સુનિતા વિલિયમ્સને અંતરિક્ષથી પરત લાવવા ખાસ પ્લાન તૈયાર, સાત એસ્ટ્રોનોટ્સની કેપેસિટીવાળી 'ડ્રેગન ક્રૂ' કેપ્સ્યૂલ લોન્ચ કરાશે
Sunita Williams Rescue Mission: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગત વર્ષે ગયેલા ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સને હજી સુધી ધરતી ઉપર પરત લાવી શકાયા નથી. તાજેતરમાં નાસાએ જાહેરાત કરી છે કે, માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં તેમને ધરતી ઉપર પરત લાવી દેવાશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બંને સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. તેમને સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ દ્વારા પરત લાવવાના હતા પણ ટેકનિકલ ખામીના કારણે તેઓ ત્યાં જ અટવાઈ ગયા હતા. માત્ર આઠ દિવસ માટે સ્પેસમાં ગયેલા બંને અંતરિક્ષયાત્રીઓ છેલ્લાં આઠ મહિનાથી સ્પેસમાં અટવાયા છે. તેમાંય થોડા સમય પહેલાં સુનિતા વિલિયમ્સની તબિયત બગડી હતી જે હવે સ્વસ્થ છે.
Comments
Post a Comment