- સુબોધ મુખરજીએ શમ્મી કપૂર પહેલા જગદીપને જંગલી ઑફર કરેલી, મુખ્ય પાત્ર ન ભજવવાનું મન બનાવી લીધું હોવાથી તેમણે ઇનકાર કરી દીધા છેલ્લાં ૮૦ વર્ષમાં બોલીવુડે આપણને એકથી એક મહાન કલાકારો આપ્યા છે. ઘણાં બધા સુપરસ્ટાર્સ આપ્યા છે. કેટલાક કલાકારો એવા આવ્યા જેમણે પુરવાર કરી દીધું કે સ્ટાર બનવા માટે હીરો બનવાની જરૂર નથી. પાંચ મિનિટ પડદા પર દેખાઇને પણ છવાઇ જઇ શકાય છે. અભિનયમાં દમ હોય તો નાનામાં નાનો રોલ કરીને પણ આખી જિંદગી યાદ રહી શકાય છે. જગદીપ એક એવા જ કલાકાર હતા. લાખોમાં અલગ પડી જતાં તેમના અભિનયના પ્રતાપે ચોથી પેઢી પણ તેમને બહુ સારી રીતે ઓળખે છે. યુસુફ ખાન જેવી રીે દિલીપકુમાર તરીકે ઓળખાયા, મુમતાઝ બેગમ દહેલવી મધુબાલા તરીકે ઓળખાઇ, એવી જ રીતે ઇશ્તીયાક અહેમદ જાફરી જગદીપ તરીકે જગખ્યાત બન્યા. ૮મી જૂલાઇએ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન કે. એ. અબ્બાસની મુન્ના, ગુુરુદત્તની આરપાર, બિમલ રોયની દો બિઘા ઝમીન, રામ સે બ્રધર્સની પુરાના મંદિર અને ટીનુ આનંદની શહનશાહ સહિત ૪૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. શોલેમાં તેમણે ભજવેલું સુરમા ભોપાલીનું પાત્ર ઇતિહાસમાં અમર બની ગયું છે. વિવેચકો...
Comments
Post a Comment