સાત વર્ષની સજા, 10 લાખનો દંડ... ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવા નવું બિલ લાવશે કેન્દ્ર સરકાર
Immigration and Foreigners Bill 2025 : ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરીને અટકાવવા અને ઘૂસણખોરોને કડક સજા આપવા માટે ભારત સરકાર ટૂંક સમયમાં સંસદમાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 રજૂ કરી શકે છે. બિલના ડ્રાફ્ટ મુજબ, જો કોઈ વ્યક્તિ માન્ય દસ્તાવેજો (વિઝા અને પાસપોર્ટ) વિના ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, આવી વ્યક્તિ પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.
બેથી સાત વર્ષની જેલની જોગવાઈ
બિલ મુજબ, જો કોઈ વિદેશી નાગરિક નકલી પાસપોર્ટ અથવા નકલી વિઝા સાથે ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને 2 વર્ષથી 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
Comments
Post a Comment