રાજ્યમાં અત્યાર સુધીમાં 60 હજારથી વધારે લોકોના થઈ ચુક્યા છે કોરોના ટેસ્ટ, આજે નોંધાયા 969 કેસ

અમદાવાદ, તા. 30 ઓક્ટોબર 2020, શુક્રવાર

દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા રાહત આપનારા તો છે જ પરંતુ સાથે સાથે ડરામણાં પણ છે. આ સાથે જ કોરોના રિકવરી રેટ 90%ને પાર થયો છે અને સાથે જ રાજ્યમાં આજ દિન સુધીમાં 60 હજારથી વધારે દર્દીઓના કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 969 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1027 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 06 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3714 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,55,105 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,657 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 60,02,273 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 969 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 165 અને જિલ્લામાં 53 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 162 અને જિલ્લામાં 19 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 77 અને જિલ્લામાં 37 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 51 અને જિલ્લામાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 62 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,218 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,55,105 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3714 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 90.17% છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો