રાજ્યમાં રિકવરી રેટ 90% ને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 987 પોઝિટિવ કેસ

અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2020, ગુરુવાર

દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા રાહત આપનારા તો છે જ પરંતુ સાથે સાથે ડરામણાં પણ છે. આ સાથે જ કોરોના રિકવરી રેટ 90%ને પાર થયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 987 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1083 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 04 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3708 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 154,078 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,989 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 59,50,616 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,15,264 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,15,048 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 216 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 987 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 162 અને જિલ્લામાં 51 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 159 અને જિલ્લામાં 12 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 79 અને જિલ્લામાં 38 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 57 અને જિલ્લામાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,193 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 154,078 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3708 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 90.08% છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો