ભારતે નબળાઈ નહીં પણ ગદ્દારીને કારણે અંગ્રેજોની ગુલામી કરવી પડી : RSS પ્રમુખ મોહન ભાગવત
RSS Chief Mohan Bhagwat | આરએસએસ ચીફ મોહન ભાગવતે બર્ધમાનમાં એક કાર્યક્રમના સંબોધનમાં હિન્દુ એકતાને મહત્વ આપતા તેને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક સારને જાળવી રાખતા એક જવાબદાર સમાજ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે જણાવ્યું કે હિન્દુ સમાજ વાસુધૈવ કુટુંબકમ (વિશ્વ એક પરિવાર છે)ના સિદ્ધાંતને સમાવિષ્ટ કરીને સ્વાભાવિક રીતે વૈવિધ્યતાને સ્વીકારે છે. ભાગવતે જણાવ્યું કે ભૂતકાળની ગુલામી માટે દેશની નબળાઈ નહિ પણ આંતરિક ગદ્દારી જવાબદાર હતી.
ભાગવતે જણાવ્યું કે ભારત એક ભૌગોલિક ઓળખ કરતા ઘણુ વિશેષ છે. તેની ઓળખ સમગ્ર ઈતિહાસ દ્વારા ટકી રહેલા સહિયારા જટિલ સંસ્કારમાં મૂળ ધરાવે છે.
Comments
Post a Comment