કેજરીવાલનો ‘શીશમહેલ’ તોડી નખાશે? ભાજપના દિગ્ગજ નેતાએ LGને લખ્યો પત્ર
Arvind Kejriwal Sheesh Mahal : ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’નો મોટો રાજકીય મુદ્દો બનાવ્યો હતો અને હવે તેને તોડવાની વાત થવા લાગી છે. દિલ્હી ભાજપના દિગ્ગજ નેતા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ આ મુદ્દે ઉપરાજ્યપાલ વિ.કે.સક્સેનાને પત્ર લખ્યો છે, તેમાં કહેવાયું છે કે, જે ઈમારતો તોડીને ‘શીશમહેલ’ બનાવવામાં આવ્યો છે, તેને તે ભવનથી અલગ કરવો જોઈએ. જો ખરેખરમાં આવું થશે તો ‘શીશમહેલ’નું તૂટવું સંભવ છે.
Comments
Post a Comment