જન જન વૈશ્વિક મહામારી સામેની લડતમાં નેતૃત્વ કરી રહ્યુ છે : PM મોદી
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2020, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 કલાકે પોતાના કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશની પ્રજાનું સંબોધન કર્યુ છે. તેમણે નમ્રતાથી દેશને નમન કરતાં દેશની જનતાનો કોરોના સામે સાથે મળીને લડત લડવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં મોટું યજ્ઞ ચાલી રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. કોરોના સામેની લડાઇ દેશવાસીઓ લડી રહ્યા છે. જનતા સાથે મળીને શાસન અને પ્રશાસન કામ કરી રહ્યુ છે.
વડાપ્રધાન મોદીએ covidwarriors.gov.in પૉર્ટલ વિશે પણ માહિતી આપી હતી જેમાં સવા સો કરોડ દેશવાસીઓ જોડાઇને કોરોના વૉરિયર બની શકે છે. વૈશ્વિક મહામારી વચ્ચે ખેડૂતો રાતદિવસ પરિશ્રમ કરીને પોતાનું યોગદાન આપી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આપણે ભાગ્યશાળી છે કે આજે સમગ્ર દેશ, દેશની તમામ જનતા, જન જન આ લડાઇનો સિપાહી છે અને લડાઇનું નેતૃત્વ કરી રહ્યા છે. આજે દેશ એક ટીમ બનીને એક લક્ષ્ય, એક દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતમાં નવા બદલાવની શરૂઆત થઇ છે.
તેમણે કહ્યું ડૉક્ટર્સ, સફાઇકર્મચારી તથા અન્ય સેવાઓ આપતા લોકો તેમજ પોલીસકર્મચારીઓ માટે લોકોનો અભિગમ બદલાયો છે. કોરોના સામેની લડતમાં લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. બીજાની મદદ માટે આગળ આવતા લોકોની ભાવના દેશને તાકાત આપે છે.
કોઇ ભાડું માફ કરીને મદદ કરે છે તો કોઇ ગરીબને ભોજન આપીને મદદ કરે છે. કેન્દ્ર સરકાર, રાજય સરકાર તથા અન્ય સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. રેલવે, એવિએશન ક્ષેત્રમાં પણ લોકો રાત-દિવસ કામ કરી રહ્યા છે.
Comments
Post a Comment