મન કી બાત: PM મોદીની અપીલ, તહેવારમાં મર્યાદામાં રહો, સૈનિકો માટે દીપ પ્રગટાવો


નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર 2020 રવિવાર

મન કી બાતમાં પીએમ મોદીએ દેશવાસીઓને એક વાર ફરી દશેરાની શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ કહ્યુ કે દશેરા સંકટ પર જીતનું પર્વ છે. દશેરા અસત્ય પર સત્યની જીતનું પર્વ પણ છે.

અત્યારે તહેવારનો સમય ચાલી રહ્યો છે. આ દરમિયાન લોકો ખરીદી કરશે. આપ ખરીદી દરમિયાન વોકલ ફોર લોકલનો સંદેશ જરૂર યાદ રાખો અને સ્વદેશી સામાનને ખરીદો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૈનિકોને વિજયાદશમીની શુભકામનાઓ આપતા કહ્યુ કે આ વખતે દિવાળીમાં એક દીવો સરહદ પર તૈનાત સૈનિકના નામે પ્રગટાવો. 

પીએમ મોદીએ કહ્યુ, આપણે આપણા તે જાંબાઝ સૈનિકોને પણ યાદ રાખવાના છે, જે આ તહેવારોમાં પણ સરહદ પર છે, ભારત માતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ પોતાના તહેવાર મનાવવાના છે. આપણે એક દીવો ભારત માતાના તે વીર દિકરા-દીકરીઓના સન્માનમાં પણ પ્રગટાવવાનો છે. હુ પોતાના વીર જવાનોને કહેવા માગુ છુ કે આપ ભલે સરહદ પર હોય, પરંતુ સમગ્ર દેશ આપની સાથે છે. આપની માટે કામના કરી રહ્યો છે, હુ તે પરિવારના ત્યાગને નમન કરૂ છુ, જેમના દિકરા-દીકરીઓ આજે સરહદ પર છે. 

પીએમ મોદીએ લોકોને એક વાર ફરી અપીલ કરી છે કે તેઓ તહેવાર દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો