાબિત કર્યું કે, રાજકીય દ

શિક્ષણ નીતિઃ વૈશ્વિકરણની દોટમાં ભારતને અગ્રેસર બનાવવાની નેમ

Image
- રૂચિ ન હોય એવા વિષયોમાં ઉલઝાવી રાખવા તેમજ ખેલકૂદથી વંચિત રાખવા અને પોતાની મરજીથી કશું કરવાની ઇચ્છાને બાધિત કરીને બાળકને મેઘાવી નહીં બનાવી શકાય પરંતુ બાળકો માટે શિક્ષણ બોજ નહીં પરંતુ રસ અને રૂચિ સંતોષવાનું માધ્યમ બનવું જોઇએ સમય બદલાયો છે ત્યારે શિક્ષણ નીતિમાં બદલાવની જરૂરિયાત લાંબા સમય અપેક્ષિત હતી. પરંતુ અત્યાર સુધી ૧૯૮૬માં બનેલી શિક્ષણ નીતિ અનુસાર જ શિક્ષણ વ્યવસ્થા સંચાલિત કરવામાં આવતી હતી. ૧૯૯૨માં આ નીતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ એ પૂરતો નહોતો. ભાજપે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ચૂંટણી ઢંઢેરામાં નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનો વાયદો કર્યો હતો. સત્તામાં આવ્યા બાદ ભાજપે એ દિશામાં કામગીરી ચાલુ કરી દીધી હતી. છેવટે વ્યાપક ચર્ચા વિચારણા બાદ કસ્તુરીરંગન સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ બાદ શિક્ષણના ક્ષેત્રમાં બદલાવની અપેક્ષા છે. નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ સ્કૂલથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી સમયની માંગ અનુસાર અભ્યાસક્રમમાં ફેરફાર અને તેના દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશના યુવાનોેને પ્રતિસ્પર્ધા માટે તૈયાર કરવાનો છે. આ મ

લંપટ સાધુઓ પર સંપ્રદાયોનો કાબુ નથી હોતો માટેે મનમાની

Image
- મંદિરોમાં અને આશ્રમોમાં તેમને જોઇતી ઓપોઝીટ સેક્સ આસાનીથી મળી જાય છેઃ જાગૃતિનો અભાવ જેમ નવી શિક્ષણ નિતી  ગઈકાલે બહાર પડાઇ છે એમ ધાર્મિક આચાર સંહિતાની નિતી પણ બહાર પાડવી જોઇએ. શ્રધ્ધાળુઓ અને સંતો એમ બંનેની અલગ નિતી તૈયાર કરવાની જરૂર છે. જેમની સામે લંપટાઇ કરવાના આરોપ છે તેમને તાત્કાલીક સજા કરવી જોઇએ. મોટા ભાગના કેસોમાં સંપ્રદાય પોતાની બદનામી છુપાવવા લંપટ સાધુને ભગાડી દે છે. પવિત્ર શ્રાવણ મહિનામાં સંતોની કામલીલા પ્રકાશમાં આવે છે ત્યારે ધાર્મિક શ્રધ્ધા અને વિશ્વાસનું વાતાવરણ ડહોળાઇ જતું હોય છે. લંપટ પ્રવૃતિ જ્યારે સંતો કરે છે ત્યારે શ્રધ્ધાળુઓને આઘાત લાગતો હોય છે. જ્યારે કોઇ ફરિયાદ કરે ત્યારે ભાંડો ફૂટતો હોય છે.  કોઇક વાર જૈન મહારાજ પકડાય છે તો કેાઇવાર સ્વામિનારાયણના સાધુઓ પકડાય છે. મફતનું ખાઇ-ખાઇને આવા લોકો વિકૃત બની ગયા હોય છે. મંદિરોમાં અને આશ્રમોમાં તેમને જોઇતી ઓપોઝીટ સેક્સ આસાનીથી મળી જાય છે. કૂમળા બાળકોને અને અબૂધ કિશોરોને પણ આ લોકો ટાર્ગેટ બનાવતા હોય છે. તે ભલે હાથમાં માળા ફેરવ્યા કરે પણ તેની નજર નબળા મનના શિકાર પર હોય છે. તે પોતાનો ટાર્ગેટ શોધી લે છે અને પછી તેને વિવિધ પ્રલોભન

દોઢ હજાર વર્ષ જૂની ખીચડી

Image
ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો દાળનો દાણો એની રાંધીખીચડી... જ્યારે કોન્વેન્ટ કલ્ચર નહોતું આવ્યું અને બર્ગરપ્રેમી બાળકો જેક એન્ડ જીલની ચવાઈને સાવ ચુથ્થો થઈ ગયેલી અંગ્રેજી પોએટ્રીનું રટણ નહોતા ત્યારે બાલમંદિરમાં ખીચડી રાંધતા ચકાની અને ચકીની કવિતા ગાવાનું બહુ ગમતું. કુદરતી રીતે જ નાનપણથી જ ગુણકારી ખીચડી પ્રત્યે બાળકોને જાણે માયા બંધાઈ જતી હતી.   પણ આ ખીચડીનો આહારમાં સેંકડો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના તેર ગામે થોડા વખત પહેલાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં માટીના પાત્રમાં રંધાયેલી ખીચડીના અવશેષો મળી આવ્યા હતા. ખીચડી રાંધવામાં સહેલી અને પચવામાં હલકી. માંદાને બેઠા કરવા માટે ખીચડી આહારમાં આપવામાં આવે છે. પેટને સુખ આપે છે. એટલે જ નાગરોએ તો  ખીચડીને સુખ પાવની એવું રૂડું નામ આપ્યું છે. હવે તો આ ખીચડી રસોડાથી રાજકારણમાં પહોંચી ગઈ છે. બે-ચાર પક્ષો મળીને ગઠબંધન સાધી સરકાર રચે તેને ખીચડી સરકાર કહેવામાં આવે છે. આમ ખીચડી પેટથી પોલિટિકસ સુધી પોતાની હાજરી નોંધાવી ચૂકે છે. આપણે તો માણસોના શરીરને ખીચડી શું ફાયદો કરે છે. એ જ જોવાનું. કારણ ખીચડી સરકારો