દિગ્ગજ ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, કોરોનાથી હતાં સંક્રમિત


અમદાવાદ, તા. 27 ઓક્ટોબર 2020 મંગળવાર

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો એટલે કે નરેશ કનોડિયાએ આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં જે બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જો કે સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેમના દિકરા તથા ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ પણ તેમના ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પહેલાં મોટાભાઈ મહેશ કનોડિયા અને આજે નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પિટલમા નિધન થયું છે.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની