રાજ્યમાં કોરોનાએ મચાવ્યો કોહરામ, આજે 1404 પોઝિટિવ કેસ, 12નાં મોત, કુલ મૃત્યુઆંક 3431

ગાંધીનગર, 28 સપ્ટેમ્બર 2020 સોમવાર

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ તીવ્ર ગતિથી ફેલાઇ રહ્યું છે, આજે રાજ્યમાં 1404 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે રાજ્યમાં કુલ 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 42,92,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1404 કેસ નોંધાયા છે જ્યારે 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 85.03% ટકા છે.

રાજ્યમાં આજે કોરોનાનાં કારણે મોતનો ભોગ બનેલા દર્દીઓની વિગતો આ પ્રમાણે છે, જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 એમ કુલ 12 લોકોનાં મોત નિપજ્યાં. તો અત્યાર સુધીમાં કુલ 3431 લોકોનાં મોતને ભેટ્યા છે. 

આજે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ લોકો પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 180, સુરત કોર્પોરેશન 176, સુરત 126, રાજકોટ કોર્પોરેશન 106, વડોદરા કોર્પોરેશન 102, જામનગર કોર્પોરેશન 73, મહેસાણા 43, રાજકોટ 42, વડોદરા 39, કચ્છ 37, બનાસકાંઠા 35, અમદાવાદ 30, ભરૂચ 29, સુરેન્દ્રનગર 29, અમરેલી 27, મહીસાગર 27, પાટણ 26, ગાંધીનગર 22, જામનગર 22, પંચમહાલ 22, ગાંધીનગર કોર્પોરેશન 18, મોરબી 18, જુનાગઢ 17, ભાવનગર 16, જુનાગઢ કોર્પોરેશન 16, ભાવનગર કોર્પોરેશન 14, આણંદ 13, દાહોદ 13, ગીર સોમનાથ 13, સાબરકાંઠા 12, ખેડા 11, નર્મદા 10, નવસારી 9, તાપી 8, બોટાદ 7, દેવભૂમિ દ્વારકા 6, અરવલ્લી 5, પોરબંદર 3, વલસાડ 2 મળી કુલ 1404 કેસો મળ્યા છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,98,673 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,98,166 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 507 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16716 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 91 છે. જ્યારે 16625 લોકો સ્ટેબલ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો