G20 Summitનો આજે બીજો દિવસ, વૈશ્વિક નેતાઓ પહોંચ્યા રાજઘાટ, જાણીલો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

image : Twitter


નવી દિલ્હીમાં ચાલી રહેલી G20 શિખર સમિટ (G20 Summit Delhi) નો આજે બીજો અને અંતિમ દિવસ છે. દુનિયાભરથી આ કાર્યક્રમને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી હોવાના દાવા થઇ રહ્યા છે. તેમાં પ્રથમ દિવસની કાર્યવાહીમાં India-Middle East-Europe Economic Corridor સહિત અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. 

આજે સંમેલનમાં યોજાશે જુદા જુદા કાર્યક્રમ... 

સવારે 8:15 થી 9:00 વાગ્યા સુધી : રાજધાટ પર નેતાઓ અને પ્રતિનિધિમંડળોના પ્રમુખોનું આગમન અને રાજઘાટ પર લીડર્સ લોન્જમાં શાંતિ દીવાલ પર હસ્તાક્ષર કરાશે. 

સવારે 9:00 થી 9:20 વાગ્યા સુધી : વર્લ્ડ લીડર્સ મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ કરશે. તેના પછી નેતા અને પ્રતિનિધિમંડળ નેતા અને પ્રતિનિધિમંડળના પ્રમુખ ભારત મંડપમના લીડર્સ લોન્જમાં જશે. 

સવારે 9:40 થી 10:15 વાગ્યા સુધી : ભારત મંડપમમાં નેતાઓ અને પ્રતિનિધિમંડળના પ્રમુખોનું આગમન. 

સવારે 10:15 થી 10:30 વાગ્યા સુધી :  ભારત મંડપમના સાઉથ પ્લાઝામાં વૃક્ષારોપણ સમારોહ. 

સવારે 10:30 થી 12:30 વાગ્યા સુધી : G20 શિખર સંમેલનના ત્રીજા સેશન વન ફ્યૂચરનું આયોજન થશે. તેના પછી નવી દિલ્હી ડિક્લેરેશન અપનાવાશે. ત્યારબાદ શિખર સંમેલનનું સમાપન થશે. વૈશ્વિક નેતા સમાપન બાદ ભારત મંડપમથી પ્રસ્થાન કરશે. 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો